સુરત:પતિના અન્ય મહિલા સાથેના અનૈતિક સંબંધોથી ત્રસ્ત પત્નીએ પ્રેમિકાને મોતને ઘાટ ઉતારી દીધી

સુરતમાં પતિનું અન્ય યુવતી સાથે અફેર હોવાની જાણ પત્નીને થઇ જતા પત્ની રણચંડી બની હતી.અને પતિની પ્રેમિકાના ઘરે જઈ ઝઘડો કરી ઝપાઝપી કરી હતી.

New Update

સુરતમાં પતિ પત્ની ઓર વો નો કિસ્સો

પતિના હતા અન્ય મહિલા સાથે અનૈતિક સંબંધ

પત્નીને સંબંધની જાણ થતા ક્રોધે ભરાય 

પ્રેમિકાના ઘરે જઈને કર્યો હતો ઝગડો 

પ્રેમિકાને ધક્કો મારતા શેટ્ટીમાં ભટકાયું માથું  

ગંભીર ઇજાના પગલે પ્રેમિકા મોતને ભેટી 

પોલીસે કરી મહિલા આરોપીની ધરપકડ 

સુરતમાં પતિનું અન્ય યુવતી સાથે અફેર હોવાની જાણ પત્નીને થઇ જતા પત્ની રણચંડી બની હતી.અને પતિની પ્રેમિકાના ઘરે જઈ ઝઘડો કરી ઝપાઝપી કરી હતી. આ દરમિયાન પ્રેમિકા યુવતીને ધક્કો મારતા તેને શેટ્ટીનો ખૂણો માથામાં વાગી જતા મોત નીપજ્યું હતું. પોલીસે આરોપી પત્નીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સુરતમાં પતિ પત્ની અને વો નાં કિસ્સામાં જાણવા મળતી વિગતો અનુસાર મૂળ જૂનાગઢના અને પાસોદરા ઓમ ટાઉનશીપ વિભાગ -માં રહેતા ચંદુ જીવા કાછા રત્નકલાકાર છે. પરિવારમાં પત્ની હર્ષા અને બે બાળકો સાથે રહે છે.તેની પત્ની હર્ષા સિલાઈ કામ કરીને પરિવારને સહાયરૂપ થાય છે.ચંદુ કાછા અગાઉ સુરત કતારગામમાં રહેતો હતો.ત્યારે વેડરોડ હરિઓમ સોસાયટીમાં રહેતી કૈલાસ સાથે પ્રેમ થયો હતો.જોકે બાદમાં ચંદુના લગ્ન હર્ષા સાથે થયા હતા.જ્યારે કૈલાસના લગ્ન સાવરકુંડલામાં રહેતા રાજેશ કલસરીયા સાથે થયા હતા. જોકે, તેમની વચ્ચે મનમેળ ન થતા કૈલાસ છુટાછેડા લઇને સુરત પિતાનાં ઘરે આવી ગઈ હતી. બે વર્ષ સુધી ભાઈના ઘરે રહ્યા બાદ અલગ રહેતી હતી.બીજી તરફ ચંદુ અને કૈલાસનો પ્રેમ ચાલુ રહ્યો હતો અને એકબીજાને મળતા રહેતા હતા. આ બાબતની જાણ ચંદુની પત્ની હર્ષાને થતા તેમની વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા. બે દિવસ પહેલા પણ આ બાબતે ઝઘડો થતા હર્ષા ગુસ્સે ભરાઈ હતી અને 27મી ના રોજ સાંજે ચારેક વાગ્યાના અરસામાં હર્ષા પ્રેમિકા કૈલાસના ઘરે પહોંચી ગઇ હતી. જ્યાં બંને વચ્ચે ઝઘડો થતા તેમની વચ્ચે ઝપાઝપી થઇ હતી.અને આ દરમિયાન કૈલાશને ધક્કો વાગતા તેનું માથું લાકડાની શેટ્ટી સાથે ભટકાયું હતું,જે ઘટનાથી ગભરાઈ જઈને હર્ષાએ દરવાજાને લોક મારીને ભાગી ગઈ હતી.ઘટના અંગે પાડોશીને શંકા જતા તેઓએ મૃતકના ભાઈ ભરત જીકાદરાને જાણ કરી હતી,અને તેઓએ દરવાજો તોડીને ઘટના અંગે પોલીસને જાણ કરી હતી,પોલીસે આરોપી વર્ષા કાછાની ધરપકડ કરી હતી,અને વધુ તપાસ શરૂ કરી હતી. 

Read the Next Article

સુરત : શહેર ભવ્ય તિરંગા યાત્રામાં તરબોળ, "હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતાની" થીમ પર હજારો લોકો ઉમટ્યા

દેશના સ્વતંત્રતા દિવસની ઉજવણીના ભાગરૂપે યોજાયેલી આ યાત્રાને કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર. પાટીલ અને રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ધ્વજ  લહેરાવી પ્રસ્થાન કરાવવામાં આવ્યું

New Update
  • ભવ્ય તિરંગા યાત્રાનું કરાયું આયોજન

  • યાત્રામાં હર ઘર તિરંગા,હર ઘર સ્વચ્છતાની થીમ

  • 1.8 કિ.મી લાંબા રૂટને પેઇન્ટિંગ્સથી શણગારવામાં આવ્યો

  • કેન્દ્રીય મંત્રી અને ગૃહમંત્રીએ યાત્રાનું કરાયું પ્રસ્થાન

  • હાથમાં તિરંગો લઈને નાગરિકો જોડાયા યાત્રામાં  

સુરત શહેરના વાય જંક્શનથી આર.આર.મોલ સુધી મહાનગરપાલિકા દ્વારા ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. દેશના સ્વતંત્રતા દિવસની ઉજવણીના ભાગરૂપે યોજાયેલી આ યાત્રાને કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર. પાટીલ અને રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ધ્વજ  લહેરાવી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.

સુરત શહેર ભવ્ય તિરંગા યાત્રાના રંગે રંગાયું હતું.આ યાત્રામાં હજારોની સંખ્યામાં નાગરિકો હાથમાં તિરંગા લઈને રસ્તા પર ઉમટી પડ્યા હતાજેના કારણે જાણે આખું સુરત તિરંગાના રંગે રંગાઈ ગયું હોય તેવું અદ્ભુત દૃશ્ય સર્જાયું હતું.આ યાત્રા હર ઘર તિરંગાહર ઘર સ્વચ્છતાની થીમ પર આધારિત હતી.1.8 કિલોમીટર લાંબા રૂટને સુંદર ડેકોરેશન અને પેઇન્ટિંગ્સથી શણગારવામાં આવ્યો હતોજેને વાતાવરણમાં ઉત્સાહ અને દેશભક્તિનો માહોલ વધુ ઘેરો બનાવ્યો હતો.

તિરંગાયાત્રાનો શુભારંભ કરાવતા સીઆર પાટીલે જણાવ્યું હતું કે તિરંગા યાત્રાએ ગૌરવ યાત્રા છે.આઝાદી માટે અનેક લોકોએ શહીદી વહોરી છે,શહીદોના કુટુંબીજનોને યાદ કરીને તેમના પ્રત્યે સાંત્વના વ્યક્ત કરી હતી.