સુરત : આર્થિક ભીંસમાં સપડાયેલા હીરા વેપારીઓની કફોડી હાલત,કે પી સંઘવી કંપની સામે વેપારીઓએ કર્યા ધરણા

સુરતમાં હીરાના વેપારીઓની કફોડી હાલત થઈ છે,આર્થિક રીતે ભીંસમાં મુકાયેલા વેપારીઓએ કે પી સંઘવી કંપની સામે બાંયો ચઢાવીને ધરણા પર બેઠા છે,

New Update
  • કે પી સંઘવી કંપની સામે હીરા વેપારીઓએ ચડાવી બાંયો   

  • રફ હીરા ખરીદી માટે ગેરંટી પેટે વેપારીઓએ આપ્યા હતા ચેક

  • ધંધામાં નુકસાન બાદ કંપની સાથે સમાધાનકરીનેનાણાં ભર્યા હતા 

  • સમાધાન બાદ પણ ગેરંટી પેટે આપેલા ચેકો બેંકમાં જમા કરાવ્યા હતા

  • વેપારીઓએ ડાયમંડ એસોસિએશનની મધ્યસ્થીથી સમાધાન કર્યું હતું

  • વેપારીઓને ચેક બાઉન્સમાં થઇ છે સજા  

  • વેપારીઓએ ડાયમંડ એસોસિએશન પાસે ન્યાયની કરી માંગ

સુરતમાં હીરાના વેપારીઓની કફોડી હાલત થઈ છે,આર્થિક રીતે ભીંસમાં મુકાયેલા વેપારીઓએ કે પી સંઘવી કંપની સામે બાંયો ચઢાવીને ધરણા પર બેઠા છે,કંપનીનું હીરા ખરીદીનું વેપારીઓએ ચુકવણું કર્યું હોવા છતાં ચેક બાઉન્સ કરાવીને કેસ કરવામાં આવ્યા હતા,અને વેપારીઓને જેલની સજા પણ થઈ છે.

સુરતમાં હીરાના વેપારમાં નુકસાન થયા બાદ હીરા દલાલોએ જેમની પાસેથી રફ હીરાની ખરીદી કરી હતી.તે કે.પી સંઘવી કંપનીને સમાધાન સાથે ચૂકવણુ કર્યું હોવા છતાં સિક્યુરિટી ચેક બાઉન્સ કરાવી હેરાન કરતા હોવાની હીરા વેપારીએ સુરત ડાયમંડ એસોસિએશનને ફરી રજૂઆત કરી છે. જ્યાં સુધી નિર્ણય ન આવે ત્યાં સુધી ધરણા પર બેસવાનો નિર્ણય પણ કરવામાં આવ્યો છે. હીરાના વેપારીના મતે આ ચુકવણું થઈ ગયું હોવા છતાં ડાયમંડ કંપની દ્વારા કેસ કરવામાં આવતા જેલમાં જવાનો વારો આવ્યો છે. હાલ તો આ મામલે ડાયમંડ એસોસિએશન દ્વારા આખા કેસનો ઉકેલ લાવવા પ્રયાસ કરાઇ રહ્યા છે.

27 જેટલા વેપારીએ ધંધામાં નુકસાની કર્યા બાદ ડાયમંડ કંપનીને એડવાન્સ ચેક આપ્યા હતા અને ડાયમંડ એસોસિશનને મધ્યસ્થી કરીને ચુકવણું કરી આપવામાં આવ્યું હતું.જોકે આ ચુકવણું થઈ ગયું હોવા છતાં ડાયમંડ કંપની દ્વારા કેસ કરવામાં આવતા વેપારીઓને જેલમાં જવાનો વારો આવ્યો હતો. પરિવારના મોભી જેલમાં હોવાના કારણે પરિવારની હાલત કફોડી બની છે. હીરા વેપારીઓએ કે.પી સંઘવી કંપની પાસેથી 10 લાખથી લઈને 1.50 કરોડ રૂપિયા સુધીની મળીને અંદાજીત 8 કરોડ રૂપિયા સુધીની રફહીરાની ખરીદી કરી હતી. જેમાં 50થી 80 ટકા સુધી ચુકવણું કરીને નાદારી નોંધાવી હતી.

આ સમગ્ર મામલે કે.પી.સંઘવી કંપની અને વેપારીઓ વચ્ચે સમાધાન માટેના પ્રયત્નો પણ કરવામાં આવ્યા હતા,અને કંપની સંચાલકો અને વેપારીઓ વચ્ચે હર્ષ સંઘવી અને હીરા ઉદ્યોગપતિ ગોવિંદ ધોળકિયા એ મધ્યસ્થાની ભૂમિકા નિભાવી હતી અને સમાધાન પણ કરાવ્યું હતું. જે વેપારીઓ પાસે કંઈ નથી તેમને આ કેસમાંથી છુટા કરવામાં આવશે તેવી પણ બાંહેધરી આપવામાં આવી હતી. જોકે ત્યારબાદ પણ હીરા વેપારીઓને આ કેસમાંથી છુટા કરવામાં આવ્યા નથી. જેથી ફરી સુરત ડાયમંડ એસોસિએશન ખાતે વેપારીઓએ રજૂઆત કરીને ધરણા પર બેઠા છે.

Read the Next Article

સુરત : રક્ષાબંધન નિમિત્તે બહેનો BRTS અને સીટી બસમાં વિનામુલ્યે કરી શકશે મુસાફરી : મેયર

રક્ષાબંધન પર્વ નિમિત્તે બહેનો પોતાના ભાઇના ઘરે સમયસર પહોંચી શકે તે માટે એસટી વિભાગ દ્વારા વિનામુલ્યે BRTS અને સીટી બસ સેવા શરૂ કરવામાં આવી છે.

New Update
  • રક્ષાબંધન પર્વને લઈને એસટી વિભાગનું આયોજન

  • BRTS - સીટી બસ વિનામુલ્યે બસ સેવા શરૂ કરાય

  • બહેનો ભાઇના ઘરે સમયસર પહોચે તેવું આયોજન

  • 15 વર્ષ સુધીના બાળકોને પણ ફ્રીમાં મુસાફરીની ભેટ

  • અનોખી ભેટ બદલ બહેનો મનપાનો આભાર માન્યો

રક્ષાબંધન પર્વ નિમિત્તે બહેનો પોતાના ભાઇના ઘરે સમયસર પહોંચી શકે તે માટે એસટી વિભાગ દ્વારા વિનામુલ્યેBRTS અને સીટી બસ સેવા શરૂ કરવામાં આવી છે.

આવતીકાલે તા. 09 ઓગસ્ટ શનિવાર એટલે કેરક્ષાબંધન પર્વને લઇને સુરત મહાનગરપાલિકા દ્વારા બહેનોને અનોખી ભેટ આપવામાં આવી છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ રક્ષાબંધન પર્વ નિમિત્તે બહેનો પોતાના ભાઇના ઘરે સમયસર પહોંચી શકે તે માટે વિનામુલ્યેBRTS અને સીટી બસમાં મુસાફરી કરી શકશે. એટલું જ નહીં15 વર્ષ સુધીના બાળકોને પણ ફ્રીમાં મુસાફરીની ભેટ આપવામાં આવી છે. સંચાલિત સિટી બસ સેવા શહેરીજનોને સસ્તી અને સુવિધાજનક સેવા પુરી પાડે છે. ત્યારે રક્ષાબંધનના પર્વને ધ્યાનમાં રાખીને મહાનગરપાલિકા દ્વારા મહિલાઓ માટે ખાસ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છેત્યારે સમગ્ર દિવસ દરમ્યાન સિટી બસમાં બહેનો માટે મફત મુસાફરીની ભેટ આપવામાં આવી છે.