/connect-gujarat/media/post_banners/6b14d8a54d1d802c67bc31f2dd439c36d352b9b6d038563ef7ce6bdba67cfe62.jpg)
સુરતના પાંડેસરા વિસ્તારમાં નાગસેન નગર ખાતે આવેલ બુદ્ધ વિહારના વિદ્યાર્થીઓ દ્વારા છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી હતી.
દેશભરમાં છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જયંતિ ની ઉજવણી કરવામાં આવે છે અને ખાસ કરીને મહારાષ્ટ્રમાં પણ ધામધૂમથી છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતિ ઉજવણી થતી હોય છે ત્યારે સુરતમાં મહારાષ્ટ્રીયન સમાજના લોકો મોટા પ્રમાણમાં વસવાટ કરે છે. પાંડેસરા વિસ્તારમાં આવેલા નાગસેન નગર બુદ્ધ વિહારના વિદ્યાર્થીઓ દ્વારા છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જયંતી નિમિત્તે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.આ પ્રસંગે છત્રપતિ શિવાજી મહારાજના જીવન ચરિત્ર ઉપર ૧૧ જેટલા બાળકોએ સામાજિક પ્રબોધન કરી લોકોને છત્રપતિ શિવાજી મહારાજના જીવન વિશે માહિતગાર કર્યા હતા.