સુરત : પોસ્ટ ગ્રેજ્યુએશન હોસ્ટેલનું કેન્દ્રિય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલના હસ્તે ઉદ્ઘાટન કરાયું...

સુરત મહાનગરપાલિકા સંચાલિત સુરત સ્મીમેર હોસ્પિટલ કેમ્પસમાં રૂ. 32 કરોડના ખર્ચે સાકાર થયેલી પોસ્ટ ગ્રેજ્યુએશન હોસ્ટેલનું કેન્દ્રિય કેબિનેટ જળશક્તિ મંત્રી સી.આર.પાટીલના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.

New Update

મનપા સંચાલિત સ્મીમેર હોસ્પિટલ કેમ્પસમાં નવું નજરાણું

રૂ. 32 કરોડના ખર્ચે પોસ્ટ ગ્રેજ્યુએશન હોસ્ટેલ સાકાર થઈ

વિદ્યાર્થીઓ માટે આવશ્યક ફર્નીચર સાથેની સુસજ્જ હોસ્ટેલ

કેન્દ્રિય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલના હસ્તે હોસ્ટેલનું ઉદ્ઘાટન

વિદ્યાર્થીઓના સુવિધાર્થે હોસ્ટેલનું નિર્માણ : સી.આર.પાટીલ

સુરત મહાનગરપાલિકા સંચાલિત સુરત સ્મીમેર હોસ્પિટલ કેમ્પસમાં રૂ. 32 કરોડના ખર્ચે સાકાર થયેલી પોસ્ટ ગ્રેજ્યુએશન હોસ્ટેલનું કેન્દ્રિય કેબિનેટ જળશક્તિ મંત્રી સી.આર.પાટીલના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.

સુરત મહાનગરપાલિકા શહેરીજનોને ઉત્તમ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે વર્ષોથી કટિબધ્ધ તથા સતત પ્રયત્નશીલ છે. શહેરના નાગરિકોને ઉચ્ચ કક્ષાની વૈદકીય સુવિધાઓ નજીવા ખર્ચે ઉપલબ્ધ કરાવી શકાય તથા તમામ નાગરિકો આ સુવિધાનો લાભ લઈ શકે તેવા ઉમદા હેતુથી વર્ષ 2004માં 1500 OPDની ક્ષમતા ધરાવતી સ્મીમેર હોસ્પીટલ તથા તેને આનુસંગિક વાર્ષિક 100 અન્ડર ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓનો ઈન્ટેક ધરાવતી કોલેજ કાર્યરત કરવામાં આવી હતી. જે છેલ્લા 20થી વધુ વર્ષોંથી શહેરના નાગરિકોની સેવામાં કાર્યશીલ છેજ્યાં વધતા જતા દર્દીઓના ધસારા તેમજ સમયાંતરે ઉપલબ્ધ કરાવવામાં આવતા નવા ઈન્ફ્રાસ્ટ્રકચર તથા અન્ય સુવિધાઓના કારણે સ્મીમેર હોસ્પીટલમાં સ્પેસ્યલાઈઝડ ડિપાર્ટમેન્ટસ જેવા કેસર્જરીરેડીયોલોજીઓર્થોપેડિકગાયનેકઓપ્થેલ્મોલોજી વિગેરે કાર્યરત થયા છે. તેવામાં સ્મીમેર હોસ્પિટલ કેમ્પસમાં રૂ. 32 કરોડથી વધુના ખર્ચે સાકાર થયેલી પોસ્ટ ગ્રેજ્યુએશન હોસ્ટેલનું કેન્દ્રિય કેબિનેટ જળશક્તિ મંત્રી સી.આર.પાટીલના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ હોસ્ટેલની બિલ્ડિંગમાં દરેક માળ પર 12 રૂમ થઈને કુલ 192 રૂમનો સમાવેશ કરવામાં આવ્યો છે. દરેક રૂમ એટેચ્ડ બાથરૂમપેન્ટ્રી જેવી પ્રાથમિક સુવિધાઓ તેમજ 02 નંગ સિંગલ બેડ02 નંગ સાઈડ ટેબલ્સસ્ટડી ટેબલ્સ તથા કબાટ જેવા આવશ્યક ફર્નીચરથી સુસજ્જ કરવામાં આવી છે. કેન્દ્રિય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલે જણાવ્યું હતું કેપાલિકાએ શહેરના વિકાસ અને પ્રગતિમાં અનેક રેકોર્ડ સર કર્યા છે. સુરતમાં સૌપ્રથમ વખત પાલિકા દ્વારા ગ્રાઉન્ડ પ્લસ 16 માળની અદ્ધતન સુવિધા સાથેમાં પોસ્ટ ગ્રેજ્યુએશનના વિદ્યાર્થીઓના સુવિધાર્થે આ હોસ્ટેલનું નિર્માણ કરવામાં આવ્યું છે.

#Gujarat #CGNews #Surat #CR Paatil #inaugurated #hostel
Latest Stories
Read the Next Article

સુરત : શ્રીજીની મૂર્તિઓની આંગળીઓ તોડી નાખતા મૂર્તિ...

સુરત : શ્રીજીની મૂર્તિઓની આંગળીઓ તોડી નાખતા મૂર્તિકાર ચિંતાગ્રસ્ત, ખટોદરા પોલીસે શરૂ કરી તપાસ

અજાણ્યા શખ્સો દ્વારા લગભગ 15થી 20 શ્રીજીની મૂર્તિઓની આંગળીઓ ખંડિત કરવામાં આવી છે. આ ઘટનાથી મૂર્તિકાર શોકમાં ગરકાવ થઈ ગયા છે અને તેમનો 4 મહિનાનો પરિશ્રમ નિષ્ફળ નિવડ્યો

New Update
  • મૂર્તિકારના ત્યાં મૂર્તિઓ ખંડિત કરવાનો મામલો

  • 10થી 15મૂર્તિઓ ખંડિત થતા મૂર્તિકાર વ્યથિત

  • ગણેશજીની મૂર્તિઓની આંગળીઓને નુકસાન

  • 4 મહિનાની મહેનતથી તૈયાર કરાઈ હતી મૂર્તિ

  • ખટોદરા પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી તપાસ

સુરત શહેરના યુનિક હોસ્પિટલ નજીક આવેલા રામજીભાઈ મૂર્તિવાળા પાસે એક અતિ દુઃખદ ઘટના સામે આવી છે. અજાણ્યા શખ્સો દ્વારા લગભગ 15થી 20 શ્રીજીની મૂર્તિઓની આંગળીઓ ખંડિત કરવામાં આવી છે. આ ઘટનાથી મૂર્તિકાર શોકમાં ગરકાવ થઈ ગયા છે અને તેમનો 4 મહિનાનો પરિશ્રમ નિષ્ફળ જતા ખૂબ જ વ્યથિત થઈ ગયા હતા. સમગ્ર મામલે ખટોદરા પોલીસે તપાસ શરૂ કરી છે.

સુરત શહેરના યુનિક હોસ્પિટલ નજીક આવેલા રામજી મૂર્તિવાડા પાસે લગભગ 150થી વધુ ગણપતિની પ્રતિમાઓ બનાવવામાં આવી રહી છે. મૂર્તિકાર દ્વારા છેલ્લા 4 મહિનાથી અથાક મહેનત કરી આ મૂર્તિઓ તૈયાર કરવામાં આવી રહી હતી. જોકેઆરોપ છે કે અજાણ્યા લોકોએ આ 15થી 20 પ્રતિમાઓની આંગળીઓ ખંડિત કરી નાખી હતી. આ કૃત્ય પાછળ કોનો હાથ છે તે હજુ સુધી જાણી શકાયું નથી.

મૂર્તિકારનું કહેવું છે કેતેઓ જમવા માટે ગયા હતા તે દરમિયાન આ કૃત્ય કરવામાં આવ્યું છે. તેમને આ ઘટનાની જાણ ત્યારે થઈ જ્યારે મૂર્તિઓ જોવા માટે કેટલાક લોકો આવ્યા અને તેમની નજર ખંડિત થયેલી મૂર્તિઓ પર પડી. આ જોતા જ મૂર્તિકાર ભાંગી પડ્યા અને રડતા-રડતા પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો.

સૌથી મહત્વની વાત એ છે કેજેટલી પણ પ્રતિમાઓ છે તેમાંથી માત્ર શ્રીજીની પ્રતિમાઓની જ આંગળીઓ ખંડિત કરવામાં આવી છેઅન્ય કોઈ જગ્યાએ પ્રતિમાને નુકસાન પહોંચાડવામાં આવ્યું નથી. આ સમગ્ર મામલાની જાણ થતા જ ખટોદરા પોલીસ દ્વારા તાત્કાલિક તપાસ હાથ ધરવામાં આવી છે.