સુરત : આર્થિક ભીંસમાં સપડાયેલા હીરા વેપારીઓની કફોડી હાલત,કે પી સંઘવી કંપની સામે વેપારીઓએ કર્યા ધરણા

સુરતમાં હીરાના વેપારીઓની કફોડી હાલત થઈ છે,આર્થિક રીતે ભીંસમાં મુકાયેલા વેપારીઓએ કે પી સંઘવી કંપની સામે બાંયો ચઢાવીને ધરણા પર બેઠા છે,

New Update
  • કે પી સંઘવી કંપની સામે હીરા વેપારીઓએ ચડાવી બાંયો   

  • રફ હીરા ખરીદી માટે ગેરંટી પેટે વેપારીઓએ આપ્યા હતા ચેક

  • ધંધામાં નુકસાન બાદ કંપની સાથે સમાધાન કરીને નાણાં ભર્યા હતા 

  • સમાધાન બાદ પણ ગેરંટી પેટે આપેલા ચેકો બેંકમાં જમા કરાવ્યા હતા

  • વેપારીઓએ ડાયમંડ એસોસિએશનની મધ્યસ્થીથી સમાધાન કર્યું હતું

  • વેપારીઓને ચેક બાઉન્સમાં થઇ છે સજા  

  • વેપારીઓએ ડાયમંડ એસોસિએશન પાસે ન્યાયની કરી માંગ

Advertisment

સુરતમાં હીરાના વેપારીઓની કફોડી હાલત થઈ છે,આર્થિક રીતે ભીંસમાં મુકાયેલા વેપારીઓએ કે પી સંઘવી કંપની સામે બાંયો ચઢાવીને ધરણા પર બેઠા છે,કંપનીનું હીરા ખરીદીનું વેપારીઓએ ચુકવણું કર્યું હોવા છતાં ચેક બાઉન્સ કરાવીને કેસ કરવામાં આવ્યા હતા,અને વેપારીઓને જેલની સજા પણ થઈ છે.

સુરતમાં હીરાના વેપારમાં નુકસાન થયા બાદ હીરા દલાલોએ જેમની પાસેથી રફ હીરાની ખરીદી કરી હતી.તે કે.પી સંઘવી કંપનીને સમાધાન સાથે ચૂકવણુ કર્યું હોવા છતાં સિક્યુરિટી ચેક બાઉન્સ કરાવી હેરાન કરતા હોવાની હીરા વેપારીએ સુરત ડાયમંડ એસોસિએશનને ફરી રજૂઆત કરી છે. જ્યાં સુધી નિર્ણય ન આવે ત્યાં સુધી ધરણા પર બેસવાનો નિર્ણય પણ કરવામાં આવ્યો છે. હીરાના વેપારીના મતે આ ચુકવણું થઈ ગયું હોવા છતાં ડાયમંડ કંપની દ્વારા કેસ કરવામાં આવતા જેલમાં જવાનો વારો આવ્યો છે. હાલ તો આ મામલે ડાયમંડ એસોસિએશન દ્વારા આખા કેસનો ઉકેલ લાવવા પ્રયાસ કરાઇ રહ્યા છે.

27 જેટલા વેપારીએ ધંધામાં નુકસાની કર્યા બાદ ડાયમંડ કંપનીને એડવાન્સ ચેક આપ્યા હતા અને ડાયમંડ એસોસિશનને મધ્યસ્થી કરીને ચુકવણું કરી આપવામાં આવ્યું હતું.જોકે આ ચુકવણું થઈ ગયું હોવા છતાં ડાયમંડ કંપની દ્વારા કેસ કરવામાં આવતા વેપારીઓને જેલમાં જવાનો વારો આવ્યો હતો. પરિવારના મોભી જેલમાં હોવાના કારણે પરિવારની હાલત કફોડી બની છે. હીરા વેપારીઓએ કે.પી સંઘવી કંપની પાસેથી 10 લાખથી લઈને 1.50 કરોડ રૂપિયા સુધીની મળીને અંદાજીત 8 કરોડ રૂપિયા સુધીની રફ હીરાની ખરીદી કરી હતી. જેમાં 50થી 80 ટકા સુધી ચુકવણું કરીને નાદારી નોંધાવી હતી.

આ સમગ્ર મામલે કે.પી.સંઘવી કંપની અને વેપારીઓ વચ્ચે સમાધાન માટેના પ્રયત્નો પણ કરવામાં આવ્યા હતા,અને કંપની સંચાલકો અને વેપારીઓ વચ્ચે હર્ષ સંઘવી અને હીરા ઉદ્યોગપતિ ગોવિંદ ધોળકિયા એ મધ્યસ્થાની ભૂમિકા નિભાવી હતી અને સમાધાન પણ કરાવ્યું હતું. જે વેપારીઓ પાસે કંઈ નથી તેમને આ કેસમાંથી છુટા કરવામાં આવશે તેવી પણ બાંહેધરી આપવામાં આવી હતી. જોકે ત્યારબાદ પણ હીરા વેપારીઓને આ કેસમાંથી છુટા કરવામાં આવ્યા નથી. જેથી ફરી સુરત ડાયમંડ એસોસિએશન ખાતે વેપારીઓએ રજૂઆત કરીને ધરણા પર બેઠા છે.

Advertisment
Read the Next Article

સુરત : વેપારીઓના GST ડેટા વેચાય રહ્યા હોવાની કેન્દ્ર સરકારમાં રજૂઆતને પગલે ખળભળાટ,CAASએ લખ્યો નાણામંત્રીને પત્ર

ડેટા સોલ્યુશન નામની ગેંગ દિલ્હી,ગાઝિયાબાદ અને નોઈડાથી વેપારીઓના ઓનલાઇન GSTના ડેટા વેચી રહ્યા હોવાની રજૂઆત કેન્દ્રીય નાણાંમંત્રીને કરવામાં આવતા ખળભળાટ મચી ગયો

New Update
  • CAAS એસો.નો સૌથી મોટો આરોપ

  • GSTના ડેટા ઓનલાઈન વેચવાનું રેકેટ

  • ડેટા સોલ્યુશન ગેંગ ચલાવી રહી છે નેટવર્ક

  • 10 હજારના પેકેજમાં વેચાઈ રહ્યા છે GST ડેટા

  • ગેંગનું દિલ્હી,ગાઝિયાબાદ અને નોઈડા હબ

  • CA એસો.ને કરી નક્કર પગલા ભરવાની માંગ

Advertisment

સુરત ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ એસોસિએશન દ્વારા કેન્દ્રીય નાણામંત્રીને એક ઔપચારિક પત્ર લખવામાં આવ્યો છે,જેમાં ડેટા સોલ્યુશન નામની ગેંગ દિલ્હી,ગાઝિયાબાદ અને નોઈડાથી વેપારીઓના ઓનલાઇન GSTના ડેટા વેચી રહ્યા હોવાની રજૂઆત કરવામાં આવતા ખળભળાટ મચી ગયો છે.

સુરત ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ એસોસિએશન દ્વારા કેન્દ્રીય નાણામંત્રીને લખવામાં આવેલો પત્ર ચર્ચાનો વિષય બન્યો છે. આ પત્રમાં ગુડ્સ એન્ડ સર્વિસ વ્યવસ્થાની ગંભીર ખામીઓકરદાતાઓના ગુપ્ત ડેટાના વેચાણથી લઈને રિફંડ વિલંબ અને અપ્રમાણભૂત દંડ સુધીના મુદ્દાઓ પર ઊંડાણપૂર્વક પ્રકાશ પાડવામાં આવ્યો છે. સાથે 'ડેટા સોલ્યુશનનામની ગેંગ દિલ્હીગાઝિયાબાદ અને નોઈડામાં બેસીને સમગ્ર નેટવર્ક ચલાવી રહી હોવાની વાત પણ પત્રમાં કરવામાં આવી છે. 2B, 3અને e-Way Billનો ડેટા ત્રણ મહિનાના પેકેજમાં વહેંચાય છે.CAASના પ્રમુખ હાર્દિક કાકડિયાએ આ અંગે માહિતી આપી હતી.

સુરત CA એસોસિએશનના એક્ઝિક્યુટિવ કમિટી મેમ્બર હિરેન અભંગીએ જણાવ્યું હતું કે ડિસેમ્બરમાં GSTના ડેટા લીક થતા હોવાની માહિતી મળી હતી,અને સરકાર સમક્ષ આ અંગે રજૂઆત કરવામાં આવી છેસરકાર પાસેથી માત્ર ખાતરી નહીંપણ નક્કર પગલાની અપેક્ષા રાખીએ છીએ. વેપારીઓને આજે જે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે તે વાત અમારા પત્રમાં સ્પષ્ટ રીતે રજૂ કરવામાં આવી છે. જો આ સમસ્યાઓ પર તાત્કાલિક અને ગંભીર હસ્તક્ષેપ ન થાયતો સમગ્ર વ્યવસ્થાની વિશ્વસનીયતા દાવ પર લાગી જવાની શક્યતા તેઓએ વ્યક્ત કરી છે.

Advertisment