સુરત : લિંબાયતથી ડિંડોલીને જોડતા રેલવે અંડરપાસ બ્રિજનું કરાયું લોકાર્પણ, લોકોને મળશે ટ્રાફિક માંથી રાહત

સુરતના લિંબાયતથી ડિંડોલીને જોડતા રેલવે અંડરપાસ બ્રિજનું લોકાર્પણ કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર.પાટીલના હસ્તે કરવામાં આવ્યું હતું.અંડરપાસ બ્રિજની સુવિધા મળતા લોકોને હવે ટ્રાફિકની સમસ્યા માંથી રાહત મળશે.

New Update
  • લિંબાયતના લોકોને ટ્રાફિકથી મળશે રાહત

  • રેલવે અંડરપાસ બ્રિજનું કરાયું લોકાર્પણ

  • કેન્દ્રીય જળશક્તિ મંત્રીના હસ્તે કરાયું લોકાર્પણ

  • 53 કરોડોના ખર્ચે તૈયાર કરાયો આધુનિક રેલવે અંડરપાસ બ્રિજ

  • લિંબાયતના રહીશોમાં ઉત્સાહનો માહોલ

Advertisment W3.CSS

સુરતના લિંબાયતથી ડિંડોલીને જોડતા રેલવે અંડરપાસ બ્રિજનું લોકાર્પણ કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર.પાટીલના હસ્તે કરવામાં આવ્યું હતું.અંડરપાસ બ્રિજની સુવિધા મળતા લોકોને હવે ટ્રાફિકની સમસ્યા માંથી રાહત મળશે.

સુરત શહેરમાં વધી રહેલા વાહનોના ભારણ સાથે ટ્રાફિકની સમસ્યા પણ દિનપ્રતિદિન વિકટ બની રહી છે,લિંબાયતથી નવાગામ,ડિંડોલી,ભેસ્તાન,પાંડેસરા જવા માટે વાહન ચાલકો ટ્રાફિકની સમસ્યાથી ખુબ જ તકલીફ અનુભવી રહ્યા હતા,જોકે લિંબાયતથી ડિંડોલીને જોડતો રેલવે અંડરપાસ બ્રિજનું રૂપિયા અંદાજિત 53 કરોડના ખર્ચે નિર્માણ કરવામાં આવ્યું છે.જેનું લોકાર્પણ કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલના હસ્તે કરવામાં આવ્યું હતું.અંડરપાસ બ્રિજ હવે લિંબાયતથી નવાગામ,ડિંડોલી,ભેસ્તાન,પાંડેસરા તરફ જતા લોકો માટે રાહતરૂપ બની રહેશે,અને ટ્રાફિક માંથી પણ રાહત મળશે.

Read the Next Article

સુરત : પત્નીએ સમયસર જમવાનું નહીં બનાવતા પતિનો આપઘાત,બે ત્રણ સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી

સુરતના વેસુ વિસ્તારમાં રહેતા યુવાન દંપતીનો પરિવાર ખંડિત થયો છે.25 વર્ષીય વિજય બારીયા અને તેની પત્ની વચ્ચે જમવાનું બનાવવા બાબતે ઝઘડો થયો હતો.

New Update
  • વેસુમાં ત્રણ સંતાનોના પિતાનો આપઘાત

  • પત્ની સાથે બોલાચાલી બાદ અંતિમ પગલું

  • પતિ પત્ની વચ્ચે રસોઈ બાબતે થયો હતો ઝઘડો

  • સામાન્ય બાબતમાં પતિએ કર્યો આપઘાત

  • ત્રણ સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી

Advertisment W3.CSS

સુરતના વેસુ વિસ્તારમાં દંપતી વચ્ચેની સામાન્ય બોલાચાલીએ પરિવારને વિખેરી નાખ્યો હતો,જમવાનું બનાવવાની બાબતે થયેલા ઝઘડામાં પતિએ ગળે ફાંસો ખાઈને જીવનલીલા સંકેલી નાખતા બે દીકરીઓ અને એક દીકરાએ પિતાની છત્રછાયા ગુમાવી દીધી હતી.

સુરતના વેસુ વિસ્તારમાં રહેતા યુવાન દંપતીનો પરિવાર ખંડિત થયો છે.25 વર્ષીય વિજય બારીયા અને તેની પત્ની વચ્ચે જમવાનું બનાવવા બાબતે ઝઘડો થયો હતો.જોકે આ બાબતથી આઘાત લાગતા વિજય બારીયાએ ઘરમાં બીજા રૂમમાં જઈને ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ હતી.બનાવની જાણ થતા જ અલથાણ પોલીસનો કાફલો દોડી આવીને વિજય બારીયાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ શરૂ કરી હતી.

ઉલ્લેખનીય છે કે વિજય બારીયાના આપઘાતને પગલે બે દીકરીઓ અને એક દીકરાએ પિતાની છત્રછાયા ગુમાવી દીધી હતી.