સુરત : મકરસંક્રાંતિ નિમિત્તે સુરતીલાલાઓએ માણી સ્વાદિષ્ટ ઉંધીયાની લિજ્જત

ઉંધીયુ જલેબી લેવા માટે શહેરનાં વિવિધ ફરસાણની દુકાનો પર સુરતીલાલાઓની ભીડ ઉમટી પડી હતી.અને ઉંધીયું જલેબી આરોગીને સ્વાદ શોખીનોએ ખુશી વ્યક્ત કરી હતી.

New Update
  • ઉત્તરાયણ પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી

  • સ્વાદ શોખીનોએ માણી ઉંધીયાની લિજ્જત

  • ઉંધીયું જલેબીની માંગમાં વધારો

  • ફરસાણની દુકાનો પર ઉમટી ભીડ

  • ગત વર્ષની સરખામણીએ ઉંધીયામાં 25 ટકા ભાવ વધારો 

સુરત ડાયમંડ શહેરની ઓળખ સાથે તેના ભોજન માટે માટે ખુબ પ્રખ્યાત છે,ત્યારે ઉત્તરાયણ પર્વમાં સ્વાદ શોખીનો ઉંધીયુ જલેબીનો લુફ્ત ઉઠાવીને તહેવારની ઉજવણીમાં મગ્ન બન્યા છે.

સુરત શહેરમાં મકરસંક્રાંતિ પર્વની ઉજવણીમાં લોકો મસ્ત બન્યા છે,પતંગ ઉડાવવાની મજાની સાથે સ્વાદિષ્ટ ઉંધીયુ જલેબીનો પણ સુરતીલાલાઓ એ લુફ્ત ઉઠાવ્યો છે.વહેલી સવારથી જ ઉંધીયુ જલેબી લેવા માટે શહેરનાં વિવિધ ફરસાણની દુકાનો પર સુરતીલાલાઓની ભીડ ઉમટી પડી હતી.અને ઉંધીયું જલેબી આરોગીને સ્વાદ શોખીનોએ ખુશી વ્યક્ત કરી હતી.

મંદી અને મોંઘવારી વચ્ચે પણ સુરતીલાલાઓ ઉત્તરાયણ પર્વની ધામધૂમથી ઉજવણી કરી રહ્યા છે.શાકભાજી તેમજ તેલના ભાવમાં વધારાની અસર આ વર્ષે ઉંધીયાના ભાવ પર પણ વર્તાય હતી,અને ગત વર્ષની સરખામણીએ આ વર્ષે 500 રૂપિયે કિલો ઉંધયું વેચાઈ રહ્યું છે.પરંતુ મંદી મોંઘવારીને માત આપીને પણ સુરતીઓએ ઉત્તરાયણની મોજથી ઉજવણી કરી હતી.

Read the Next Article

સુરત : રક્ષાબંધન નિમિત્તે બહેનો BRTS અને સીટી બસમાં વિનામુલ્યે કરી શકશે મુસાફરી : મેયર

રક્ષાબંધન પર્વ નિમિત્તે બહેનો પોતાના ભાઇના ઘરે સમયસર પહોંચી શકે તે માટે એસટી વિભાગ દ્વારા વિનામુલ્યે BRTS અને સીટી બસ સેવા શરૂ કરવામાં આવી છે.

New Update
  • રક્ષાબંધન પર્વને લઈને એસટી વિભાગનું આયોજન

  • BRTS - સીટી બસ વિનામુલ્યે બસ સેવા શરૂ કરાય

  • બહેનો ભાઇના ઘરે સમયસર પહોચે તેવું આયોજન

  • 15 વર્ષ સુધીના બાળકોને પણ ફ્રીમાં મુસાફરીની ભેટ

  • અનોખી ભેટ બદલ બહેનો મનપાનો આભાર માન્યો

રક્ષાબંધન પર્વ નિમિત્તે બહેનો પોતાના ભાઇના ઘરે સમયસર પહોંચી શકે તે માટે એસટી વિભાગ દ્વારા વિનામુલ્યેBRTS અને સીટી બસ સેવા શરૂ કરવામાં આવી છે.

આવતીકાલે તા. 09 ઓગસ્ટ શનિવાર એટલે કેરક્ષાબંધન પર્વને લઇને સુરત મહાનગરપાલિકા દ્વારા બહેનોને અનોખી ભેટ આપવામાં આવી છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ રક્ષાબંધન પર્વ નિમિત્તે બહેનો પોતાના ભાઇના ઘરે સમયસર પહોંચી શકે તે માટે વિનામુલ્યેBRTS અને સીટી બસમાં મુસાફરી કરી શકશે. એટલું જ નહીં15 વર્ષ સુધીના બાળકોને પણ ફ્રીમાં મુસાફરીની ભેટ આપવામાં આવી છે. સંચાલિત સિટી બસ સેવા શહેરીજનોને સસ્તી અને સુવિધાજનક સેવા પુરી પાડે છે. ત્યારે રક્ષાબંધનના પર્વને ધ્યાનમાં રાખીને મહાનગરપાલિકા દ્વારા મહિલાઓ માટે ખાસ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છેત્યારે સમગ્ર દિવસ દરમ્યાન સિટી બસમાં બહેનો માટે મફત મુસાફરીની ભેટ આપવામાં આવી છે.