સુરત : આપઘાતના બન્યા બે બનાવ,સચિન અને ડિંડોલીમાં કુમળીવયના યુવક યુવતીએ જીવનલીલા સંકેલી નાખતા ચકચાર

સુરત શહેરના સચિન અને ડિંડોલી વિસ્તારમાં કુમળીવયના યુવક યુવતીએ ગળે ફાંસો ખાઈને જીવનલીલા સંકેલી લીધી હતી,જેના કારણે પરિવારજનોમાં શોકનો માહોલ છવાય ગયો

New Update
  • આપઘાતની ઘટનામાં ચિંતાજનક વધારો

  • સચિન જીઆઇડીસીમાં યુવતીએ કર્યો આપઘાત

  • પ્રેમ સંબંધ અંગે ભાઈએ આપ્યો હતો ઠપકો

  • ડિંડોલીમાં માતાના ઠપકાથી યુવકે જીવનલીલા સંકેલી

  • 13 વર્ષના કિશોરે ભર્યું અંતિમ પગલુ 

સુરતમાં આપઘાતની ઘટનાઓમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે.સચિન અને ડિંડોલી વિસ્તારમાં કુમળીવયના યુવક યુવતીએ ગળે ફાંસો ખાઈને જીવનલીલા સંકેલી લીધી હતી,જેના કારણે પરિવારજનોમાં શોકનો માહોલ છવાય ગયો હતો.

સુરતના સચિન જીઆઇડીસીમાં રહેતા પરિવારની 15 વર્ષની કિશોરી કોઈ યુવકના પ્રેમમાં હતી,જોકે આ યુવતીને તેનો મોટો ભાઈ પ્રેમી સાથે જોઈ જતા ભાઈએ પોતાની નાની બહેનને ઠપકો આપ્યો હતો,પરંતુ આ વાત યુવતીને આઘાત જનક લાગી હતી,અને યુવતીએ અંતિમ પગલું ભર્યું હોવાનું કહેવામાં આવી રહ્યું છે,ઘટના અંગે સચિન જીઆઇડીસી પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.

જયારે અન્ય એક આપઘાતનો બનાવ સુરતના ડિંડોલી વિસ્તારમાં નવાગામ સ્થિત કેશવ નગરથી પ્રકાશમાં આવ્યો હતો,જેમાં ધોરણ 7માં અભ્યાસ કરતા યુવકને માતાએ ભણવા માટે ઠપકો આપ્યો હતો,તેમજ માતાની આ વાત દીકરાને કડવી લાગી હતી,જેના કારણે યુવકે ઘરમાં લોખંડની એંગલ સાથે  દુપટ્ટો બાંધીને ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો,ઘટનાને પગલે પરિવારજનોમાં શોકનો માહોલ છવાય ગયો હતો.ઘટના સંદર્ભે ડિંડોલી પોલીસ દ્વારા ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.

Read the Next Article

સુરતના ઇતિહાસની પ્રથમ ઘટના..! : કારની અડફેટે શ્વાનને કચડી મારનાર અજાણ્યા કારચાલક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાય...

સુરતના અડાજણ વિસ્તારમાં અજાણ્યા વાહન ચાલકે શ્વાનને અડફેટમાં લીધું હતું. જેના પગલે શ્વાનને શરીરના ભાગે ગંભીર ઇજા પહોચતા તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

New Update
  • અડાજણ વિસ્તારમાં એક કાર ચાલક બન્યો બેફામ

  • કારની અડફેટમાં લેતા શ્વાનનું ઘટનાસ્થળે જ મોત

  • બનાવના પગલે આસપાસથી લોકોના ટોળાં એકત્ર

  • એક જાગૃત નાગરિકે અડાજણ પોલીસને જાણ કરી

  • અજાણ્યા કાર ચાલક વિરુદ્ધ ગુન્હો દાખલ કરાયો

સુરત શહેરના અડાજણ વિસ્તારમાં કારની અડફેટે શ્વાનનું મોત નિપજતા પોલીસ મથકે ફરિયાદ નોંધાય હોવાનો સુરતમાંથી પ્રથમ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આજીવન સૃષ્ટિમાં દરેકને જીવવાનો અધિકાર છે. તેવામાં સુરતમાંથી મૂંગા પશુઓ પર થયેલ અત્યાચારની વધુ એક ઘટના સામે આવી છે. જેમાં એક રખડતા શ્વાન પર કાર ચલાવી તેને મોતને ઘાટ ઉતારવામાં આવ્યું હતું. અડાજણ વિસ્તારમાં રાત્રિના સમયે અજાણ્યા વાહન ચાલકે શ્વાનને અડફેટમાં લીધું હતું. જેના પગલે શ્વાનને શરીરના ભાગે ગંભીર ઇજા પહોચતા તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

બનાવના પગલે આસપાસના લોકો ભેગા થયા હતાજ્યાં એક જાગૃત નાગરિક દ્વારા આ મામલે પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે ઘટના સ્થળ પર પહોંચી પંચનામું કરી મૃત શ્વાનને પોસ્ટમોર્ટમ અર્થે સરકારી પશુ ચિકિત્શાલય ખસેડ્યું હતું. આ સાથે જ અડાજણ પોલીસે આ બાબતે અજાણ્યા કાર ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.