સુરત : આર્થિક ભીંસમાં સપડાયેલા હીરા વેપારીઓની કફોડી હાલત,કે પી સંઘવી કંપની સામે વેપારીઓએ કર્યા ધરણા

સુરતમાં હીરાના વેપારીઓની કફોડી હાલત થઈ છે,આર્થિક રીતે ભીંસમાં મુકાયેલા વેપારીઓએ કે પી સંઘવી કંપની સામે બાંયો ચઢાવીને ધરણા પર બેઠા છે,

New Update
  • કે પી સંઘવી કંપની સામે હીરા વેપારીઓએ ચડાવી બાંયો   

  • રફ હીરા ખરીદી માટે ગેરંટી પેટે વેપારીઓએ આપ્યા હતા ચેક

  • ધંધામાં નુકસાન બાદ કંપની સાથે સમાધાનકરીનેનાણાં ભર્યા હતા 

  • સમાધાન બાદ પણ ગેરંટી પેટે આપેલા ચેકો બેંકમાં જમા કરાવ્યા હતા

  • વેપારીઓએ ડાયમંડ એસોસિએશનની મધ્યસ્થીથી સમાધાન કર્યું હતું

  • વેપારીઓને ચેક બાઉન્સમાં થઇ છે સજા  

  • વેપારીઓએ ડાયમંડ એસોસિએશન પાસે ન્યાયની કરી માંગ

સુરતમાં હીરાના વેપારીઓની કફોડી હાલત થઈ છે,આર્થિક રીતે ભીંસમાં મુકાયેલા વેપારીઓએ કે પી સંઘવી કંપની સામે બાંયો ચઢાવીને ધરણા પર બેઠા છે,કંપનીનું હીરા ખરીદીનું વેપારીઓએ ચુકવણું કર્યું હોવા છતાં ચેક બાઉન્સ કરાવીને કેસ કરવામાં આવ્યા હતા,અને વેપારીઓને જેલની સજા પણ થઈ છે.

સુરતમાં હીરાના વેપારમાં નુકસાન થયા બાદ હીરા દલાલોએ જેમની પાસેથી રફ હીરાની ખરીદી કરી હતી.તે કે.પી સંઘવી કંપનીને સમાધાન સાથે ચૂકવણુ કર્યું હોવા છતાં સિક્યુરિટી ચેક બાઉન્સ કરાવી હેરાન કરતા હોવાની હીરા વેપારીએ સુરત ડાયમંડ એસોસિએશનને ફરી રજૂઆત કરી છે. જ્યાં સુધી નિર્ણય ન આવે ત્યાં સુધી ધરણા પર બેસવાનો નિર્ણય પણ કરવામાં આવ્યો છે. હીરાના વેપારીના મતે આ ચુકવણું થઈ ગયું હોવા છતાં ડાયમંડ કંપની દ્વારા કેસ કરવામાં આવતા જેલમાં જવાનો વારો આવ્યો છે. હાલ તો આ મામલે ડાયમંડ એસોસિએશન દ્વારા આખા કેસનો ઉકેલ લાવવા પ્રયાસ કરાઇ રહ્યા છે.

27 જેટલા વેપારીએ ધંધામાં નુકસાની કર્યા બાદ ડાયમંડ કંપનીને એડવાન્સ ચેક આપ્યા હતા અને ડાયમંડ એસોસિશનને મધ્યસ્થી કરીને ચુકવણું કરી આપવામાં આવ્યું હતું.જોકે આ ચુકવણું થઈ ગયું હોવા છતાં ડાયમંડ કંપની દ્વારા કેસ કરવામાં આવતા વેપારીઓને જેલમાં જવાનો વારો આવ્યો હતો. પરિવારના મોભી જેલમાં હોવાના કારણે પરિવારની હાલત કફોડી બની છે. હીરા વેપારીઓએ કે.પી સંઘવી કંપની પાસેથી 10 લાખથી લઈને 1.50 કરોડ રૂપિયા સુધીની મળીને અંદાજીત 8 કરોડ રૂપિયા સુધીની રફહીરાની ખરીદી કરી હતી. જેમાં 50થી 80 ટકા સુધી ચુકવણું કરીને નાદારી નોંધાવી હતી.

આ સમગ્ર મામલે કે.પી.સંઘવી કંપની અને વેપારીઓ વચ્ચે સમાધાન માટેના પ્રયત્નો પણ કરવામાં આવ્યા હતા,અને કંપની સંચાલકો અને વેપારીઓ વચ્ચે હર્ષ સંઘવી અને હીરા ઉદ્યોગપતિ ગોવિંદ ધોળકિયા એ મધ્યસ્થાની ભૂમિકા નિભાવી હતી અને સમાધાન પણ કરાવ્યું હતું. જે વેપારીઓ પાસે કંઈ નથી તેમને આ કેસમાંથી છુટા કરવામાં આવશે તેવી પણ બાંહેધરી આપવામાં આવી હતી. જોકે ત્યારબાદ પણ હીરા વેપારીઓને આ કેસમાંથી છુટા કરવામાં આવ્યા નથી. જેથી ફરી સુરત ડાયમંડ એસોસિએશન ખાતે વેપારીઓએ રજૂઆત કરીને ધરણા પર બેઠા છે.

Read the Next Article

સુરત પોલીસને મળી બાતમી..! : તબીબના પ્રિસ્ક્રિપ્શન વિના નશીલી દવાનું વેચાણ કરતાં મેડિકલ સ્ટોર્સમાં તપાસ...

દેશના મોટા ભાગના રાજ્યોમાં ડ્રગ્સનું દૂષણ યુવાપેઢીનો નાશ કરી રહ્યું છે, હાલમાં ગુજરાતમાં પણ ડ્રગ્સના દુષણનો પગપેસારો થઈ રહ્યો છે.

New Update
  • 'નો ડ્રગ્સ ઇન સુરત કેમ્પેઈનઅંતર્ગત પોલીસનું ચેકિંગ

  • પોલીસ દ્વારા શહેરના અલગ અલગ ઝોનમાં મેગા ડ્રાઈવ

  • નશીલી દવાનું વેચાણ થતું હોવાની પોલીસને માહિતી

  • શહેરના વિવિધ મેડિકલ સ્ટોર્સમાં પોલીસે તપાસ હાથ ધરી

  • તબીબના પ્રિસ્ક્રિપ્શન વિના દવાના વેચાણ સામે કાર્યવાહી

'નો ડ્રગ્સ ઇન સુરત કેમ્પેઈનઅંતર્ગત પોલીસ દ્વારા શહેરના અલગ અલગ 6 ઝોનમાં મેગા ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું. કેટલાક મેડિકલ સ્ટોર્સમાં સંચાલકો તબીબના પ્રિસ્ક્રિપ્શન વિના નશીલી દવાઓનું વેચાણ કરતા હોવાની પોલીસને માહિતી મળી હતી.

દેશના મોટા ભાગના રાજ્યોમાં ડ્રગ્સનું દૂષણ યુવાપેઢીનો નાશ કરી રહ્યું છેહાલમાં ગુજરાતમાં પણ ડ્રગ્સના દુષણનો પગપેસારો થઈ રહ્યો છે. યુવાપેઢીને ડ્રગ્સના પ્રભાવથી દૂર રાખવા માટે રાજ્યમાં પોલીસ વિભાગ દ્વારા'નો ડ્રગ્સ કેમ્પેઈનહાથ ધરવામાં આવ્યું છે. જે અંતર્ગત સુરત પોલીસ દ્વારા શહેરના અલગ અલગ 6 ઝોનમાં મેગા ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ડ્રાઇવમાં શહેર પોલીસ વિભાગનાDCP કક્ષાના અધિકારીઓ જોડાયા હતા.

 શહેરના વિવિધ વિસ્તારોમાં મેડિકલ સ્ટોરના સંચાલકો તબીબના પ્રિસ્ક્રિપ્શન વિના નાશીલી દવાઓનું વેચાણ કરતા હોવાની પોલીસને માહિતી મળી હતી. આ ઉપરાંત 200થી વધુમેડિકલ સ્ટોર્સમાં નશાયુક્ત દવાઓ શોધી કાઢવા મેગા ડ્રાઈવ હાથ ધરાય હતીત્યારે જે મેડિકલ સ્ટોરમાંથી નશાકારક દવા પકડાશે તો તેનું લાયસન્સ રદ્દ કરવા સુધીની કાર્યવાહી કરવામાં આવશે તેવું પોલીસ વિભાગ દ્વારા જણાવાયું છે.