સુરત : આભ ફાટ્યું,બે કલાકમાં 6 ઈંચ વરસાદ ખાબકતાં ચારેકોર જળબંબાકાર,જનજીવન બન્યું અસ્તવ્યસ્ત

ગુજરાતમાં ભારે વરસાદનો દોર શરૂ થઈ ગયો છે,સુરતમાં સવારના બે કલાકમાં જ છ ઇંચ જેટલો વરસાદ ખાબકી જતા મિની પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે.

New Update
  • સુરતમાં ધોધમાર વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત

  • આભ ફાટતા બે કલાકમાં 6 ઈંચ વરસાદ ખાબક્યો

  • શહેરમાં જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ

  • વાહનો પણ વરસાદી પાણીમાં અડધા ડૂબી ગયા

  • ભારે વરસાદને પગલે શાળાઓમાં રજા કરાઇ જાહેર

ગુજરાતમાં ભારે વરસાદનો દોર શરૂ થઈ ગયો છે,સુરતમાં સવારના બે કલાકમાં જ છ ઇંચ જેટલો વરસાદ ખાબકી જતા મિની પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે.અને શહેરમાં જળબંબાકારની પરિસ્થિતિ સર્જાય હતી.

સુરતમાં આજરોજ સવારે મેઘરાજાનો આક્રોશ ભર્યો અવતાર જોવા મળ્યો હતો.આભ ફાટતા બે કલાકમાં જ 6 ઇંચ જેટલો વરસાદ ખાબકતા સર્વત્ર જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ ગઈ હતી.શહેરના અડાજણ પાટિયાના રસ્તાઓ બેટમાં ફેરવાઇ ગયા છે.જ્યારે લોકોના વાહનો પણ પાણીમાં  અડધા ડૂબી ગયા છે.અને ટ્રાફિક પોલીસના કર્મીઓ દ્વારા પણ લોકોને મદદ કરવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. જનજીવન અસ્ત વ્યસ્ત થઈ ગયું છે. ચારેકોર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે.

સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની તમામ શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે.જયારે સવારની પાળીમાં વિદ્યાર્થીઓને સલામત ઘરે મૂકવા માટે સૂચના આપવામાં આવી હતી.

આ ધોધમાર વરસાદને કારણે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાના શરૂ થતાજનજીવન પર તેની અસર સ્પષ્ટ દેખાઈ રહી છે.અને સરકારી તંત્ર પણ સમગ્ર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સાબદુ થઇ ગયું છે.

Read the Next Article

સુરત : ખાડીપૂરની સમસ્યાના હલ માટેની કવાયત,કાયમી નિરાકરણ માટે હાઈ પાવર કમિટીની કરાશે રચના

સુરતમાં છેલ્લા 7 વર્ષથી ખાડીપૂરને કારણે લોકો હાલાકી ભોગવી રહ્યા છે અને છેલ્લા બે વર્ષમાં ખાડીપૂરમાં 6 લોકોના મોત પણ થયા છે. તાજેતરમાં જ ખાડીપુરે સર્જી હતી તારાજી

New Update
  • ખાડીપૂરની સમસ્યાથી લોકો છે પરેશાન

  • તાજેતરમાં જ ખાડીપુરે સર્જી હતી તારાજી

  • ખાડીપૂરની સમસ્યાના નિરાકરણ માટે કવાયત

  • કેન્દ્રીય મંત્રીના અધ્યક્ષસ્થાને યોજાઈ બેઠક

  • હાઈ પાવર કમિટીની કરવામાં આવશે રચના  

સુરત અને આસપાસના વિસ્તારોમાં ખાડીપૂરની વર્ષો જૂની સમસ્યાના કાયમી ઉકેલ માટે એક મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલની સૂચનાથી એક હાઈ-પાવર કમિટીની રચના કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ કમિટી કેન્દ્ર અને રાજ્ય સરકારના વિવિધ વિભાગોના નિષ્ણાતો અને ટેકનિકલ ટીમોના સહયોગથી કામ કરશે.

સુરતમાં છેલ્લા 7 વર્ષથી ખાડીપૂરને કારણે લોકો હાલાકી ભોગવી રહ્યા છે અને છેલ્લા બે વર્ષમાં ખાડીપૂરમાં 6 લોકોના મોત પણ થયા છે. આ ગંભીર સમસ્યાના નિવારણ માટે સર્કિટ હાઉસ ખાતે કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીપાણી પુરવઠા મંત્રી મુકેશ પટેલ અને આદિજાતિ રાજ્યમંત્રી કુંવરજી હળપતિ,સાંસદ પ્રભુ વસાવાના અધ્યક્ષસ્થાને એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી. આ બેઠક અંદાજે અઢી કલાક ચાલી હતી અને ખાડીપૂરના કાયમી નિરાકરણ માટે આ પ્રકારની બેઠક પ્રથમવાર યોજાઇ હતી.

બેઠકમાં અધિકારીઓ દ્વારા તમામ ખાડીઓની ભૌગોલિક સ્થિતિનું મેપ દ્વારા વિસ્તૃત પ્રેઝન્ટેશન મંત્રીઓને આપવામાં આવ્યું હતું. શહેરમાં ભારે વરસાદથી રસ્તાઓ પર ભરાતા પાણી અને ખાડીપૂરના કાયમી નિરાકરણ પર ગહન ચર્ચા કરવામાં આવી હતી.ખાડી ડાયવર્ઝન અને ડ્રેજિંગ જેવા મુદ્દાઓ પર વિશેષ ભાર મૂકીને ચર્ચા કરાઈ હતી.

સૌથી મહત્વપૂર્ણ નિર્ણય તરીકે એક હાઈ-પાવર કમિટીની રચના કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ કમિટીમાં કેન્દ્ર સરકારના એક અને રાજ્ય સરકારના ત્રણ મંત્રીઓ ઉપરાંત પાલિકાકલેક્ટરસિંચાઈવન વિભાગ સહિતના તમામ સંબંધિત વિભાગોના અધિકારીઓનો સમાવેશ થશે.