સુરત : RTI કરી ખંડણી ઉઘરાવતી ગેંગનો પર્દાફાશ, પોલીસે 2 આરોપીઓનું જાહેરમાં સરઘસ કાઢ્યું...

સુરત શહેરમાં RTI કરી બિલ્ડર પાસે ખંડણી માંગનાર 2 શખ્સોની લાલગેટ પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

New Update

RTI કરી ખંડણી ઉઘરાવતી ગેંગનો પર્દાફાશ થયો

લાલગેટ પોલીસ દ્વારા 2 શખ્સોની ધરપકડ કરાય

બિલ્ડર પાસેથી માંગી હતી રૂ. 15 લાખ ની ખંડણી

પોલીસે બન્ને આરોપીઓનું જાહેરમાં સરઘસ કાઢ્યું

આરોપીનું સરઘસ કાઢી કાયદાનો પાઠ ભણાવાયો

સુરત શહેરમાંRTI કરી બિલ્ડર પાસે ખંડણી માંગનાર 2 શખ્સોની લાલગેટ પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સુરત શહેરના ઝોન-3 વિસ્તારમાં આવેલ લાલગેટ પોલીસ દ્વારા 2 શખ્સોની ધરપકડ કરી જાહેરમાં સરભરા કરવામાં આવી હતી. રામપુરા વિસ્તારમાં બિલ્ડર મોહમ્મદ અલાઉદ્દીન શેખ દ્વારા બિલ્ડીંગનું કન્સ્ટ્રક્શન કામ ચાલી રહ્યું હતુંત્યારે 3 ઇસમોએ ત્યાં આવી બિલ્ડરને ધમકી આપી હતી કેતમારે આ વિસ્તારમાં કન્સ્ટ્રક્શન કરવું હોય તો 15 લાખ રૂપિયા આપવા પડશે. જોકેબિલ્ડરે રૂપિયા નહીં આપતા આ ત્રણેય ઇસમોએRTIનો દુરુપયોગ કરીSMCમાં અરજી આપી બિલ્ડીંગનો પાછળનો વધારાનો ભાગ તોડાવી નાખ્યો હતો. ત્યારબાદ પણ આ ઇસમો નહીં અટકતા વારંવાર હેરાન પરેશાન કરતા બિલ્ડરે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી. જેમાં મોહમ્મદ જૂનેદ અકબર અન્સારી અને મોહમ્મદ આમિર હસીમ ખાનની ધરપકડ કરવામાં આવી હતી. આ સાથે જ પોલીસે અન્ય ફરાર આરોપી મોહમ્મદ રિઝવાનની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે. જોકેસુરતમાં અન્ય કોઈ ગેંગ આવું કૃત્ય કરી લોકોને પરેશાન ન કરે તે માટે પોલીસે બન્ને શખ્સોની જાહેરમાં સરભરા કરી હતી.DCP સહિત સ્થાનિક પોલીસ ઇન્સ્પેક્ટરે લાલગેટ વિસ્તારમાં બન્ને આરોપીનું સરઘસ કાઢી કાયદાનો પાઠ ભણાવ્યો હતો.

Read the Next Article

સુરત : શ્રીજીની મૂર્તિઓની આંગળીઓ તોડી નાખતા મૂર્તિકાર ચિંતાગ્રસ્ત, ખટોદરા પોલીસે શરૂ કરી તપાસ

અજાણ્યા શખ્સો દ્વારા લગભગ 15થી 20 શ્રીજીની મૂર્તિઓની આંગળીઓ ખંડિત કરવામાં આવી છે. આ ઘટનાથી મૂર્તિકાર શોકમાં ગરકાવ થઈ ગયા છે અને તેમનો 4 મહિનાનો પરિશ્રમ નિષ્ફળ નિવડ્યો

New Update
  • મૂર્તિકારના ત્યાં મૂર્તિઓ ખંડિત કરવાનો મામલો

  • 10થી 15મૂર્તિઓ ખંડિત થતા મૂર્તિકાર વ્યથિત

  • ગણેશજીની મૂર્તિઓની આંગળીઓને નુકસાન

  • 4 મહિનાની મહેનતથી તૈયાર કરાઈ હતી મૂર્તિ

  • ખટોદરા પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી તપાસ

સુરત શહેરના યુનિક હોસ્પિટલ નજીક આવેલા રામજીભાઈ મૂર્તિવાળા પાસે એક અતિ દુઃખદ ઘટના સામે આવી છે. અજાણ્યા શખ્સો દ્વારા લગભગ 15થી 20 શ્રીજીની મૂર્તિઓની આંગળીઓ ખંડિત કરવામાં આવી છે. આ ઘટનાથી મૂર્તિકાર શોકમાં ગરકાવ થઈ ગયા છે અને તેમનો 4 મહિનાનો પરિશ્રમ નિષ્ફળ જતા ખૂબ જ વ્યથિત થઈ ગયા હતા. સમગ્ર મામલે ખટોદરા પોલીસે તપાસ શરૂ કરી છે.

સુરત શહેરના યુનિક હોસ્પિટલ નજીક આવેલા રામજી મૂર્તિવાડા પાસે લગભગ 150થી વધુ ગણપતિની પ્રતિમાઓ બનાવવામાં આવી રહી છે. મૂર્તિકાર દ્વારા છેલ્લા 4 મહિનાથી અથાક મહેનત કરી આ મૂર્તિઓ તૈયાર કરવામાં આવી રહી હતી. જોકેઆરોપ છે કે અજાણ્યા લોકોએ આ 15થી 20 પ્રતિમાઓની આંગળીઓ ખંડિત કરી નાખી હતી. આ કૃત્ય પાછળ કોનો હાથ છે તે હજુ સુધી જાણી શકાયું નથી.

મૂર્તિકારનું કહેવું છે કેતેઓ જમવા માટે ગયા હતા તે દરમિયાન આ કૃત્ય કરવામાં આવ્યું છે. તેમને આ ઘટનાની જાણ ત્યારે થઈ જ્યારે મૂર્તિઓ જોવા માટે કેટલાક લોકો આવ્યા અને તેમની નજર ખંડિત થયેલી મૂર્તિઓ પર પડી. આ જોતા જ મૂર્તિકાર ભાંગી પડ્યા અને રડતા-રડતા પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો.

સૌથી મહત્વની વાત એ છે કેજેટલી પણ પ્રતિમાઓ છે તેમાંથી માત્ર શ્રીજીની પ્રતિમાઓની જ આંગળીઓ ખંડિત કરવામાં આવી છેઅન્ય કોઈ જગ્યાએ પ્રતિમાને નુકસાન પહોંચાડવામાં આવ્યું નથી. આ સમગ્ર મામલાની જાણ થતા જ ખટોદરા પોલીસ દ્વારા તાત્કાલિક તપાસ હાથ ધરવામાં આવી છે.