સુરત: વરાછામાંથી પોલીસે પરમિશન વગર ફટાકડાનો સંગ્રહ કરેલ ગોડાઉન ઝડપી પાડ્યું

સુરતના વરાછામાંથી પોલીસે ફટાકડાનું એક ગોડાઉન ઝડપી પાડ્યું હતું,જેમાં જોખમી રીતે પરમિશન વગર રહેણાંક વિસ્તારમાં ફટાકડા સંગ્રહ કરવામાં આવ્યા હતા.

New Update

સુરતના વરાછામાંથી ઝડપાયું ફટાકડાનું ગોડાઉન 

પોલીસે ફટાકડાનું ગોડાઉન ઝડપી પાડ્યું

પરમિશન વગર ફટાકડાનો જથ્થો સંગ્રહ કરવામાં આવ્યો હતો

રેડ દરમિયાન 95 લાખથી વધુના ફટાકડા કબ્જે કર્યા

સમગ્ર ગોડાઉનને સીલ કરી દેવામાં આવ્યું

સુરતના વરાછામાંથી પોલીસે ફટાકડાનું એક ગોડાઉન ઝડપી પાડ્યું હતું,જેમાં જોખમી રીતે પરમિશન વગર રહેણાંક વિસ્તારમાં ફટાકડા સંગ્રહ કરવામાં આવ્યા હતા.
સુરતના વરાછામાં રહેણાંક વિસ્તારમાં પોલીસે એક ગોડાઉન પર રેડ કરી હતી,જેમાં પોલીસને મોટા પ્રમાણમાં ફટાકડાનો સંગ્રહ કરેલો જથ્થો મળી આવ્યો હતો.પોલીસ તપાસમાં પરમિશન વગર રહેણાંક વિસ્તારમાં જોખમી રીતે ફટાકડાનો સંગ્રહ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.અને આગની બનતી ઘટનાને પગલે પોલીસે કડક કાર્યવાહી કરી હતી.હાલ પોલીસે આ ઘટનામાં 95 લાખના ફટાકડા જપ્ત કર્યા છે,અને પોલીસે બે સગા ભાઈઓની ધરપકડ કરીને અન્ય એક ઈસમને વોન્ટેડ જાહેર કર્યો હતો.
Read the Next Article

સુરત : સંતાનોની ફી સહાય મેળવવા રત્નકલાકાર સહાય પેકેજ યોજના, 300 સ્કૂલમાં 65 હજાર ફોર્મ ભરાયા...

સુરતના ડાયમંડ ઉદ્યોગના ઈતિહાસમાં પહેલી વખત સૌથી લાંબી મંદી ચાલી છે. છેલ્લાં 3 વર્ષથી મંદી હોવાથી અનેક રત્નકલાકારો આર્થિક રીતે મુશ્કેલીમાં મુકાયા હતા

New Update
  • રત્ન કલાકારો માટે સહાય યોજનાની પ્રક્રિયા પૂર્ણ

  • 55 હજારથી વધુ રત્ન કલાકારોએ ભર્યા હતા ફોર્મ

  • પોતાના બાળકોની ફી માટે ફોર્મ ભરવામાં આવ્યા

  • વિદ્યાર્થી દીઠ રૂ. 13,500 ચૂકવવા સરકારનો નિર્ણય

  • તમામ ફોર્મ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાં જમા કરાવાયા

સુરત શહેર તથા જિલ્લામાં રત્નકલાકારોના સંતાનોની ફી ભરવા માટે રાજ્ય સરકારે જાહેર કરેલી સહાય યોજનામાં 300 સ્કૂલના 55 હજારથી વધુ રત્નકલાકારોએ 65 હજાર ફોર્મ ભર્યાં છે. હવે ડાયમંડ એસોસિએશનમાંથી ભલામણ પત્રો મેળવ્યા બાદ ફોર્મની સ્ક્રુટિની કરી ચકાસણી કરવામાં આવશે.

સુરતના ડાયમંડ ઉદ્યોગના ઈતિહાસમાં પહેલી વખત સૌથી લાંબી મંદી ચાલી છે. છેલ્લાં 3 વર્ષથી મંદી હોવાથી અનેક રત્નકલાકારો આર્થિક રીતે મુશ્કેલીમાં મુકાયા હતા. જેથી રત્કલાકારોને રાહત આપવા માટે રાજ્ય સરકાર દ્વારા સહાય યોજના જાહેર કરવામાં આવી હતી. જેમાં જે રત્નકલાકારોની 31 માર્ચ-2024 પહેલાં ડાયમંડ ઉદ્યોગમાંથી નોકરી છૂટી ગઈ હોય તેમના સંતાનોની એક વર્ષની મહત્તમ 13,500 રૂપિયા ફી ચૂકવવા માટે સરકાર દ્વારા યોજના જાહેર કરવામાં આવી હતી.

તા. 23 જુલાઇ સુધી ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હતોત્યારે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા ફોર્મ સહિતની કામગીરી કરવામાં આવી હતીજેમાં શહેરની અંદાજે 300 સ્કૂલના 55 હજાર રત્નકલાકારોએ સંતાનોની ફી ભરવા માટે 65 હજાર ફોર્મ ભર્યાં હતા. ગુરુવારે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હોવાથી હવે ફોર્મ સ્વિકારાશે નહીં. રોજગાર છૂટી ગયો હોય તેવા રત્નકલાકારોને વહેલી તકે આર્થિક સહાય મળે તે માટે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.

અપેક્ષા કરતાં વધારે ફોર્મ ભરાયાં છેજેને લઈને જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા રાજ્ય સરકાર પાસે ગ્રાન્ટ માંગવામાં આવશે. ત્યારબાદ જેમ જેમ સ્ક્રૂટિની થતી જશે તેમ તેમ સહાયની રકમ આપવામાં આવશે. તો બીજી તરફતમામ ફોર્મમાં ભલામણ પત્ર મેળવવા હવે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર ફોર્મને સુરત ડાયમંડ એસોસિએશનમાં મોકલશે. જેના માટે ઉદ્યોગ કેન્દ્ર ડાયમંડ એસોસિએશનને સ્ટાફ પણ ફાળવી આપશે. જે ડાયમંડ ફેક્ટરીમાંથી રત્નકલાકારની નોકરી છૂટી હોય તે કંપનીમાં કર્મચારી કામ કરતા હતા કેનહીં તેની ખરાઈ કર્યા બાદ ડાયમંડ એસોસિએશન ભલામણ પત્ર આપશે તેવું ડાયમંડ વર્કર યુનિયન તરફથી જાણવા મળ્યું છે.