સુરત : લંડનથી અમદાવાદ ફ્લાઇટમાં આવેલા મહિલા યાત્રીની આપવીતી,વિમાનમાં પહેલાથી જ હતી ખામી!

અમદાવાદમાં સર્જાયેલી ભયાવહ વિમાન દુર્ઘટનામાં 265 લોકોના જીવ હોમાય ગયા હતા,જોકે આજ ફ્લાઈટમાં લંડનથી અમદાવાદ આવેલા સુરતના મહિલા યાત્રીએ વિમાનની ખામી વિશે વાત કરીને આપવીતી વર્ણવી હતી.

New Update
  • અમદાવાદ પ્લેન દુર્ઘટના મામલો

  • સુરતના મહિલા યાત્રીએ વ્યક્ત કરી આપવીતી

  • આજ ફ્લાઇટમાં લંડનથી અમદાવાદ આવ્યા હતા

  • હિનાબેન દ્વારા ફ્લાઈટમાં અનેક ક્ષતિ હોવાનું જણાવ્યું

  • લંડનથી ફ્લાઇટ ઉપડી ત્યારે પણ પ્લેનનું AC બંધ હતું

  • પ્લેનની અંદરના ડિસ્પ્લે પણ હતા બંધ

  • અમદાવાદ લેન્ડિંગ સમયે ખખડધજ અવાજ આવતો હતો

અમદાવાદમાં સર્જાયેલી ભયાવહ વિમાન દુર્ઘટનામાં 265 લોકોના જીવ હોમાય ગયા હતા,જોકે આજ ફ્લાઈટમાં લંડનથી અમદાવાદ આવેલા સુરતના મહિલા યાત્રીએ વિમાનની ખામી વિશે વાત કરીને આપવીતી વર્ણવી હતી.

અમદાવાદ નજીક એર ઈન્ડિયાની ફ્લાઈટ-172ના દુર્ઘટનાગ્રસ્ત થવાના મામલે સુરતના હવાઈ યાત્રી હિનાબેન કાલરીયાએ પોતાની આપવીતી વર્ણવી હતીતેઓ આ ક્રેશ થયેલી ફ્લાઈટમાં જ લંડનથી અમદાવાદ માત્ર દોઢ કલાક પહેલા જ સુરક્ષિત ઉતર્યા હતા. હિનાબેન દ્વારા ફ્લાઈટમાં અનેક ક્ષતિઓ હોવાનું જણાવી રહ્યા છે. આ દુર્ઘટનાથી પોતે ચમત્કારિક રીતે બચ્યા હોવાનું જણાવ્યું હતું.

સુરતના સરથાણા વિસ્તારમાં રહેતા હિનાબેન કાલરીયાએ જણાવ્યું કેતેઓ લંડનથી એર ઈન્ડિયાની ફ્લાઈટ-172માં સવાર થઈને બપોરે 12 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર ઉતર્યા હતા. તેમના ઉતર્યાના માત્ર દોઢ જ કલાકમાં આ જ ફ્લાઇટ ક્રેશ થઈજેના સમાચાર સાંભળીને તેમને આઘાત લાગ્યો હતો.

હિનાબેને ફ્લાઈટની ખામીઓ વિશે જણાવ્યું કે,લંડનથી ફ્લાઈટ ઉપડી ત્યારે શરૂઆતમાં જ પ્લેનનું AC બંધ હતું. પ્લેનની અંદર રાખવામાં આવેલા તમામ ડિસ્પ્લે પણ બંધ હતા. જ્યારે અમે એર હોસ્ટેસને આ અંગે રજૂઆત કરીત્યારે તેમણે મોબાઈલ અપડેટ કરવા કહ્યું અને ટેકનિકલ ખામીને કારણે ડિસ્પ્લે બંધ થવાનું જણાવ્યું હતું.

આ ઉપરાંતહિનાબેને ઉમેર્યું કે,પ્લેન અમદાવાદ લેન્ડિંગ થતું હતું ત્યારે પણ ખખડધજ અવાજ આવતો હતો. જૂની એસટી બસની જેમ પ્લેનમાં લેન્ડ સમયે અવાજ આવતો હતોજેના કારણે મને ખૂબ જ ડર લાગ્યો હતો.

હિનાબેન આ પહેલા અમદાવાદથી ઇજિપ્તની ફ્લાઈટમાં પોતાના પુત્ર અને પતિ સાથે લંડન ગયા હતા. તેમણે ઇજિપ્તની ફ્લાઈટનો અનુભવ વર્ણવતા જણાવ્યું કેઈજિપ્તની ફ્લાઈટમાં કોઈ જ પ્રકારની સમસ્યા કે ડર લાગ્યો ન હતો પરંતુઅમદાવાદની ફ્લાઈટમાં લેન્ડ થતી વખતે મને ખૂબ જ ડર લાગ્યો હતો.

 

#CGNews #Plane crash #woman #flight #return #London #Surat
Latest Stories
Read the Next Article

સુરત : અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં મૃતક ડોક્ટર...

સુરત : અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં મૃતક ડોક્ટર દંપતીના પરિવારને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સાત્વના પાઠવી...

અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં મોતને ભેટેલા સુરતના મૃતક ડોક્ટર દંપતીના પરિવારને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના આગેવાનોએ સાત્વના પાઠવી હતી.

New Update
  • અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં 250થી વધુ લોકોના મોત

  • રાંદેર વિસ્તારમાં રહેતા ડોક્ટર દંપતીનું પણ ઘટનામાં મોત

  • મૃતકના પરિવારને ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પાઠવી સાત્વના

  • ડો. હિતેશ શાહે ઘણા વર્ષો સુધી લોકસેવા કરી : હર્ષ સંઘવી

  • મૃતકના પરિવારને શક્તિ આપે તેવી ભગવાનને પ્રાર્થના કરી

અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં મોતને ભેટેલા સુરતના મૃતક ડોક્ટર દંપતીના પરિવારને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના આગેવાનોએ સાત્વના પાઠવી હતી.

ગત તા. 12મી જૂન-2025ના રોજ અમદાવાદથી લંડન જતી એર ઈન્ડિયાની વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા સુરત શહેર અને જિલ્લામાં રહેતા 14 જેટલા લોકોમાંથી અત્યાર સુધીમાં 9 લોકોના DNA મેચ થઇ ગયા બાદ રાંદેર ખાતે રહેતા મૃતક ડોક્ટર દંપતી ડો. હિતેશ શાહ અને પત્ની અમિતા શાહના મૃતદેહ સુરત લવાયા હતા. ત્યારબાદ પરિવારજનો દ્વારા ડોક્ટર દંપતીના અંતિમ સંસ્કાર કરી દેવામાં આવ્યા હતાત્યારે આજરોજ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીવન-પર્યાવરણ મંત્રી મુકેશ પટેલ અને સુરત શહેર ભાજપ અધ્યક્ષ પરેશ પટેલ રાંદેર ખાતે મૃતક ડોક્ટર દંપતીના નિવાસ્થાને તેમના પરિવારને મળવા પહોંચ્યા હતાજ્યાં શાહ પરિવારના સભ્યોને સાત્વના પાઠવવામાં આવી હતી.

હર્ષ સંઘવીએ જણાવ્યુ હતું કેસુરતમાં ગરીબોના મસીહા તરીકે ઓળખાતા ડોક્ટર હિતેશ શાહએ ઘણા વર્ષોથી આ ક્ષેત્રમાં લોકોની સેવા કરી છે. તેઓ ખૂબ સારા સર્જન હતાઅને તે પોતાના ધર્મપત્ની સાથે અમદાવાદથી યુકે તેમની બહેનને મળવા જતા હતાઅને પ્લેન ક્રેશની દુર્ઘટનામાં તેમનું મૃત્યુ થયું છે. આ દુખદ ઘટનામાં ભગવાન મૃતક ડોક્ટર દંપતીના પરિવારને શક્તિ આપે તેવી પણ હર્ષ સંઘવીએ પ્રાર્થના કરી હતી.