સુરત : RTI કરી ખંડણી ઉઘરાવતી ગેંગનો પર્દાફાશ, પોલીસે 2 આરોપીઓનું જાહેરમાં સરઘસ કાઢ્યું...

સુરત શહેરમાં RTI કરી બિલ્ડર પાસે ખંડણી માંગનાર 2 શખ્સોની લાલગેટ પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

New Update

RTI કરી ખંડણી ઉઘરાવતી ગેંગનો પર્દાફાશ થયો

લાલગેટ પોલીસ દ્વારા 2 શખ્સોની ધરપકડ કરાય

બિલ્ડર પાસેથી માંગી હતી રૂ. 15 લાખ ની ખંડણી

પોલીસે બન્ને આરોપીઓનું જાહેરમાં સરઘસ કાઢ્યું

આરોપીનું સરઘસ કાઢી કાયદાનો પાઠ ભણાવાયો

સુરત શહેરમાં RTI કરી બિલ્ડર પાસે ખંડણી માંગનાર 2 શખ્સોની લાલગેટ પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સુરત શહેરના ઝોન-3 વિસ્તારમાં આવેલ લાલગેટ પોલીસ દ્વારા 2 શખ્સોની ધરપકડ કરી જાહેરમાં સરભરા કરવામાં આવી હતી. રામપુરા વિસ્તારમાં બિલ્ડર મોહમ્મદ અલાઉદ્દીન શેખ દ્વારા બિલ્ડીંગનું કન્સ્ટ્રક્શન કામ ચાલી રહ્યું હતુંત્યારે 3 ઇસમોએ ત્યાં આવી બિલ્ડરને ધમકી આપી હતી કેતમારે આ વિસ્તારમાં કન્સ્ટ્રક્શન કરવું હોય તો 15 લાખ રૂપિયા આપવા પડશે. જોકેબિલ્ડરે રૂપિયા નહીં આપતા આ ત્રણેય ઇસમોએ RTIનો દુરુપયોગ કરી SMCમાં અરજી આપી બિલ્ડીંગનો પાછળનો વધારાનો ભાગ તોડાવી નાખ્યો હતો. ત્યારબાદ પણ આ ઇસમો નહીં અટકતા વારંવાર હેરાન પરેશાન કરતા બિલ્ડરે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી. જેમાં મોહમ્મદ જૂનેદ અકબર અન્સારી અને મોહમ્મદ આમિર હસીમ ખાનની ધરપકડ કરવામાં આવી હતી. આ સાથે જ પોલીસે અન્ય ફરાર આરોપી મોહમ્મદ રિઝવાનની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે. જોકેસુરતમાં અન્ય કોઈ ગેંગ આવું કૃત્ય કરી લોકોને પરેશાન ન કરે તે માટે પોલીસે બન્ને શખ્સોની જાહેરમાં સરભરા કરી હતી. DCP સહિત સ્થાનિક પોલીસ ઇન્સ્પેક્ટરે લાલગેટ વિસ્તારમાં બન્ને આરોપીનું સરઘસ કાઢી કાયદાનો પાઠ ભણાવ્યો હતો.

 

Read the Next Article

સુરત: પાલમાં પરિણીત યુવકનો ગળે ફાંસો ખાઈને આપઘાત,પત્ની અને પ્રેમીના ત્રાસથી પગલું ભર્યું હોવાનો પરિવારનો આક્ષેપ

આપઘાતની ઘટના પછી મૃતકની બહેન દ્વારા દિવ્યા અને પ્રેમી સામે આક્ષેપો સાથે પોલીસને નિવેદન આપવામાં આવ્યું છે. પાલ પોલીસે તપાસ શરૂ કરી છે..

author-image
By Connect Gujarat Desk
New Update
  • પાલમાં 26 વર્ષીય યુવકનો આપઘાતનો મામલો

  • યુવક રેડીમેડ કાપડની દુકાનમાં કરતો હતો કામ 

  • યુવકની પત્ની અને તેનો પ્રેમી શંકાના દાયરામાં 

  • પરિવારજનોના પત્ની અને પ્રેમી પર ગંભીર આરોપ 

  • પોલીસે પરિવારજનોના આક્ષેપ બાદ શરૂ કરી તપાસ 

સુરતના પાલ વિસ્તારમાં LIG આવાસમાં રહેતા 26 વર્ષીય પરિણીત  યુવક દીક્ષિત ચૌહાણે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી છે.મૃતકના પરિવારજનો દ્વારા દીક્ષિતની પત્ની દિવ્યા અને તેના પ્રેમીએ મળીને તેને ટોર્ચર કર્યો અને અંતે મોત તરફ દોરી ગયા હોવાના ગંભીર આરોપ લગાવ્યા છે.

સુરતના પાલ વિસ્તારમાં LIG આવાસમાં રહેતા 26 વર્ષીય દીક્ષિત ચૌહાણે ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઈ છે. જોકે આ સમગ્ર ઘટનામાં મૃતક યુવકના પરિવારજનોએ દીક્ષિતની પત્ની દિવ્યા અને તેના પ્રેમી પર ગંભીર આરોપ લગાવ્યા હતા. આપઘાતની ઘટના પછી મૃતકની બહેન દ્વારા દિવ્યા અને પ્રેમી સામે આક્ષેપો સાથે પોલીસને નિવેદન આપવામાં આવ્યું છે. પાલ પોલીસે તપાસ શરૂ કરી છે અને પત્ની સહિત સંબંધિત વ્યક્તિઓની પૂછપરછ હાથ ધરવામાં આવી છે.

દીક્ષિત ચૌહાણ રેડીમેડ કાપડની દુકાનમાં નોકરી કરતો હતો અને તેના ઘરનું ગુજરાન ચલાવતો હતો. જોકેતેની પત્ની દિવ્યા સાથે તેના અવારનવાર ઝઘડા થતા હતા અને ઝઘડામાં દિવ્યા વારંવાર પતિને માર મારતી હતી,અને મારી નાખવાની ધમકી પણ આપતી હતી. આસપાસના લોકો પણ તે બાબતે જાણતા હતા અને તેમના વચ્ચે પડીને મામલો થાળે પાડવાનો પણ પ્રયાસ કર્યો હતો. રાત્રે પત્ની દિવ્યા દ્વારા માર માર્યા બાદ સવારે દીક્ષિત ચૌહાણે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.

આ ઘટનાની જાણ થયા બાદ પાલ પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છેજેમાં મૃતકના પરિવારજનોના નિવેદનો લેવામાં આવ્યા છે. તેમજ તેની પત્ની અને તેના પ્રેમી અંગે પણ તપાસ શરૂ કરવામાં આવી છે.