-
રેલવે સ્ટેશનની બદલાશે સૂરત
-
1446 કરોડના ખર્ચે પુનઃવિકાસ પામતુ રેલવે સ્ટેશન
-
અદ્યતન મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ હબ બનશે
-
દેશમાં પ્રથમ વખત બસ અને મેટ્રો સ્ટેશનને પણ જોડાશે
-
વર્ષ 2026 ડિસેમ્બર સુધીમાં પ્રોજકેટ થશે પૂર્ણ
સુરત રેલવે સ્ટેશન દેશનું સૌથી અદ્યતન રેલવે સ્ટેશન બનશે.1446 કરોડના ખર્ચે અદ્યતન મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ હબ બનાવવામાં આવી રહ્યું છે. જેમાં સમગ્ર ભારતમાં પ્રથમ વખત રેલવે સ્ટેશનની સાથે બસ સ્ટેશન અને મેટ્રો સ્ટેશનને પણ જોડવામાં આવ્યા છે.
દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સપનાનું પહેલું અધ્યતન રેલવે સ્ટેશન સુરત ખાતે બની રહ્યું છે. દેશમાં પ્રથમ વખત રેલવે ઓથોરિટી ,સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન અને રાજ્ય સરકારના GSRTC સાથે મળી મલ્ટી મોડલ પ્રોજેક્ટનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે.જેમાં રેલવે સ્ટેશનની સાથે સાથે બસ સ્ટેશન અને મેટ્રો સ્ટેશનને પણ જોડવામાં આવી રહ્યા છે. જેથી સુરત રેલવે સ્ટેશન દેશનું પહેલું રેલવે સ્ટેશન બનશે જેમાં એક સાથે મેટ્રો અને બસ સ્ટેશનની કનેક્ટિવિટી શરૂ કરવામાં આવશે. સુરત રેલવે સ્ટેશનની સાથે વર્લ્ડ ક્લાસ મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટેશન હબમાં 25 માળના કોમર્શિયલ બિલ્ડીંગનું પણ નિર્માણ કરવામાં આવશે.
વર્ષ 2026ના ડિસેમ્બરના અંત સુધીમાં આ પ્રોજેક્ટ પૂરો થઈ જશે.ચાર વર્ષના આ પ્રોજેક્ટમાં બે વર્ષ પૂર્ણ થઈ ગયા છે.જેથી આગામી બે વર્ષમાં જ સુરતને આ તમામ સુવિધાઓ મળી જશે.આ પ્રોજેક્ટની માહિતીને લઈને સમગ્ર રેલવે સ્ટેશનના બ્લુ પ્રિન્ટ અને પ્રોજેક્ટની વિગતવાર માહિતી વેસ્ટર્ન રેલવેના અધિકારી દ્વારા આપવામાં આવી હતી.