-
ઉત્તરાયણ પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી
-
સ્વાદ શોખીનોએ માણી ઉંધીયાની લિજ્જત
-
ઉંધીયું જલેબીની માંગમાં વધારો
-
ફરસાણની દુકાનો પર ઉમટી ભીડ
-
ગત વર્ષની સરખામણીએ ઉંધીયામાં 25 ટકા ભાવ વધારો
સુરત ડાયમંડ શહેરની ઓળખ સાથે તેના ભોજન માટે માટે ખુબ પ્રખ્યાત છે,ત્યારે ઉત્તરાયણ પર્વમાં સ્વાદ શોખીનો ઉંધીયુ જલેબીનો લુફ્ત ઉઠાવીને તહેવારની ઉજવણીમાં મગ્ન બન્યા છે.
સુરત શહેરમાં મકરસંક્રાંતિ પર્વની ઉજવણીમાં લોકો મસ્ત બન્યા છે,પતંગ ઉડાવવાની મજાની સાથે સ્વાદિષ્ટ ઉંધીયુ જલેબીનો પણ સુરતીલાલાઓ એ લુફ્ત ઉઠાવ્યો છે.વહેલી સવારથી જ ઉંધીયુ જલેબી લેવા માટે શહેરનાં વિવિધ ફરસાણની દુકાનો પર સુરતીલાલાઓની ભીડ ઉમટી પડી હતી.અને ઉંધીયું જલેબી આરોગીને સ્વાદ શોખીનોએ ખુશી વ્યક્ત કરી હતી.
મંદી અને મોંઘવારી વચ્ચે પણ સુરતીલાલાઓ ઉત્તરાયણ પર્વની ધામધૂમથી ઉજવણી કરી રહ્યા છે.શાકભાજી તેમજ તેલના ભાવમાં વધારાની અસર આ વર્ષે ઉંધીયાના ભાવ પર પણ વર્તાય હતી,અને ગત વર્ષની સરખામણીએ આ વર્ષે 500 રૂપિયે કિલો ઉંધયું વેચાઈ રહ્યું છે.પરંતુ મંદી મોંઘવારીને માત આપીને પણ સુરતીઓએ ઉત્તરાયણની મોજથી ઉજવણી કરી હતી.