સુરત : “એસટી આપના દ્વારે યોજના”ને સાંપડ્યો જન પ્રતિસાદ, ST બસો મારફતે હજારો લોકો પોતાના વતન પહોંચ્યા...

સુરતને કર્મભૂમિ બનાવી ચૂકેલા ગુજરાતના અલગ અલગ શહેર અને ગામડાના લોકો દિવાળીના તહેવાર નિમિત્તે વતન જતા હોય છે. આ લોકો માટે સુરત એસટી વિભાગ દ્વારા વધારાની બસો દોડાવવામાં આવતી હોય છે,

New Update

એસટી આપના દ્વારે યોજનાને સાંપડ્યો જન પ્રતિસાદ

ST બસો મારફતે હજારો લોકો પોતાના વતન પહોંચ્યા

એક્સ્ટ્રા બસના કારણે એસટી વિભાગની તિજોરી છલકાઈ

સુરત એસટી વિભાગને 2.56 કરોડ રૂપિયાની આવક થઈ

એસટી સેવાનો અનેક મુસાફરોએ લીધો જબરદસ્ત લાભ

સુરતને કર્મભૂમિ બનાવી ચૂકેલા ગુજરાતના અલગ અલગ શહેર અને ગામડાના લોકો દિવાળીના તહેવાર નિમિત્તે વતન જતા હોય છે. આ લોકો માટે સુરત એસટી વિભાગ દ્વારા વધારાની બસો દોડાવવામાં આવતી હોય છેત્યારે છેલ્લા 5 દિવસથી આ બસો મારફતે હજારો લોકો પોતાના વતન પહોંચ્યા છે.

સુરત એસટી વિભાગને ચાલુ વર્ષે પણ દિવાળી ફળી છે. દિવાળી પહેલા દોડાવાયેલી સ્પેશિયલ બસને કારણે સુરત એસટી વિભાગની તિજોરી છલકાઈ ગઈ હતી. તા. 26મી ઓક્ટોબરથી 30મી ઓક્ટોબર સુધી એસટી વિભાગે 1359 બસો દોડાવી 2.56 કરોડ રૂપિયાની આવક રળી છે. સૌથી વધુ 419 ટ્રિપ ઝાલોદ અને બીજા ક્રમે 224 ટ્રિપ દાહોદની દોડાવાઈ છેજ્યારે ગ્રૂપ બુકિંગની 292 બસ પણ દોડાવવામાં આવી હતી. ગતરોજ એક જ દિવસમાં 500થી વધુ બસ એસટી વિભાગ દ્વારા ઉપાડવામાં આવી હતી. જેમાં 41 હજારથી વધુ લોકો પોતાના વતન પહોંચ્યા હતા. છેલ્લા 5 દિવસમાં 1359 જેટલી વધુ બસ 5.17 લાખ કિમી દોડાવવાથી સુરત એસટી વિભાગને 2.56 કરોડ રૂપિયાની આવક થઈ છે. સુરત એસટી વિભાગ દ્વારા એસટી આપના દ્વારે યોજના અંતર્ગત ગ્રૂપ બુકિંગ થકી સુરતની સોસાયટીમાંથી બેસાડી વતનના ગામ સુધી મુસાફરોને પહોંચાડવાનો આરંભ કરાયો ત્યારથી અનેક મુસાફરો આ સેવાનો જબરદસ્ત લાભ લઈ રહ્યા છે.

Read the Next Article

સુરત : ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટ થતાં ફાટી નીકળેલી આગને બુઝાવતી વેળા વધુ એક બ્લાસ્ટ, 2 ફાયરના જવાનો ઘાયલ

મળતી માહિતી અનુસાર, સુરત શહેરના પુણા વિસ્તારમાં આવેલી સીતાનગર ચોકડી પાસે વિક્રમનગર સોસાયટી આવેલી છે, જ્યાં 3 માળનું એક મકાન આવેલું છે.

New Update
  • પુણા વિસ્તારના એક મકાનના ત્રીજા માળે આગ લાગી

  • ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થઈ આગ ફાટી નીકળતા દોડધામ

  • ઘટના સ્થળે દોડી આવેલા ફાયરના જવાનોને પણ ઇજા

  • આગ બુઝાવવાની કામગીરી દરમ્યાન સિલિન્ડર બ્લાસ્ટ

  • ગંભીર રીતે ઇજાગ્રસ્ત ફાયરના 2 જવાનો સારવાર હેઠળ

સુરત શહેરના પુણા વિસ્તારમાં એક મકાનના ત્રીજા માળે ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતાં આગ ફાટી નીકળી હતી. બનાવના પગલે ઘટના સ્થળે દોડી આવેલા ફાયરના જવાનો આગ બુઝાવવાની કામગીરી કરી રહ્યા હતાતે દરમિયાન અન્ય સિલિન્ડર બ્લાસ્ટ થતાં ફાયર વિભાગના 2 જવાનોને ગંભીર ઈજા પહોચી હતી.

મળતી માહિતી અનુસારસુરત શહેરના પુણા વિસ્તારમાં આવેલી સીતાનગર ચોકડી પાસે વિક્રમનગર સોસાયટી આવેલી છેજ્યાં 3 માળનું એક મકાન આવેલું છે. જેમાં ત્રીજા માળે કેટલાક રૂમ કામદારોને ભાડે આપવા માટે બનાવવામાં આવ્યા છે. જેમાં એમ્બ્રોડરીના ખાતા અને હીરામાં કામ કરતા કામદારો રહે છેત્યારે સવારના સમયે કામ અર્થે જવા માટે રૂમમાં રહેલા કારીગર ઉઠ્યા હતાઅને રસોઈ બનાવવાની કામગીરી શરૂઆત કરે તે પહેલા જ ગેસ સિલિન્ડર લીકેજ હોવાથી આગ ફાટી નીકળી હતી. જોકેરૂમમાં રહેલા તમામ કામદારો બહાર નીકળી ગયા હતા.

બનાવના પગલે પુણાકાપોદ્રા અને ડુંભાલ ફાયર સ્ટેશનની 6 જેટલી ગાડીઓ ઘટનાસ્થળે દોડી આવી હતી. ત્યારબાદ ત્રીજા માળે ફાયરના જવાનો પહોંચ્યા હતા. આ દરમિયાન ગેસ સિલિન્ડર સળગી રહ્યો હતો. આ સમયે અચાનક જ અન્ય એક ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટ થયો હતો. જેના પગલે આગ બુઝાવવાની કામગીરી કરવા પહોંચેલા ફાયરના 2 જવાનો ઇજાગ્રસ્ત થયા હતા. ઈજાગ્રસ્ત જવાનોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તો બીજી તરફ ફાયરના જવાનોએ સિલિન્ડર બ્લાસ્ટથી લાગેલી આગ ઉપર પાણીનો મારો ચલાવી કાબૂમાં લીધી હતી.