સુરત: રેલવે સ્ટેશનને રૂ.1446 કરોડના ખર્ચે કરાઈ રહ્યું છે રિડેવલોપ,બસ અને મેટ્રો સ્ટેશન પણ જોડાશે

સુરત રેલવે સ્ટેશન દેશનું સૌથી અદ્યતન રેલવે સ્ટેશન બનશે.1446 કરોડના ખર્ચે અદ્યતન મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ હબ બનાવવામાં આવી રહ્યું છે.

New Update
  • રેલવે સ્ટેશનની બદલાશે સૂરત

  • 1446 કરોડના ખર્ચે પુનઃવિકાસ પામતુ રેલવે સ્ટેશન

  • અદ્યતન મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ હબ બનશે

  • દેશમાં પ્રથમ વખત બસ અને મેટ્રો સ્ટેશનને પણ જોડાશે

  • વર્ષ 2026 ડિસેમ્બર સુધીમાં પ્રોજકેટ થશે પૂર્ણ

સુરત રેલવે સ્ટેશન દેશનું સૌથી અદ્યતન રેલવે સ્ટેશન બનશે.1446 કરોડના ખર્ચે અદ્યતન મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ હબ બનાવવામાં આવી રહ્યું છે. જેમાં સમગ્ર ભારતમાં પ્રથમ વખત રેલવે સ્ટેશનની સાથે બસ સ્ટેશન અને મેટ્રો સ્ટેશનને પણ જોડવામાં આવ્યા છે.

દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સપનાનું પહેલું અધ્યતન રેલવે સ્ટેશન સુરત ખાતે બની રહ્યું છે. દેશમાં પ્રથમ વખત રેલવે ઓથોરિટી ,સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન અને રાજ્ય સરકારના GSRTC સાથે મળી મલ્ટી મોડલ પ્રોજેક્ટનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે.જેમાં રેલવે સ્ટેશનની સાથે સાથે બસ સ્ટેશન અને મેટ્રો સ્ટેશનને પણ જોડવામાં આવી રહ્યા છે. જેથી સુરત રેલવે સ્ટેશન દેશનું પહેલું રેલવે સ્ટેશન બનશે જેમાં એક સાથે મેટ્રો અને બસ સ્ટેશનની કનેક્ટિવિટી શરૂ કરવામાં આવશે. સુરત રેલવે સ્ટેશનની સાથે વર્લ્ડ ક્લાસ મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટેશન હબમાં 25 માળના કોમર્શિયલ બિલ્ડીંગનું પણ નિર્માણ કરવામાં આવશે.

વર્ષ 2026ના ડિસેમ્બરના અંત સુધીમાં આ પ્રોજેક્ટ પૂરો થઈ જશે.ચાર વર્ષના આ પ્રોજેક્ટમાં બે વર્ષ પૂર્ણ થઈ ગયા છે.જેથી આગામી બે વર્ષમાં જ સુરતને આ તમામ સુવિધાઓ મળી જશે.આ પ્રોજેક્ટની માહિતીને લઈને સમગ્ર રેલવે સ્ટેશનના બ્લુ પ્રિન્ટ અને પ્રોજેક્ટની વિગતવાર માહિતી વેસ્ટર્ન રેલવેના અધિકારી દ્વારા આપવામાં આવી હતી.

Read the Next Article

સુરત : અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં મૃતક ડોક્ટર દંપતીના પરિવારને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સાત્વના પાઠવી...

અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં મોતને ભેટેલા સુરતના મૃતક ડોક્ટર દંપતીના પરિવારને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના આગેવાનોએ સાત્વના પાઠવી હતી.

New Update
  • અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં 250થી વધુ લોકોના મોત

  • રાંદેર વિસ્તારમાં રહેતા ડોક્ટર દંપતીનું પણ ઘટનામાં મોત

  • મૃતકના પરિવારને ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પાઠવી સાત્વના

  • ડો. હિતેશ શાહે ઘણા વર્ષો સુધી લોકસેવા કરી : હર્ષ સંઘવી

  • મૃતકના પરિવારને શક્તિ આપે તેવી ભગવાનને પ્રાર્થના કરી

અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં મોતને ભેટેલા સુરતના મૃતક ડોક્ટર દંપતીના પરિવારને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના આગેવાનોએ સાત્વના પાઠવી હતી.

ગત તા. 12મી જૂન-2025ના રોજ અમદાવાદથી લંડન જતી એર ઈન્ડિયાની વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા સુરત શહેર અને જિલ્લામાં રહેતા 14 જેટલા લોકોમાંથી અત્યાર સુધીમાં 9 લોકોના DNA મેચ થઇ ગયા બાદ રાંદેર ખાતે રહેતા મૃતક ડોક્ટર દંપતી ડો. હિતેશ શાહ અને પત્ની અમિતા શાહના મૃતદેહ સુરત લવાયા હતા. ત્યારબાદ પરિવારજનો દ્વારા ડોક્ટર દંપતીના અંતિમ સંસ્કાર કરી દેવામાં આવ્યા હતાત્યારે આજરોજ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીવન-પર્યાવરણ મંત્રી મુકેશ પટેલ અને સુરત શહેર ભાજપ અધ્યક્ષ પરેશ પટેલ રાંદેર ખાતે મૃતક ડોક્ટર દંપતીના નિવાસ્થાને તેમના પરિવારને મળવા પહોંચ્યા હતાજ્યાં શાહ પરિવારના સભ્યોને સાત્વના પાઠવવામાં આવી હતી.

હર્ષ સંઘવીએ જણાવ્યુ હતું કેસુરતમાં ગરીબોના મસીહા તરીકે ઓળખાતા ડોક્ટર હિતેશ શાહએ ઘણા વર્ષોથી આ ક્ષેત્રમાં લોકોની સેવા કરી છે. તેઓ ખૂબ સારા સર્જન હતાઅને તે પોતાના ધર્મપત્ની સાથે અમદાવાદથી યુકે તેમની બહેનને મળવા જતા હતાઅને પ્લેન ક્રેશની દુર્ઘટનામાં તેમનું મૃત્યુ થયું છે. આ દુખદ ઘટનામાં ભગવાન મૃતક ડોક્ટર દંપતીના પરિવારને શક્તિ આપે તેવી પણ હર્ષ સંઘવીએ પ્રાર્થના કરી હતી.