-
અમદાવાદ પ્લેન દુર્ઘટના મામલો
-
સુરતના મહિલા યાત્રીએ વ્યક્ત કરી આપવીતી
-
આજ ફ્લાઇટમાં લંડનથી અમદાવાદ આવ્યા હતા
-
હિનાબેન દ્વારા ફ્લાઈટમાં અનેક ક્ષતિ હોવાનું જણાવ્યું
-
લંડનથી ફ્લાઇટ ઉપડી ત્યારે પણ પ્લેનનું AC બંધ હતું
-
પ્લેનની અંદરના ડિસ્પ્લે પણ હતા બંધ
-
અમદાવાદ લેન્ડિંગ સમયે ખખડધજ અવાજ આવતો હતો
અમદાવાદમાં સર્જાયેલી ભયાવહ વિમાન દુર્ઘટનામાં 265 લોકોના જીવ હોમાય ગયા હતા,જોકે આજ ફ્લાઈટમાં લંડનથી અમદાવાદ આવેલા સુરતના મહિલા યાત્રીએ વિમાનની ખામી વિશે વાત કરીને આપવીતી વર્ણવી હતી.
અમદાવાદ નજીક એર ઈન્ડિયાની ફ્લાઈટ-172ના દુર્ઘટનાગ્રસ્ત થવાના મામલે સુરતના હવાઈ યાત્રી હિનાબેન કાલરીયાએ પોતાની આપવીતી વર્ણવી હતી, તેઓ આ ક્રેશ થયેલી ફ્લાઈટમાં જ લંડનથી અમદાવાદ માત્ર દોઢ કલાક પહેલા જ સુરક્ષિત ઉતર્યા હતા. હિનાબેન દ્વારા ફ્લાઈટમાં અનેક ક્ષતિઓ હોવાનું જણાવી રહ્યા છે. આ દુર્ઘટનાથી પોતે ચમત્કારિક રીતે બચ્યા હોવાનું જણાવ્યું હતું.
સુરતના સરથાણા વિસ્તારમાં રહેતા હિનાબેન કાલરીયાએ જણાવ્યું કે, તેઓ લંડનથી એર ઈન્ડિયાની ફ્લાઈટ-172માં સવાર થઈને બપોરે 12 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર ઉતર્યા હતા. તેમના ઉતર્યાના માત્ર દોઢ જ કલાકમાં આ જ ફ્લાઇટ ક્રેશ થઈ, જેના સમાચાર સાંભળીને તેમને આઘાત લાગ્યો હતો.
હિનાબેને ફ્લાઈટની ખામીઓ વિશે જણાવ્યું કે,લંડનથી ફ્લાઈટ ઉપડી ત્યારે શરૂઆતમાં જ પ્લેનનું AC બંધ હતું. પ્લેનની અંદર રાખવામાં આવેલા તમામ ડિસ્પ્લે પણ બંધ હતા. જ્યારે અમે એર હોસ્ટેસને આ અંગે રજૂઆત કરી, ત્યારે તેમણે મોબાઈલ અપડેટ કરવા કહ્યું અને ટેકનિકલ ખામીને કારણે ડિસ્પ્લે બંધ થવાનું જણાવ્યું હતું.
આ ઉપરાંત, હિનાબેને ઉમેર્યું કે,પ્લેન અમદાવાદ લેન્ડિંગ થતું હતું ત્યારે પણ ખખડધજ અવાજ આવતો હતો. જૂની એસટી બસની જેમ પ્લેનમાં લેન્ડ સમયે અવાજ આવતો હતો, જેના કારણે મને ખૂબ જ ડર લાગ્યો હતો.
હિનાબેન આ પહેલા અમદાવાદથી ઇજિપ્તની ફ્લાઈટમાં પોતાના પુત્ર અને પતિ સાથે લંડન ગયા હતા. તેમણે ઇજિપ્તની ફ્લાઈટનો અનુભવ વર્ણવતા જણાવ્યું કે, ઈજિપ્તની ફ્લાઈટમાં કોઈ જ પ્રકારની સમસ્યા કે ડર લાગ્યો ન હતો પરંતુ, અમદાવાદની ફ્લાઈટમાં લેન્ડ થતી વખતે મને ખૂબ જ ડર લાગ્યો હતો.