સુરત : ભગવાન શિવની ભક્તિ કરવા માટે નિસ્વાર્થ ભાવે કલાત્મક ઘીના કમળ બનાવવાની કામગીરી કરતો જરીવાલા પરિવાર

સુરતમાં પ્રકાશ જરીવાલા અને તેમનો પરિવાર છેલ્લા 45 વર્ષથી નિસ્વાર્થ ભાવે અનોખી રીતે ભગવાન શિવની ભક્તિ કરે છે.જેમાં તેઓ શુદ્ધ ઘી માંથી કલાત્મક કમળ તૈયાર કરવાની કામગીરી કરે છે.

New Update
  • મહાશિવરાત્રી નિમિત્તે ઘીના કમળની સેવા

  • જરીવાલા પરિવાર 45 વર્ષથી બનાવે છે ઘીના કમળ

  • શિવની ભક્તિ માટે નિસ્વાર્થ ભાવે કલાત્મક ઘીના કમળ બનાવે છે

  • શિવરાત્રીના 15 દિવસ અગાઉથી બનાવવામાં આવે છે ઘીના કમળ

  • શહેરના 25 જેટલા મંદરીમાં ઘીના કમળ કરાય છે અર્પણ

સુરતમાં પ્રકાશ જરીવાલા અને તેમનો પરિવાર છેલ્લા 45 વર્ષથી નિસ્વાર્થ ભાવે અનોખી રીતે ભગવાન શિવની ભક્તિ કરે છે.જેમાં તેઓ શુદ્ધ ઘી માંથી કલાત્મક કમળ તૈયાર કરવાની કામગીરી કરે છે. આ કલાત્મક કમળ શિવરાત્રીના રોજ ભગવાન શિવને અર્પણ કરવામાં આવે છે.  આ પરિવાર ભગવાન શિવની ભક્તિ કરવા માટે નિસ્વાર્થ ભાવે કલાત્મક ઘીના કમળ બનાવવાની કામગીરી કરી રહ્યો છે.

સુરતના સલાબતપુરા વિસ્તારમાં રહેતા પ્રકાશ જરીવાલા પોતાના પરિવાર સાથે 45 વર્ષથી ભગવાન શિવને ચઢાવવામાં આવતા ઘીના કમળ બનાવવાનું કામ નિસ્વાર્થ ભાવે કરે છે. પ્રકાશ બે પ્રકારના ઘીના કમળ પોતાના પરિવારના સભ્યો અને મિત્રો સાથે મળીને તૈયાર કરે છે.જેમાં એક કમળ કે જે શિવલિંગ પર અર્પણ કરવામાં આવે છે અને બીજા કમળ કે જેના પર ભગવાન શિવની પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવે છે અને આ બંને કમળ ભગવાન શિવને મંદિરમાં અર્પણ કરવામાં આવે છે.

પ્રકાશ જરીવાલા દ્વારા જણાવવામાં આવ્યું હતું કેતેઓ પોતાના ઘરના આઠ સભ્યો તેમજ સ્થાનિક મિત્રો અને આજુબાજુના ઘરમાં રહેતા લોકોની મદદથી શિવરાત્રીના 15 દિવસ પહેલા જ ઘીના કમળ બનાવવાની તૈયારી શરૂ કરી દે છે. સુરતના 20થી 25 જેટલા મંદિર માટે એક પણ રૂપિયો લીધા વગર ઘીના કમળ તૈયાર કરવાની સેવા આપે છે.

મહત્વની વાત છે કે પ્રકાશ જરીવાલાના આસપાસના ઘરોમાં રહેતી યુવતીઓ પણ આ સેવાકીય કાર્યમાં પોતાનું યોગદાન આપવા માટે આવે છે અને આ યુવતીઓએ પણ વર્ષોની મહેનતથી ઘી પર કલાત્મક પ્રતિકૃતિ તૈયાર કરવાનું શીખી લીધું છે અને રોજ રાત્રે પ્રકાશ જરીવાલા તેમના પરિવારના સભ્યો મિત્રો તેમજ આસપાસના રહેવાસીઓને સાથે મળીને ઘીના કમળ તૈયાર કરવાની કામગીરી કરે છે અને ઘીના કમળ તૈયાર થયા બાદ તેને શહેરના અલગ અલગ મંદિરમાં અર્પણ કરવામાં આવે છે.

Read the Next Article

સુરત : 23 વર્ષીય મોડેલ યુવતીએ આપઘાત કરી લેતા પરિવાર સ્તબ્ઘ, માનસિક તણાવમાં અંતિમ પગલું ભર્યું હોવાની પોલીસને આશંકા

સુરતમાં વધુ એક 23 વર્ષની મોડેલ યુવતીના આપઘાતને લઈને ચકચાર મચી છે, ત્યારે યુવતીએ માનસિક તણાવમાં અંતિમ પગલું ભર્યું હોવાની આશંકા સાથે અઠવા પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે.

New Update
  • શહેરમાં વધુ એક 23 વર્ષીય મોડેલ યુવતીનો આપઘાત

  • યુવતીએ પંખે લટકી આપઘાત કરતાં પરિવાર સ્તબ્ઘ

  • માનસિક તણાવમાં અંતિમ પગલું ભર્યું હોવાની આશંકા

  • યુવતીએ કોઈ સુસાઇડ નોટ લખી નથી : સુરત પોલીસ

  • અઠવા પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે વધુ તપાસ

સુરતમાં વધુ એક 23 વર્ષની મોડેલ યુવતીના આપઘાતને લઈને ચકચાર મચી છેત્યારે યુવતીએ માનસિક તણાવમાં અંતિમ પગલું ભર્યું હોવાની આશંકા સાથે અઠવા પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે.

સુરતમાં કારકિર્દી નાની ઉંમરે ઘડીને પૂરપાટ દોડતી અને માત્ર 23 વર્ષની વયે મોડેલ યુવતીએ પંખે લટકી આપઘાત કરી લેતાં પરિવાર સ્તબ્ઘ થઈ ગયો હતો. મળતી માહિતી અનુસારશહેરના નવસારી બજાર સ્થિત કાર્તિક એપાર્ટમેન્ટમાં રહેતી 23 વર્ષીય અંજલિ અલ્પેશભાઈ વરમોરાના પરિવારમાં તેની માતાએક ભાઈ અને એક બહેન છે. પિતા અલ્પેશભાઈ વરમોરા GEBની કોલોનીમાં કામ કરતા હતા. તેમનું અઢી વર્ષ પહેલાં એક અકસ્માતમાં મોત નીપજ્યું હતું. ત્યારબાદ પરિવારની તમામ જવાબદારી માતાએ ઉઠાવી છે. માતા પણ કામ કરીને પરિવાર ચલાવી રહ્યા છે. 2 વર્ષ પહેલાં અંજલિની સગાઈ કરવામાં આવી હતી.

અંજલિએ એક વર્ષ પહેલાં જ મોડેલિંગની દુનિયામાં પગ મુક્યો હતો. અલગ અલગ કંપનીઓ સાથે કામ કર્યા બાદ છેલ્લા થોડા મહિનાઓથી રેવન્યુ મોડેલ કાસ્ટિંગ એજન્સીમાં મોડેલિંગનું કામ કરતી હતી. સુરત અને અમદાવાદના અલગ અલગ પ્રોજેક્ટ પર તે કામ કરતી હતીજ્યારે શૂટિંગનું કામ હોય ત્યારે જ તે જતી હતીઅને બાકીનો સમય તે ઘરે રહેતી હતી. એ જે કામ કરતી હતીએમાં પરિવારનો સંપૂર્ણ સપોર્ટ હતો. જોકેઆપઘાતનું પગલું ભરનાર અંજલિ દ્વારા કોઈ સુસાઇડ નોટ પણ લખવામાં આવી નથીજેને લઈને પોલીસે હવે અંજલિના મોબાઈલ ફોન પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. પ્રાથમિક રીતે માનસિક તણાવમાં પગલું ભર્યું હોવાની આશંકા સેવવામાં આવી રહી છે. જોકેઆ મામલે અઠવા પોલીસ વધુ તપાસ કરી રહી છે.