સુરત : લિંબાયતથી ડિંડોલીને જોડતા રેલવે અંડરપાસ બ્રિજનું કરાયું લોકાર્પણ, લોકોને મળશે ટ્રાફિક માંથી રાહત

સુરતના લિંબાયતથી ડિંડોલીને જોડતા રેલવે અંડરપાસ બ્રિજનું લોકાર્પણ કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર.પાટીલના હસ્તે કરવામાં આવ્યું હતું.અંડરપાસ બ્રિજની સુવિધા મળતા લોકોને હવે ટ્રાફિકની સમસ્યા માંથી રાહત મળશે.

New Update
  • લિંબાયતના લોકોને ટ્રાફિકથી મળશે રાહત

  • રેલવે અંડરપાસ બ્રિજનું કરાયું લોકાર્પણ

  • કેન્દ્રીય જળશક્તિ મંત્રીના હસ્તે કરાયું લોકાર્પણ

  • 53 કરોડોના ખર્ચે તૈયાર કરાયો આધુનિક રેલવે અંડરપાસ બ્રિજ

  • લિંબાયતના રહીશોમાં ઉત્સાહનો માહોલ

સુરતના લિંબાયતથી ડિંડોલીને જોડતા રેલવે અંડરપાસ બ્રિજનું લોકાર્પણ કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર.પાટીલના હસ્તે કરવામાં આવ્યું હતું.અંડરપાસ બ્રિજની સુવિધા મળતા લોકોને હવે ટ્રાફિકની સમસ્યા માંથી રાહત મળશે.

સુરત શહેરમાં વધી રહેલા વાહનોના ભારણ સાથે ટ્રાફિકની સમસ્યા પણ દિનપ્રતિદિન વિકટ બની રહી છે,લિંબાયતથી નવાગામ,ડિંડોલી,ભેસ્તાન,પાંડેસરા જવા માટે વાહન ચાલકો ટ્રાફિકની સમસ્યાથી ખુબ જ તકલીફ અનુભવી રહ્યા હતા,જોકે લિંબાયતથી ડિંડોલીને જોડતો રેલવે અંડરપાસ બ્રિજનું રૂપિયા અંદાજિત 53 કરોડના ખર્ચે નિર્માણ કરવામાં આવ્યું છે.જેનું લોકાર્પણ કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલના હસ્તે કરવામાં આવ્યું હતું.અંડરપાસ બ્રિજ હવે લિંબાયતથી નવાગામ,ડિંડોલી,ભેસ્તાન,પાંડેસરા તરફ જતા લોકો માટે રાહતરૂપ બની રહેશે,અને ટ્રાફિક માંથી પણ રાહત મળશે.

Read the Next Article

સુરત : પિતૃદોષની વિધિ માટે ગયેલી પરિણીતા પર કાળા જાદુના બહાને દુષ્કર્મની ઘટના, પોલીસે કરી નરાધમ ભૂવાની ધરપકડ...

સુરત શહેરના અડાજણ વિસ્તારની મહિલા સાથે દુષ્કર્મ આચરનાર બોટાદ જિલ્લાના ચિરોડા ગામના ભુવાની પોલીસે દરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

New Update
  • ભાવનગરથી સુરત આવતી બસમાં મહિલા પર ભૂવાનું દુષ્કર્મ

  • પિતૃદોષની વિધિ માટે ગયેલી પરિણીતા ઉપર દુષ્કર્મ ગુજારયું

  • રસ્તામાં કાળાજાદુના બહાને પરિણીતા સાથે શરીર સંબંધ બાંધ્યો

  • આરોપી પિતૃદોષની વિધિ કરવાના બહાને આવ્યો હતો સંપર્કમાં

  • અડાજણ પોલીસે ભુવાની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી

સુરત શહેરના અડાજણ વિસ્તારની મહિલા સાથે દુષ્કર્મ આચરનાર બોટાદ જિલ્લાના ચિરોડા ગામના ભુવાની પોલીસે દરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સુરત શહેરના અડાજણ વિસ્તારમાં રહેતી એક પરિણીત મહિલા પિતૃદોષની વિધિ કરાવવાની હોવાથી બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ચિરોડા ગામના ભૂવા ગંગારામ રામચરણદાસ લશ્કરીના સંપર્કમાં આવી હતી. જે બાદ મહિલા પિતૃદોષની વિધિ માટે સુરતથી ભાવનગર ગઈ હતીજ્યાં તેણે ભૂવા સાથે મુલાકાત કરી હતી. વિધિ કરાવ્યા બાદ મહિલા ભૂવા સાથે ભાવનગરથી સુરત પરત ફરી રહી હતી. આ સમયે બંને એક લક્ઝરી બસમાં મુસાફરી કરી રહ્યા હતા. જેમાં ભૂવા ગંગારામે કાળા જાદુના બહાને મહિલાને વશમાં કરી તેની સાથે એકથી વધુ વખત દુષ્કર્મ આચર્યું હતુંજ્યારે મહિલા સુરત પહોંચીત્યારે તેણે તાત્કાલિક અડાજણ પોલીસ મથકમાં આ અંગે ફરિયાદ નોંધાવી હતી.

અડાજણ પોલીસે મહિલાની ફરિયાદને ગંભીરતાથી લઈ આરોપી ભૂવા ગંગારામ રામચરણદાસ લશ્કરી વિરુદ્ધ દુષ્કર્મનો ગુનો નોંધી શોધખોળ શરૂ કરી હતીત્યારે ગણતરીના કલાકોમાં જ પોલીસે આરોપી ભૂવાની ધરપકડ કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.