સુરત: પોતાના લગ્નની કંકોત્રી આપવા નીકળેલ યુવાનનું ટ્રકની ટક્કરે કરૂણ મોત,જુઓ CCTV

પરવટ પાટિયા ફ્લાય ઓવરબ્રિજ પર સર્જાયેલા ગોઝારા અકસ્માતમાં પોતાના લગ્નની કંકોત્રી વહેચવા નીકળેલા 26 વર્ષીય યુવકને કાળમુખો ટ્રક ભરખી ગયો હતો.

New Update
સુરત: પોતાના લગ્નની કંકોત્રી આપવા નીકળેલ યુવાનનું ટ્રકની ટક્કરે કરૂણ મોત,જુઓ CCTV

સુરતના પરવટ પાટિયા ફ્લાય ઓવરબ્રિજ પર સર્જાયેલા ગોઝારા અકસ્માતમાં પોતાના લગ્નની કંકોત્રી વહેચવા નીકળેલા 26 વર્ષીય યુવકને કાળમુખો ટ્રક ભરખી ગયો હતો.

સુરત ગોડાદરા લક્ષ્મીપાર્ક સોસાયટીમાં રહેતો 26 વર્ષીય જીતેન્દ્રદાન ચારણના 4 દિવસ બાદ 22મી ફેબ્રુઆરીએ લગ્ન થવાના હતા. શુક્રવારે જીતેન્દ્રદાન સંબંધીઓને લગ્નની કંકોત્રી આપવા નીકળ્યો હતો ત્યારે પરવત પાટીયા ફ્લાય ઓવરબ્રિજ પર સિમેન્ટ ભરેલા ટ્રકે અડફેટે લીધો હતો. જીતેન્દ્રને તાત્કાલિક સ્મીમેર લઇ જવાયો હતો. જ્યાં જીતેન્દ્રનો એક પગ કાપવો પડ્યો હતો. જોકે ઓપરેશન બાદ પણ તબીબ તેને બચાવી શક્યા ન હતા અને ટુંકી સારવાર બાદ તેનું મોત નિપજ્યું હતું. પુણા પોલીસે અજાણ્યા ટ્રક ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Read the Next Article

સુરત : સિવિલ હોસ્પિટલમાં ડાયાલિસિસના 14માંથી 4 મશીન બંધ, દર્દીઓને 5 કલાક રાહ જોવાનો વારો આવ્યો..!

સિવિલ હોસ્પિટલમાં રોજ OPD બેઝ પર ડાયાલિસિસ કરાવવા માટે 25થી 30 જેટલા દર્દીઓ આવે છે. આ ઉપરાંત દાખલ દર્દીઓનું પણ ડાયાલિસિસ અહીં જ કરાવવામાં આવે છે.

New Update
  • શહેરની સિવિલ હોસ્પિટલમાં આવતા દર્દીઓને હાલાકી

  • ડાયાલિસિસના 14માંથી 4 મશીનો કેટલાક સમયથી બંધ

  • રોજ સરેરાશ 5 દર્દીઓ 5 કલાક સુધી રાહ જોવા મજબૂર

  • 4 મશીનોમાં R/O સહિતની સામાન્ય ખામી સર્જાય : RMO

  • વહેલી તકે તમામ મશીનો કાર્યરત થઈ જશે : કેતન નાયક 

સુરત શહેરની સિવિલ હોસ્પિટલમાં ડાયાલિસિસના 14માંથી 4 મશીનો બંધ હોવાથી રોજ સરેરાશ 5 દર્દીઓ 5 કલાક સુધી રાહ જોવા મજબૂર બન્યા છે. સુરત શહેરની સિવિલ હોસ્પિટલના કિડની બિલ્ડિંગમાં ચોથા માળે ડાયાલિસિસ વિભાગમાં 14 મશીનો મુકવામાં આવ્યા છે. જોકેતેમાંથી 2 મશીન ચેપી રોગના દર્દીઓ માટેના છેઅને તે સિવાયના 12 મશીન પૈકી 4 મશીન અલગ-અલગ ખામીઓના કારણે છેલ્લા કેટલાક સમયથી બંધ અવસ્થામાં છે. સિવિલ હોસ્પિટલમાં રોજ OPD બેઝ પર ડાયાલિસિસ કરાવવા માટે 25થી 30 જેટલા દર્દીઓ આવે છે. આ ઉપરાંત દાખલ દર્દીઓનું પણ ડાયાલિસિસ અહીં જ કરાવવામાં આવે છે. હાલ 4 મશીનો બંધ હોવાથી દર્દીઓને 5 કલાક સુધી રાહ જોવી પડી રહી છે.

સમગ્ર મામલે તબીબી અધિકારીએ જણાવ્યું હતું કે4 મશીનોમાં R/O સહિતની સામાન્ય ખામી સર્જાય છેજે બાબતે મેઈન્ટેનન્સ કરવા કહી દેવાયું છે. હાલ રિપેરિંગ કામગીરી ચાલી રહી છેઅને વહેલી તકે તમામ મશીનો કાર્યરત થઈ જશે. અત્રે ઉલ્લેખનીય છે કેતમામ મશીનો ચાલુ હોય ત્યારે રોજના 30 ડાયાલિસિસ થતા હતા. તેની સામે હાલ 4 મશીન બંધ હોવાથી 25 જેટલા દર્દીઓના જ ડાયાલિસિસ થઈ રહ્યા છે. જેથી 4થી 5 ડાયાલિસિસના દર્દીઓને 5 કલાક સુધી રાહ જોવાનો વારો આવી રહ્યો છે.