Connect Gujarat
સુરત 

સુરત:પલસાણાની નર્સિંગ કોલેજમાં વિદ્યાર્થીનીનું રહસ્યમય રીતે મોત, પરિવારે કોલેજના શિક્ષકો પર કર્યા ગંભીર આક્ષેપો

સુરત જિલ્લાના પલસાણામા નર્સિંગનો અભ્યાસ કરતી એક વિદ્યાર્થીનીનું રહસ્યમય રીતે મોત થયું હતું..

X

સુરત જિલ્લાના પલસાણામા નર્સિંગનો અભ્યાસ કરતી એક વિદ્યાર્થીનીનું રહસ્યમય રીતે મોત થયું હતું..પરિવાર જનોએ આક્ષેપ કર્યા હતા કે શાળા પરિવાર દ્વારા તેમની દીકરીની હત્યા કરવામાં આવી છે

સુરત જિલ્લાના પલસાણા તાલુકાના બલેશ્વર ખાતે આવેલી સંસ્કાર વિદ્યાસંકુલમાં જી એન એમ નર્સિંગ કોલેજમાં અભ્યાસ કરતી 20 વર્ષીય સોનલ ચૌધરી ગત રોજ મોત ને ભેટી છે.વિદ્યાર્થીનીના મોત પાછળ અનેક ઘૂંટાતું રહસ્ય છે.પરિવારજનોને શાળા પરિવાર દ્વારા ફોન કરી જણાવવામાં આવે છે કે તમારી દીકરીને ખેંચ આવી ગઈ છે અને હાલ સંજીવની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી છે.પરિવારના સભ્યો હોસ્પિટલમાં પહોંચ્યા ત્યારે તેમની દીકરીના બંને પગે તેમજ કમરના ભાગે ફેક્ચર જોવા મળ્યું હતું ત્યારે પરિવાર જનો દ્વારા શાળા પરિવાર સામે સવાલ કર્યા હતા.બાળકીને ખેંચ આવી તો તેમને ફેક્ચર કઈ રીતે થયું.જોકે સમગ્ર મામલે શાળા પરિવાર ભૂગર્ભમાં ઉતરી ગયો હોય તેમ કોઈ પણ પ્રકારની પ્રતિક્રિયા આપી ના હતી.ટૂંકી સારવાર બાદ વિદ્યાર્થીનીનું મોત થયું હતું.બીજી બાજુ ઘટનાને પગલે આદિવાસી સમાજના આગેવાનો હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા અને સુરત સિવિલ હોસ્પિટલ ખાતે પેનલ પી. એમ કરાવવાની માંગ કરી હતી.ઘટના ને લઈ ને સ્થાનિક પોલીસ દ્વારા હાલ તપાસ શરૂ કરવામાં આવી છે.

Next Story