સુરત : તસ્કરો તલવાર લઈને ત્રાટક્યા, ખટોદરાના ખોડીયાર મંદિરમાં થયેલી ચોરીની ઘટના CCTVમાં કેદ...

જીલ્લામાં તસ્કરો જાણે પોલીસના ડર વિના બેફામ બન્યા હોય તેમ એકબાદ એક ચોરી, ધાડ તેમજ લૂંટની ઘટનાને અંજામ આપી રહ્યા છે

New Update
સુરત : તસ્કરો તલવાર લઈને ત્રાટક્યા, ખટોદરાના ખોડીયાર મંદિરમાં થયેલી ચોરીની ઘટના CCTVમાં કેદ...

સુરત શહેરના ખટોદરા વિસ્તાર સ્થિત ખોડીયાર મંદિરમાં 2 તસ્કરો તલવાર લઈને ત્રાટક્યા હતા, જ્યાં દાનપેટીમાં રહેલી રોકડ રકમની ચોરી કરતાં સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ હતી.

સુરત શહેર તથા જીલ્લામાં તસ્કરો જાણે પોલીસના ડર વિના બેફામ બન્યા હોય તેમ એકબાદ એક ચોરી, ધાડ તેમજ લૂંટની ઘટનાને અંજામ આપી રહ્યા છે, ત્યારે ખટોદરા વિસ્તારમાં આવેલ ખોડીયાર મંદિરમાંથી ચોરીની ઘટના સામે આવી છે. ખોડીયાર મંદિરમાં તસ્કરોએ દાનપેટીમાં રહેલી અંદાજે 15 હાજર જેટલી રોકડ રકમ લઈને ફરાર થઈ ગયા હતા, ત્યારે સમગ્ર ચોરીની ઘટના મંદિરમાં રહેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ હતી. જોકે, મંદિરના પુજારી વહેલી સવારે મંદિરે પૂજા કરવા આવે છે, ત્યારે મંદિરના દરવાજાનું તાળું તૂટેલી હાલતમાં જોવા મળ્યું હતું. બનાવના પગલે પુજારીએ ટ્રસ્ટીઓને ઘટનાની જાણ કરી હતી. ત્યારબાદ ખટોદરા પોલીસને જાણ કરાતા પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાની સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે તપાસ કરતાં CCTVમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, 2 તસ્કરો પૈકીનો એક રસકર હાથમાં તલવાર લઈને મંદિરમાં પ્રવેશ કરે છે, ત્યારે પોતાના સ્વબચાવ માટે તલવાર લઈને નીકળેલા તસ્કરો વિરુદ્ધ ખટોદરા પોલીસે ગુન્હો દાખલ કર્યો છે. એટલું જ નહીં, CCTV ફૂટેજના આધારે તસ્કરોને ઝડપી લેવા પોલીસે કવાયત હાથ ધરી છે.

Read the Next Article

સુરત : ભાઠા ગામમાં ગૂંગળામણથી ત્રણ સિનિયર સીટીઝનના નિપજ્યા કરૂણ મોત, FSLની મદદથી પોલીસે શરૂ કરી તપાસ

જનરેટર ચાલુ રહી જતા ધુમાડો રૂમમાં ફેલાઈ ગયો હતો. ત્રણેય મૃતક સિનિયર સિટીઝન હતા. રાત્રી દરમિયાન ત્રણે રૂમમાં સૂતા હતા અને સવારે પરિવારના સભ્ય ઘરે આવતા ત્રણેય મૃત હાલતમાં મળી આવ્યા

New Update
  • ભાઠામાં સર્જાય ગંભીર ઘટના

  • ત્રણ સિનિયર સીટીઝનના નિપજ્યા મોત

  • ગૂંગળામણથી મોત થયા હોવાનું અનુમાન

  • જનરેટરનો ધુમાડો બન્યો મોતનું કારણ

  • પોલીસેFSLની મદદથી શરૂ કરી તપાસ  

સુરતના ભાઠા ગામમાં જનરેટરના ધુમાડાથી ગૂંગળામણ થતાં ત્રણ લોકોનાં મોત થયા હતા. રૂમમાં જનરેટર ચાલુ રહી જતા ધુમાડો રૂમમાં ફેલાઈ ગયો હતો. એક પુરુષ અને બે મહિલા સહિત ત્રણનાં મોત થયાં હતા. ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચીને તપાસ શરૂ કરી હતી.

સુરતના ભાઠા ગામમાં જનરેટરના ધુમાડાથી ગૂંગળામણ થતાં એકજ પરિવારના ત્રણ લોકો બાલુ પટેલ ઉં.વ. 77,સીતાબેન પટેલ ઉં.વ.56,વેદાબેન પટેલ ઉં.વ.60ના મોત થયા હતા. રૂમમાં જનરેટર ચાલુ રહી જતા ધુમાડો રૂમમાં ફેલાઈ ગયો હતો. ત્રણેય મૃતક સિનિયર સિટીઝન હતા. રાત્રી દરમિયાન ત્રણે રૂમમાં સૂતા હતા અને સવારે પરિવારના સભ્ય ઘરે આવતા ત્રણેય મૃત હાલતમાં મળી આવ્યા હતા. 

પ્રાથમિક દ્રષ્ટિએ જનરેટરના કારણે મોત થયું હોય તેવું અનુમાન છે. હાલ પોલીસે ત્રણેય સભ્યના મોત જનરેટરના ધુમાડાના કારણે થયા છે,કે પછી અન્ય કારણોસર તેની તપાસ માટેFSLની મદદ લીધી છે. ત્રણેય મૃતદેહનો કબજો મેળવી પોલીસ દ્વારા સિવિલ હોસ્પિટલ પોસ્ટમોર્ટમ ખાતે મોકલી આપવામાં આવ્યા છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું સાચું કારણ બહાર આવી શકશે.

Latest Stories