સુરત : લિંબાયતથી ડિંડોલીને જોડતા રેલવે અંડરપાસ બ્રિજનું કરાયું લોકાર્પણ, લોકોને મળશે ટ્રાફિક માંથી રાહત

સુરતના લિંબાયતથી ડિંડોલીને જોડતા રેલવે અંડરપાસ બ્રિજનું લોકાર્પણ કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર.પાટીલના હસ્તે કરવામાં આવ્યું હતું.અંડરપાસ બ્રિજની સુવિધા મળતા લોકોને હવે ટ્રાફિકની સમસ્યા માંથી રાહત મળશે.

New Update
  • લિંબાયતના લોકોને ટ્રાફિકથી મળશે રાહત

  • રેલવે અંડરપાસ બ્રિજનું કરાયું લોકાર્પણ

  • કેન્દ્રીય જળશક્તિ મંત્રીના હસ્તે કરાયું લોકાર્પણ

  • 53 કરોડોના ખર્ચે તૈયાર કરાયો આધુનિક રેલવે અંડરપાસ બ્રિજ

  • લિંબાયતના રહીશોમાં ઉત્સાહનો માહોલ

સુરતના લિંબાયતથી ડિંડોલીને જોડતા રેલવે અંડરપાસ બ્રિજનું લોકાર્પણ કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર.પાટીલના હસ્તે કરવામાં આવ્યું હતું.અંડરપાસ બ્રિજની સુવિધા મળતા લોકોને હવે ટ્રાફિકની સમસ્યા માંથી રાહત મળશે.

સુરત શહેરમાં વધી રહેલા વાહનોના ભારણ સાથે ટ્રાફિકની સમસ્યા પણ દિનપ્રતિદિન વિકટ બની રહી છે,લિંબાયતથી નવાગામ,ડિંડોલી,ભેસ્તાન,પાંડેસરા જવા માટે વાહન ચાલકો ટ્રાફિકની સમસ્યાથી ખુબ જ તકલીફ અનુભવી રહ્યા હતા,જોકે લિંબાયતથી ડિંડોલીને જોડતો રેલવે અંડરપાસ બ્રિજનું રૂપિયા અંદાજિત 53 કરોડના ખર્ચે નિર્માણ કરવામાં આવ્યું છે.જેનું લોકાર્પણ કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલના હસ્તે કરવામાં આવ્યું હતું.અંડરપાસ બ્રિજ હવે લિંબાયતથી નવાગામ,ડિંડોલી,ભેસ્તાન,પાંડેસરા તરફ જતા લોકો માટે રાહતરૂપ બની રહેશે,અને ટ્રાફિક માંથી પણ રાહત મળશે.

Read the Next Article

સુરત : સ્મીમેર હોસ્પિટલમાં દર્દીની સારવારમાં બેદરકારીનો આક્ષેપ,વિડીયો વાયરલ થતા તંત્ર આવ્યું હરકતમાં

સુરત શહેરની સ્મીમેર હોસ્પિટલમાં દર્દીની સારવારમાં ગંભીર બેદરકારીના આક્ષેપ કરતો એક વિડીયો વાયરલ થયો હતો,જે સંદર્ભે મહાનગરપાલીકાનું તંત્ર હરકતમાં આવીને તપાસના આદેશ આપ્યા હતા.

New Update
  • સ્મીમેર હોસ્પિટલની બેદરકારી

  • દર્દીની સારવારમાં દાખવી બેદરકારી

  • હોસ્પિટલનો વિડીયો થયો હતો વાયરલ

  • મનપા દ્વારા કરવામાં આવી કાર્યવાહી

  • મનપાએ આપ્યા તપાસના આદેશ 

સુરત શહેરની સ્મીમેર હોસ્પિટલમાં દર્દીની સારવારમાં ગંભીર બેદરકારીના આક્ષેપ કરતો એક વિડીયો વાયરલ થયો હતો,જે સંદર્ભે મહાનગરપાલીકાનું તંત્ર હરકતમાં આવીને તપાસના આદેશ આપ્યા હતા.

સુરત શહેરમાં સ્મીમેર હોસ્પિટલમાં એક દર્દીને સમયસર સારવાર આપવામાં આવી નહોવાનો એક વિડીયો વાયરલ થયો હતો,સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોથી મહાનરપાલિકાનું તંત્ર પણ એક્શનમાં આવી ગયું હતું,અને સમગ્ર મામલે તપાસના આદેશ આપ્યા હતા.મનપાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજન પટેલ દ્વારા આ ગંભીર બાબત અંગે સૂચનાઓ આપી હતી,અને હોસ્પિટલનાRMOને આ અંગે સૂચના આપીને દર્દીઓ સાથે આવી બેદરકારી ક્યારે પણ સાંખી લેવામાં નહીં આવે તેમ તેઓએ જણાવ્યું હતું.તેમજ ભવિષ્યમાં આવા પ્રકારની ગંભીર બેદરકારી ન થાય તે માટે પણ જરૂરી સૂચનાઓ તેઓએ હોસ્પિટલના તંત્રને આપી હતી.