-
બેરોજગાર રત્ન કલાકારો માટે સહાય પેકેજની જાહેરાત
-
રાજ્ય સરકાર દ્વારા રત્ન કલાકારોના બાળકો માટે નિર્ણય
-
રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ વિસ્તૃત માહિતી આપી
-
રત્ન કલાકારોના બાળકોની 1 વર્ષની શિક્ષણ ફી ચૂકવાશે
-
નાના ઉદ્યોગોને લોન પર 9% 3 વર્ષ સુધી વ્યાજ સહાય
રાજ્યમાં બેરોજગાર રત્ન કલાકારોના આપઘાતની ઘટના અને હીરા ઉદ્યોગમાં ચાલતી મંદીને ડામવા ગુજરાત સરકારે મહત્વનો નિર્ણય લીધો છે, ત્યારે સુરત ખાતેથી રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આ યોજના અંગે વિસ્તૃત માહિતી આપી હતી.
ડાયમંડ ઉદ્યોગના 50 વર્ષમાં છેલ્લાં 3 વર્ષથી સૌથી લાંબી મંદી ચાલી રહી છે, જેને લઈને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ગત તા. 11 માર્ચે ઓલ ગુજરાત ડાયમંડ એસોસિએશના હોદ્દેદારો સાથે બેઠક યોજીને રત્ન કલાકારોના હિતમાં નિર્ણય લેવાની જાહેરાત કરી હતી. આ મિટિંગના 74 દિવસ બાદ આખરે રાજ્ય સરકારે બેરોજગાર રત્ન કલાકારો માટે રાહત પેકેજ જાહેર કર્યું છે.
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પેકેજની જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, રત્ન કલાકારના સંતાનની એક વર્ષની શિક્ષણ ફી વધુમાં વધુ 13,500 સુધીની માફ કરવામાં આવશે. આ ફી સરકાર DBT મારફત ટ્રાન્સફર કરશે, જ્યારે નાના ઉદ્યોગોને 5 લાખની લોન પર 9%ની 3 વર્ષ સુધી વ્યાજ સહાય તથા વીજ ડ્યૂટીમાં એક વર્ષની રાહત અપાશે.
વધુમાં તેઓએ જણાવ્યુ હતું કે, કોઈપણ રત્ન કલાકારોને નોકરી મેળવવા માટે અવ્યવસ્થા ન થાય તે માટેની સુવિધા ઉભી કરવામાં આવી છે તેજી-મંદી વેપારનો ભાગ છે. મંદી પણ દૂર થશે, જ્યારે મંદી હોય ત્યારે રાજ્ય સરકારે રત્ન કલાકારોને રાહત આપવા આ નિર્ણય લીધો છે. જેમાં તા. 31 માર્ચ-2024 પછી કામ ન મળ્યું હોય તેમજ જેમને છુટા કર્યા હોય તેવા રત્ન કલાકારોને સરકારની સહાયનો લાભ મળશે.