સુરત : “એસટી આપના દ્વારે યોજના”ને સાંપડ્યો જન પ્રતિસાદ, ST બસો મારફતે હજારો લોકો પોતાના વતન પહોંચ્યા...

સુરતને કર્મભૂમિ બનાવી ચૂકેલા ગુજરાતના અલગ અલગ શહેર અને ગામડાના લોકો દિવાળીના તહેવાર નિમિત્તે વતન જતા હોય છે. આ લોકો માટે સુરત એસટી વિભાગ દ્વારા વધારાની બસો દોડાવવામાં આવતી હોય છે,

New Update

એસટી આપના દ્વારે યોજનાને સાંપડ્યો જન પ્રતિસાદ

Advertisment

ST બસો મારફતે હજારો લોકો પોતાના વતન પહોંચ્યા

એક્સ્ટ્રા બસના કારણે એસટી વિભાગની તિજોરી છલકાઈ

સુરત એસટી વિભાગને 2.56 કરોડ રૂપિયાની આવક થઈ

એસટી સેવાનો અનેક મુસાફરોએ લીધો જબરદસ્ત લાભ

સુરતને કર્મભૂમિ બનાવી ચૂકેલા ગુજરાતના અલગ અલગ શહેર અને ગામડાના લોકો દિવાળીના તહેવાર નિમિત્તે વતન જતા હોય છે. આ લોકો માટે સુરત એસટી વિભાગ દ્વારા વધારાની બસો દોડાવવામાં આવતી હોય છેત્યારે છેલ્લા 5 દિવસથી આ બસો મારફતે હજારો લોકો પોતાના વતન પહોંચ્યા છે.

સુરત એસટી વિભાગને ચાલુ વર્ષે પણ દિવાળી ફળી છે. દિવાળી પહેલા દોડાવાયેલી સ્પેશિયલ બસને કારણે સુરત એસટી વિભાગની તિજોરી છલકાઈ ગઈ હતી. તા. 26મી ઓક્ટોબરથી 30મી ઓક્ટોબર સુધી એસટી વિભાગે 1359 બસો દોડાવી 2.56 કરોડ રૂપિયાની આવક રળી છે. સૌથી વધુ 419 ટ્રિપ ઝાલોદ અને બીજા ક્રમે 224 ટ્રિપ દાહોદની દોડાવાઈ છેજ્યારે ગ્રૂપ બુકિંગની 292 બસ પણ દોડાવવામાં આવી હતી. ગતરોજ એક જ દિવસમાં 500થી વધુ બસ એસટી વિભાગ દ્વારા ઉપાડવામાં આવી હતી. જેમાં 41 હજારથી વધુ લોકો પોતાના વતન પહોંચ્યા હતા. છેલ્લા 5 દિવસમાં 1359 જેટલી વધુ બસ 5.17 લાખ કિમી દોડાવવાથી સુરત એસટી વિભાગને 2.56 કરોડ રૂપિયાની આવક થઈ છે. સુરત એસટી વિભાગ દ્વારા એસટી આપના દ્વારે યોજના અંતર્ગત ગ્રૂપ બુકિંગ થકી સુરતની સોસાયટીમાંથી બેસાડી વતનના ગામ સુધી મુસાફરોને પહોંચાડવાનો આરંભ કરાયો ત્યારથી અનેક મુસાફરો આ સેવાનો જબરદસ્ત લાભ લઈ રહ્યા છે.

Advertisment
Read the Next Article

સુરત : સીટી બસના ડ્રાઈવરો-કંડક્ટરો દ્વારા મુસાફરોને કરાતી હેરાનગતી, FIR દાખલ કરાશે : મેયર દક્ષેશ માવાણી

સીટી બસના ડ્રાઈવર અને કંડકટરો દ્વારા મુસાફરોને પરેશાન કરતા હોવાની ફરિયાદો ઉઠી છે. સમગ્ર મામલે સુરત મહાનગરપાલિકા દ્વારા કાર્યવાહી કરવામાં આવી

New Update
  • શહેરભરના વિસ્તારોમાં દોડતી સીટી બસ સેવા

  • સીટી બસ સેવા ફરી એકવાર વિવાદમાં આવી

  • ડ્રાઈવર અને કંડકટરો દ્વારા કરાતી હેરાનગતી

  • મુસાફરોને પરેશાન કરતા હોવાની ફરિયાદો ઉઠી

  • 218 બસ ડ્રાઈવર સામે કડક કાર્યવાહી કરાય 

Advertisment

સુરત શહેરમાં સીટી બસના ડ્રાઈવર અને કંડક્ટરો દ્વારા મુસાફરોને પરેશાન કરવામાં આવતા હોવાની ફરિયાદોને લઈને FIR દાખલ કરવા સુધી મનપા તંત્રએ તૈયારી બતાવી છે.

સુરત શહેરના વિવિધ વિસ્તારોમાં દોડતી સીટી બસ સેવા ફરી એકવાર વિવાદમાં આવી છે. જેમાં સીટી બસના ડ્રાઈવર અને કંડકટરો દ્વારા મુસાફરોને પરેશાન કરતા હોવાની ફરિયાદો ઉઠી છે. સમગ્ર મામલે સુરત મહાનગરપાલિકા દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. છેલ્લા 17 મહિનામાં 1032 કંડકટરોને બ્લેક લિસ્ટ કરવામાં આવ્યા છે. જેમાં સૌથી વધુ ટિકિટ નહીં આપવાની ફરિયાદ લોકોએ કરી હતીજ્યારે 218 બસ ડ્રાઈવર સામે પણ ગંભીર કાર્યવાહી કરવામાં આવી છે.

 વધુમાં ગત વર્ષે સર્જાયેલા બસ અકસ્માત બાદ પણ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કેપાલિકા કરોડો રૂપિયા ખર્ચે છે. પરંતુ ટિકિટના દુષણના લીધે મોટું નુકશાન થઈ રહ્યું છેત્યારે હવે જે તે એજન્સીને બ્લેક લિસ્ટ કરવી તેમજ લાઇસન્સ સસ્પેન્સ કરવા સાથે FIR દાખલ કરવામાં આવશે તેવું મેયર દક્ષેશ માવાણીએ જણાવ્યુ હતું.

Advertisment