સુરત : આપઘાતના બન્યા બે બનાવ,સચિન અને ડિંડોલીમાં કુમળીવયના યુવક યુવતીએ જીવનલીલા સંકેલી નાખતા ચકચાર

સુરત શહેરના સચિન અને ડિંડોલી વિસ્તારમાં કુમળીવયના યુવક યુવતીએ ગળે ફાંસો ખાઈને જીવનલીલા સંકેલી લીધી હતી,જેના કારણે પરિવારજનોમાં શોકનો માહોલ છવાય ગયો

New Update
  • આપઘાતની ઘટનામાં ચિંતાજનક વધારો

  • સચિન જીઆઇડીસીમાં યુવતીએ કર્યો આપઘાત

  • પ્રેમ સંબંધ અંગે ભાઈએ આપ્યો હતો ઠપકો

  • ડિંડોલીમાં માતાના ઠપકાથી યુવકે જીવનલીલા સંકેલી

  • 13 વર્ષના કિશોરે ભર્યું અંતિમ પગલુ 

સુરતમાં આપઘાતની ઘટનાઓમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે.સચિન અને ડિંડોલી વિસ્તારમાં કુમળીવયના યુવક યુવતીએ ગળે ફાંસો ખાઈને જીવનલીલા સંકેલી લીધી હતી,જેના કારણે પરિવારજનોમાં શોકનો માહોલ છવાય ગયો હતો.

સુરતના સચિન જીઆઇડીસીમાં રહેતા પરિવારની 15 વર્ષની કિશોરી કોઈ યુવકના પ્રેમમાં હતી,જોકે આ યુવતીને તેનો મોટો ભાઈ પ્રેમી સાથે જોઈ જતા ભાઈએ પોતાની નાની બહેનને ઠપકો આપ્યો હતો,પરંતુ આ વાત યુવતીને આઘાત જનક લાગી હતી,અને યુવતીએ અંતિમ પગલું ભર્યું હોવાનું કહેવામાં આવી રહ્યું છે,ઘટના અંગે સચિન જીઆઇડીસી પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.

જયારે અન્ય એક આપઘાતનો બનાવ સુરતના ડિંડોલી વિસ્તારમાં નવાગામ સ્થિત કેશવ નગરથી પ્રકાશમાં આવ્યો હતો,જેમાં ધોરણ 7માં અભ્યાસ કરતા યુવકને માતાએ ભણવા માટે ઠપકો આપ્યો હતો,તેમજ માતાની આ વાત દીકરાને કડવી લાગી હતી,જેના કારણે યુવકે ઘરમાં લોખંડની એંગલ સાથે  દુપટ્ટો બાંધીને ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો,ઘટનાને પગલે પરિવારજનોમાં શોકનો માહોલ છવાય ગયો હતો.ઘટના સંદર્ભે ડિંડોલી પોલીસ દ્વારા ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.

Read the Next Article

સુરત : રાજ્યમંત્રી મુકેશ પટેલની અધ્યક્ષતામાં જિલ્લાકક્ષાના યોગ દિવસની ઉજવણી કરાય...

21 જૂન વિશ્વભરમાં 11મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઊજવવામાં આવી રહ્યો છે. ત્યારે સુરતના સરસાણા ડોમ ખાતે રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી મુકેશ પટેલની અધ્યક્ષતામાં ‘સ્વસ્થ ગુજરાત મેદસ્વિતામુક્ત ગુજરાત’ થીમ અંતર્ગત વિશ્વ યોગ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી

New Update
  • સરસાણા ડોમ ખાતે 11મા વિશ્વ યોગ દિવસની ઉજવણી

  • રાજ્યના વન-પર્યાવરણ મંત્રી મુકેશ પટેલની ઉપસ્થિતિ

  • જિલ્લાકક્ષાની ઉજવણીમાં મોટી સંખ્યામાં યોગવીરો જોડાયા

  • સાંસદધારાસભ્યો સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા

  • આજરોજ અંદાજે 4.50 લાખથી નાગરિકો યોગમય બન્યા 

સુરતના સરસાણા ડોમ ખાતે રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી મુકેશ પટેલની અધ્યક્ષતામાં સ્વસ્થ ગુજરાત મેદસ્વિતામુક્ત ગુજરાત’ થીમ અંતર્ગત 11મા વિશ્વ યોગ દિવસની જિલ્લાકક્ષાની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

આજે તા. 21 જૂન વિશ્વભરમાં 11મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઊજવવામાં આવી રહ્યો છે. ત્યારે સુરતના સરસાણા ડોમ ખાતે રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી મુકેશ પટેલની અધ્યક્ષતામાં સ્વસ્થ ગુજરાત મેદસ્વિતામુક્ત ગુજરાત’ થીમ અંતર્ગત વિશ્વ યોગ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. સુરત જિલ્લાકક્ષાની ઉજવણીમાં સ્વસ્થ ગુજરાત મેદસ્વિતામુક્ત ગુજરાતની થીમ પર કેન્દ્રિત રહી હતીજેનો મુખ્ય ઉદ્દેશ્ય નાગરિકોને યોગ દ્વારા સ્વસ્થ જીવનશૈલી અપનાવવા પ્રેરિત કરવાનો હતો.

આ ઉજવણીમાં શહેરની સામાજિક સંસ્થાઓશાળા-કોલેજના વિદ્યાર્થીઓઅને પાલિકાના અધિકારીઓ-કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં લોકો ઉત્સાહભેર જોડાયા હતા. સુરત જિલ્લામાં યોગ દિવસની ઉજવણીમાં 3200થી વધુ સ્થળોએ અંદાજે 4.50 લાખથી વધુ નાગરિકો યોગમય બન્યા હતા. આ વિશાળ જનભાગીદારી યોગ પ્રત્યે લોકોમાં વધતી જાગૃતિ અને તેને દૈનિક જીવનનો ભાગ બનાવવાની ઈચ્છા દર્શાવે છે.

સામૂહિક યોગાભ્યાસ દ્વારા સમાજમાં સ્વાસ્થ્ય અને સુખાકારીનો સંદેશ ફેલાવવામાં આવ્યોજે એક પૃથ્વી એક શ્વાસના વૈશ્વિક સંદેશને મૂર્તિમંત કરે છે. સામૂહિક યોગાભ્યાસ કાર્યક્રમ સુરતના નાગરિકોની એકતા અને સ્વાસ્થ્ય પ્રત્યેની પ્રતિબદ્ધતાનું પ્રતીક બન્યો હતો. આ પ્રસંગે સાંસદ મુકેશ દલાલધારાસભ્યોકલેકટરપાલિકા કમિશ્નરપોલીસ કમિશનર સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.