સુરત : “એસટી આપના દ્વારે યોજના”ને સાંપડ્યો જન પ્રતિસાદ, ST બસો મારફતે હજારો લોકો પોતાના વતન પહોંચ્યા...

સુરતને કર્મભૂમિ બનાવી ચૂકેલા ગુજરાતના અલગ અલગ શહેર અને ગામડાના લોકો દિવાળીના તહેવાર નિમિત્તે વતન જતા હોય છે. આ લોકો માટે સુરત એસટી વિભાગ દ્વારા વધારાની બસો દોડાવવામાં આવતી હોય છે,

New Update

એસટી આપના દ્વારે યોજનાને સાંપડ્યો જન પ્રતિસાદ

ST બસો મારફતે હજારો લોકો પોતાના વતન પહોંચ્યા

એક્સ્ટ્રા બસના કારણે એસટી વિભાગની તિજોરી છલકાઈ

સુરત એસટી વિભાગને 2.56 કરોડ રૂપિયાની આવક થઈ

એસટી સેવાનો અનેક મુસાફરોએ લીધો જબરદસ્ત લાભ

સુરતને કર્મભૂમિ બનાવી ચૂકેલા ગુજરાતના અલગ અલગ શહેર અને ગામડાના લોકો દિવાળીના તહેવાર નિમિત્તે વતન જતા હોય છે. આ લોકો માટે સુરત એસટી વિભાગ દ્વારા વધારાની બસો દોડાવવામાં આવતી હોય છેત્યારે છેલ્લા 5 દિવસથી આ બસો મારફતે હજારો લોકો પોતાના વતન પહોંચ્યા છે.

સુરત એસટી વિભાગને ચાલુ વર્ષે પણ દિવાળી ફળી છે. દિવાળી પહેલા દોડાવાયેલી સ્પેશિયલ બસને કારણે સુરત એસટી વિભાગની તિજોરી છલકાઈ ગઈ હતી. તા. 26મી ઓક્ટોબરથી 30મી ઓક્ટોબર સુધી એસટી વિભાગે 1359 બસો દોડાવી 2.56 કરોડ રૂપિયાની આવક રળી છે. સૌથી વધુ 419 ટ્રિપ ઝાલોદ અને બીજા ક્રમે 224 ટ્રિપ દાહોદની દોડાવાઈ છેજ્યારે ગ્રૂપ બુકિંગની 292 બસ પણ દોડાવવામાં આવી હતી. ગતરોજ એક જ દિવસમાં 500થી વધુ બસ એસટી વિભાગ દ્વારા ઉપાડવામાં આવી હતી. જેમાં 41 હજારથી વધુ લોકો પોતાના વતન પહોંચ્યા હતા. છેલ્લા 5 દિવસમાં 1359 જેટલી વધુ બસ 5.17 લાખ કિમી દોડાવવાથી સુરત એસટી વિભાગને 2.56 કરોડ રૂપિયાની આવક થઈ છે. સુરત એસટી વિભાગ દ્વારા એસટી આપના દ્વારે યોજના અંતર્ગત ગ્રૂપ બુકિંગ થકી સુરતની સોસાયટીમાંથી બેસાડી વતનના ગામ સુધી મુસાફરોને પહોંચાડવાનો આરંભ કરાયો ત્યારથી અનેક મુસાફરો આ સેવાનો જબરદસ્ત લાભ લઈ રહ્યા છે.

Read the Next Article

સુરતના ઇતિહાસની પ્રથમ ઘટના..! : કારની અડફેટે શ્વાનને કચડી મારનાર અજાણ્યા કારચાલક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાય...

સુરતના અડાજણ વિસ્તારમાં અજાણ્યા વાહન ચાલકે શ્વાનને અડફેટમાં લીધું હતું. જેના પગલે શ્વાનને શરીરના ભાગે ગંભીર ઇજા પહોચતા તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

New Update
  • અડાજણ વિસ્તારમાં એક કાર ચાલક બન્યો બેફામ

  • કારની અડફેટમાં લેતા શ્વાનનું ઘટનાસ્થળે જ મોત

  • બનાવના પગલે આસપાસથી લોકોના ટોળાં એકત્ર

  • એક જાગૃત નાગરિકે અડાજણ પોલીસને જાણ કરી

  • અજાણ્યા કાર ચાલક વિરુદ્ધ ગુન્હો દાખલ કરાયો

સુરત શહેરના અડાજણ વિસ્તારમાં કારની અડફેટે શ્વાનનું મોત નિપજતા પોલીસ મથકે ફરિયાદ નોંધાય હોવાનો સુરતમાંથી પ્રથમ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આજીવન સૃષ્ટિમાં દરેકને જીવવાનો અધિકાર છે. તેવામાં સુરતમાંથી મૂંગા પશુઓ પર થયેલ અત્યાચારની વધુ એક ઘટના સામે આવી છે. જેમાં એક રખડતા શ્વાન પર કાર ચલાવી તેને મોતને ઘાટ ઉતારવામાં આવ્યું હતું. અડાજણ વિસ્તારમાં રાત્રિના સમયે અજાણ્યા વાહન ચાલકે શ્વાનને અડફેટમાં લીધું હતું. જેના પગલે શ્વાનને શરીરના ભાગે ગંભીર ઇજા પહોચતા તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

બનાવના પગલે આસપાસના લોકો ભેગા થયા હતાજ્યાં એક જાગૃત નાગરિક દ્વારા આ મામલે પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે ઘટના સ્થળ પર પહોંચી પંચનામું કરી મૃત શ્વાનને પોસ્ટમોર્ટમ અર્થે સરકારી પશુ ચિકિત્શાલય ખસેડ્યું હતું. આ સાથે જ અડાજણ પોલીસે આ બાબતે અજાણ્યા કાર ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.