સુરત: સચિન ભેસ્તાન રેલવે ટ્રેક વચ્ચે ત્રણ મિત્રોના ટ્રેન અડફેટે કમકમાટીભર્યા મોતથી અરેરાટી વ્યાપી

સુરતમાં રોજગારી અર્થે ઉત્તર પ્રદેશથી આવેલા ત્રણ મિત્રો રેલવે ટ્રેક ઓળંગતી વખતે ટ્રેનની અડફેટમાં આવી જતા કરુણ મોતને ભેટ્યા હતા.સર્જાયેલી ઘટનાને પગલે પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ હતી.

New Update
  • સુરતમાં ટ્રેન અડફેટે ત્રણ યુવા મિત્રોના મોત 

  • ત્રણ દિવસ અગાઉ જ વતનથી રોજગારી માટે આવ્યા હતા 

  • યુપીથી રોજગારી અર્થે આવેલા યુવાનોને કાળ ભરખી ગયો

  • રેલવે ટ્રેક પરથી પસાર થતી વખતે સર્જાઈ દુર્ઘટના 

  • રેલવે પોલીસે અકસ્માત મોતનો ગુન્હો નોંધી શરૂ કરી તપાસ 

સુરતમાં રોજગારી અર્થે ઉત્તર પ્રદેશથી આવેલા ત્રણ મિત્રો રેલવે ટ્રેક ઓળંગતી વખતે ટ્રેનની અડફેટમાં આવી જતા કરુણ મોતને ભેટ્યા હતા.સર્જાયેલી ઘટનાને પગલે પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ હતી.

ઉત્તર પ્રદેશના કાનપુરના વતની અને સચિન વિસ્તારમાં રહેતા આકાશ ઉર્ફે બળકુ શ્રીપાલ નિશાદ,દિનુ વિશ્રામ નિશાદ અને પ્રમોદ નિશાદ બે-ત્રણ દિવસ પહેલા જ વતનથી સુરતમાં સચિન ખાતે રોજગારી અર્થે આવ્યા હતા. હજી તો ત્રણેય મિત્રો જરીના કારખાનામાં નોકરી નક્કી કરવા માટે જવાના હતા.જોકે મંગળવારે રાત્રે તેઓ સચિન નજીક રેલવે ટ્રેક પર પસાર થતા હતા. ત્યારે મોડી રાત્રે વડનગર વલસાડ એક્સપ્રેસ ટ્રેનની અડફેટમાં આવી જતા ત્રણેયના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નિપજ્યા હતા.બનાવની જાણ થતા રેલવે પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને તપાસ શરૂ કરી હતી.યુવકોની ઓળખ થયા બાદ પરિવારને જાણ કરવામાં આવી હતી.બનાવ અંગે રેલવે પોલીસે અકસ્માત મોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે. 

Read the Next Article

સુરત : સંતાનોની ફી સહાય મેળવવા રત્નકલાકાર સહાય પેકેજ યોજના, 300 સ્કૂલમાં 65 હજાર ફોર્મ ભરાયા...

સુરતના ડાયમંડ ઉદ્યોગના ઈતિહાસમાં પહેલી વખત સૌથી લાંબી મંદી ચાલી છે. છેલ્લાં 3 વર્ષથી મંદી હોવાથી અનેક રત્નકલાકારો આર્થિક રીતે મુશ્કેલીમાં મુકાયા હતા

New Update
  • રત્ન કલાકારો માટે સહાય યોજનાની પ્રક્રિયા પૂર્ણ

  • 55 હજારથી વધુ રત્ન કલાકારોએ ભર્યા હતા ફોર્મ

  • પોતાના બાળકોની ફી માટે ફોર્મ ભરવામાં આવ્યા

  • વિદ્યાર્થી દીઠ રૂ. 13,500 ચૂકવવા સરકારનો નિર્ણય

  • તમામ ફોર્મ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાં જમા કરાવાયા

સુરત શહેર તથા જિલ્લામાં રત્નકલાકારોના સંતાનોની ફી ભરવા માટે રાજ્ય સરકારે જાહેર કરેલી સહાય યોજનામાં 300 સ્કૂલના 55 હજારથી વધુ રત્નકલાકારોએ 65 હજાર ફોર્મ ભર્યાં છે. હવે ડાયમંડ એસોસિએશનમાંથી ભલામણ પત્રો મેળવ્યા બાદ ફોર્મની સ્ક્રુટિની કરી ચકાસણી કરવામાં આવશે.

સુરતના ડાયમંડ ઉદ્યોગના ઈતિહાસમાં પહેલી વખત સૌથી લાંબી મંદી ચાલી છે. છેલ્લાં 3 વર્ષથી મંદી હોવાથી અનેક રત્નકલાકારો આર્થિક રીતે મુશ્કેલીમાં મુકાયા હતા. જેથી રત્કલાકારોને રાહત આપવા માટે રાજ્ય સરકાર દ્વારા સહાય યોજના જાહેર કરવામાં આવી હતી. જેમાં જે રત્નકલાકારોની 31 માર્ચ-2024 પહેલાં ડાયમંડ ઉદ્યોગમાંથી નોકરી છૂટી ગઈ હોય તેમના સંતાનોની એક વર્ષની મહત્તમ 13,500 રૂપિયા ફી ચૂકવવા માટે સરકાર દ્વારા યોજના જાહેર કરવામાં આવી હતી.

તા. 23 જુલાઇ સુધી ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હતોત્યારે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા ફોર્મ સહિતની કામગીરી કરવામાં આવી હતીજેમાં શહેરની અંદાજે 300 સ્કૂલના 55 હજાર રત્નકલાકારોએ સંતાનોની ફી ભરવા માટે 65 હજાર ફોર્મ ભર્યાં હતા. ગુરુવારે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હોવાથી હવે ફોર્મ સ્વિકારાશે નહીં. રોજગાર છૂટી ગયો હોય તેવા રત્નકલાકારોને વહેલી તકે આર્થિક સહાય મળે તે માટે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.

અપેક્ષા કરતાં વધારે ફોર્મ ભરાયાં છેજેને લઈને જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા રાજ્ય સરકાર પાસે ગ્રાન્ટ માંગવામાં આવશે. ત્યારબાદ જેમ જેમ સ્ક્રૂટિની થતી જશે તેમ તેમ સહાયની રકમ આપવામાં આવશે. તો બીજી તરફતમામ ફોર્મમાં ભલામણ પત્ર મેળવવા હવે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર ફોર્મને સુરત ડાયમંડ એસોસિએશનમાં મોકલશે. જેના માટે ઉદ્યોગ કેન્દ્ર ડાયમંડ એસોસિએશનને સ્ટાફ પણ ફાળવી આપશે. જે ડાયમંડ ફેક્ટરીમાંથી રત્નકલાકારની નોકરી છૂટી હોય તે કંપનીમાં કર્મચારી કામ કરતા હતા કેનહીં તેની ખરાઈ કર્યા બાદ ડાયમંડ એસોસિએશન ભલામણ પત્ર આપશે તેવું ડાયમંડ વર્કર યુનિયન તરફથી જાણવા મળ્યું છે.