સુરત : ભગવાન શિવની ભક્તિ કરવા માટે નિસ્વાર્થ ભાવે કલાત્મક ઘીના કમળ બનાવવાની કામગીરી કરતો જરીવાલા પરિવાર

સુરતમાં પ્રકાશ જરીવાલા અને તેમનો પરિવાર છેલ્લા 45 વર્ષથી નિસ્વાર્થ ભાવે અનોખી રીતે ભગવાન શિવની ભક્તિ કરે છે.જેમાં તેઓ શુદ્ધ ઘી માંથી કલાત્મક કમળ તૈયાર કરવાની કામગીરી કરે છે.

New Update
  • મહાશિવરાત્રી નિમિત્તે ઘીના કમળની સેવા

  • જરીવાલા પરિવાર 45 વર્ષથી બનાવે છે ઘીના કમળ

  • શિવની ભક્તિ માટે નિસ્વાર્થ ભાવે કલાત્મક ઘીના કમળ બનાવે છે

  • શિવરાત્રીના 15 દિવસ અગાઉથી બનાવવામાં આવે છે ઘીના કમળ

  • શહેરના 25 જેટલા મંદરીમાં ઘીના કમળ કરાય છે અર્પણ

સુરતમાં પ્રકાશ જરીવાલા અને તેમનો પરિવાર છેલ્લા 45 વર્ષથી નિસ્વાર્થ ભાવે અનોખી રીતે ભગવાન શિવની ભક્તિ કરે છે.જેમાં તેઓ શુદ્ધ ઘી માંથી કલાત્મક કમળ તૈયાર કરવાની કામગીરી કરે છે. આ કલાત્મક કમળ શિવરાત્રીના રોજ ભગવાન શિવને અર્પણ કરવામાં આવે છે.  આ પરિવાર ભગવાન શિવની ભક્તિ કરવા માટે નિસ્વાર્થ ભાવે કલાત્મક ઘીના કમળ બનાવવાની કામગીરી કરી રહ્યો છે.

સુરતના સલાબતપુરા વિસ્તારમાં રહેતા પ્રકાશ જરીવાલા પોતાના પરિવાર સાથે 45 વર્ષથી ભગવાન શિવને ચઢાવવામાં આવતા ઘીના કમળ બનાવવાનું કામ નિસ્વાર્થ ભાવે કરે છે. પ્રકાશ બે પ્રકારના ઘીના કમળ પોતાના પરિવારના સભ્યો અને મિત્રો સાથે મળીને તૈયાર કરે છે.જેમાં એક કમળ કે જે શિવલિંગ પર અર્પણ કરવામાં આવે છે અને બીજા કમળ કે જેના પર ભગવાન શિવની પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવે છે અને આ બંને કમળ ભગવાન શિવને મંદિરમાં અર્પણ કરવામાં આવે છે.

પ્રકાશ જરીવાલા દ્વારા જણાવવામાં આવ્યું હતું કેતેઓ પોતાના ઘરના આઠ સભ્યો તેમજ સ્થાનિક મિત્રો અને આજુબાજુના ઘરમાં રહેતા લોકોની મદદથી શિવરાત્રીના 15 દિવસ પહેલા જ ઘીના કમળ બનાવવાની તૈયારી શરૂ કરી દે છે. સુરતના 20થી 25 જેટલા મંદિર માટે એક પણ રૂપિયો લીધા વગર ઘીના કમળ તૈયાર કરવાની સેવા આપે છે.

મહત્વની વાત છે કે પ્રકાશ જરીવાલાના આસપાસના ઘરોમાં રહેતી યુવતીઓ પણ આ સેવાકીય કાર્યમાં પોતાનું યોગદાન આપવા માટે આવે છે અને આ યુવતીઓએ પણ વર્ષોની મહેનતથી ઘી પર કલાત્મક પ્રતિકૃતિ તૈયાર કરવાનું શીખી લીધું છે અને રોજ રાત્રે પ્રકાશ જરીવાલા તેમના પરિવારના સભ્યો મિત્રો તેમજ આસપાસના રહેવાસીઓને સાથે મળીને ઘીના કમળ તૈયાર કરવાની કામગીરી કરે છે અને ઘીના કમળ તૈયાર થયા બાદ તેને શહેરના અલગ અલગ મંદિરમાં અર્પણ કરવામાં આવે છે.

Read the Next Article

“હમ તો સાત રંગ હૈ”: ગીત ગાઈને સુરત પોલીસ કમિશનર સહિતના અધિકારીઓએ નૂતન વર્ષની અનોખી રીતે ઉજવણી કરી...

સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતના નિવાસસ્થાને નૂતન વર્ષ નિમિત્તે સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

New Update
  • નૂતન વર્ષના પ્રારંભે પોલીસે અનોખી હળવાશભરી ઉજવણી કરી

  • પોલીસ કમિશનરના નિવાસસ્થાને ભવ્ય ઉજવણી કરવામાં આવી

  • 'હમ તો સાત રંગ હૈંગીત ગાઈને નૂતન વર્ષની ઉજવણી કરાય

  • વિવિધ ગીત થકી એકબીજાને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી

  • કમિશનરે ડ્રગ્સ પેડલર્સ વિરુદ્ધ મેગા ઑપરેશનની જાહેરાત કરી

Advertisment
1/38

સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતના નિવાસસ્થાને નૂતન વર્ષ નિમિત્તે સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓએ સંગીતમય માહોલ ઊભો કરી એકબીજાને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી હતી.

વિક્રમ સંવત 2082ના મંગલમય નૂતન વર્ષના પ્રારંભે સુરત પોલીસે એક અનોખી અને હળવાશભરી ઉજવણી કરી હતી. પરંપરાગત શુભેચ્છા કાર્યક્રમને સંગીતમય માહોલમાં બદલીને સુરતના ઉચ્ચ પોલીસ અધિકારીઓએ અલગ અલગ ગીતો ગાઈને એકબીજાને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી હતી. નૂતન વર્ષ નિમિત્તે શહેર પોલીસ કમિશનર અનુપમ સિંહ ગહેલોતના નિવાસસ્થાને યોજાયેલા સ્નેહમિલન કાર્યક્રમમાં પોલીસ બેડાના તમામ ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ અવસરે પોલીસ કમિશનર અનુપમ સિંહ ગહેલોતજોઈન્ટ પોલીસ કમિશનર રાઘવેન્દ્ર વત્સરેન્જ આઈ.જી. પ્રેમવીર સિંહ અને ઇકો સેલના ડીસીપી કરણ રાજસિંહ વાઘેલા સાથે મળીને 'હમ તો સાત રંગ હેયે જહાં રંગી બનાયેંગેગીત ગાતા જોવા મળ્યા હતા. સામાન્ય રીતે કાયદો અને વ્યવસ્થાની ગંભીરતામાં વ્યસ્ત રહેતા ઉચ્ચ અધિકારીઓએ આ રીતે ગીતગાન કરીને એક હળવાશ અને સૌહાર્દપૂર્ણ માહોલનો અનુભવ કર્યો હતો. પોલીસ કમિશનર અનુપમ સિંહ ગહેલોતે સુરત શહેરની સુરક્ષા વ્યવસ્થા અને આગામી સમયની પોલીસની રણનીતિ અંગે મહત્ત્વનું સંબોધન કર્યું હતુંજેમાં તેમણે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી તરફથી મળેલી સ્પષ્ટ સૂચનાઓ પર ભાર મુક્યો હતો. કમિશનર ગહેલોતે સ્પષ્ટ સંકેતો આપ્યા હતા કેઆવનારા દિવસોમાં પોલીસ કડક કાર્યવાહી માટે તૈયાર છે.

સાથે જાહેરાત કરી હતી કેસુરતમાં ડ્રગ્સના દૂષણને જડમૂળથી ઉખાડી ફેંકવા માટે ડ્રગ્સ પેડલર વિરુદ્ધ મોટી કાર્યવાહી કરવામાં આવશે. પોલીસ સ્ટેશનનો માહોલ બદલવામાં આવશે. જેથી ફરિયાદી કોઈપણ ભય વગર પોલીસ સ્ટેશન આવી શકે. જેમાં પોલીસ દરેક ફરિયાદીને ન્યાય અપાવવા માટે કટિબદ્ધ અને પ્રયત્નશીલ રહેશે તેવી પોલીસ કમિશનરે ખાતરી આપી હતી.