સુરત : વેસુમાં હેપ્પી એન્કલેવ ફ્લેટના ત્રણ માળ આગની ચપેટમાં આવ્યા,ગૃહમંત્રી પણ લાશ્કરો સાથે જોડાયા

સુરતના વેસુ વિસ્તારમાં હેપ્પી એન્કલેવ ફ્લેટના આઠમાં માળે આગ લાગી હતી. આગ એટલી ભીષણ હતી કે બિલ્ડિંગના 3 માળ આગની ચપેટમાં આવી ગયા હતા.

New Update
  • વેસુની હાઈરાઈઝ બિલ્ડિંગમાં આગ

  • હેપ્પી એન્કલેવના આઠમાં માળ પર લાગી આગ

  • ભીષણ આગ ત્રણ માળ સુધી ફેલાય

  • ફાયર લાશ્કરોએ 15થી વધુ લોકોનું કર્યું રેસ્ક્યુ

  • ગૃહમંત્રી પણ લાશ્કરો સાથે જોડાયા

  • ભારે જહેમત બાદ આગ પર મેળવાયો કાબુ 

Advertisment

સુરતના વેસુ વિસ્તારમાં હેપ્પી એન્કલેવ ફ્લેટના આઠમાં માળે આગ લાગી હતી. આગ એટલી ભીષણ હતી કે બિલ્ડિંગના 3 માળ આગની ચપેટમાં આવી ગયા હતા. ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડના જવાનો સાથે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.

સુરતના વેસુ વિસ્તારમાં હેપ્પી એન્કલેવ ફ્લેટના આઠમા માળે આગ લાગી હતી. આગ એટલી ભીષણ હતી કે બિલ્ડિંગના 3 માળ આગની ચપેટમાં આવી ગયા હતા.ઘટના અંગેની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવતા લાશ્કરો ફાયર ટેન્ડરો સાથે દોડી આવ્યા હતા.અને આગને કાબુમાં લેવાનો પ્રયાસ કર્યો હતો.બિલ્ડિંગની આગમાં ફસાયેલા 15 વધુ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું.અને તમામ લોકોને હેમખેમ સુરક્ષિત સ્થળ પર ખસેડવામાં આવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ આ જ કમ્પાઉન્ડમાં સામેની બિલ્ડિંગમાં રહે છે,તેથી તેઓએ પણ દોડી આવ્યા હતા અને ફાયર લાશ્કરોની મદદમાં જોડાયા હતા,આ ઘટના સમયે લાશ્કરોની સાહસિક કામગીરીને ગૃહમંત્રી હર્ષ સંઘવીએ બિરદાવી હતી.

ફાયર લાશ્કરોએ આગ પર ભરી જહેમત બાદ કાબુ મેળવી લીધો હતો,જ્યારે આગ સંપ્રુણ કાબુમાં આવી ગઈ છે કે નહીં તે જાણવા માટે ડ્રોનની મદદ પણ લેવામાં આવી હતી.અને જાણવા મળ્યા મુજબ ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલ સામે આવ્યા નથી. આગ પર કાબૂ મેળવવા માટે 5 ફાયર સ્ટેશનની 10 જેટલી ગાડીઓની મદદ લેવામાં આવી હતી.

Advertisment
Read the Next Article

સુરત : પાલિકાની મંજૂરી વિના જ ઓપરેશન સિંદૂર સર્કલ બની ગયું, સાંસદે કરી હતી માંગ

સાંસદ મુકેશ દલાલે રાંદેર વિસ્તારમાં જે સ્થળ પર સર્કલ બનાવવા માંગણી કરી હતી તેમાંથી એક જગ્યાએ તો પહેલેથી જ ઓપરેશન સિંદૂર સર્કલ બનાવી દેવામાં આવ્યું છે

New Update
  • અજીબ ઘટનાએ સર્જી દીધુ કુતુહલ

  • રાતો રાત બની ગયું ઓપરેશન સિંદૂર સર્કલ

  • સાંસદે ઓપરેશન સિંદૂર સર્કલ માટે કરી હતી માંગ

  • સર્કલ બની ગયા બાદ પણ મનપા અજાણ

  • મનપાની મંજૂરી વગર સર્કલ બન્યું હોવાની ચર્ચા

Advertisment

સુરતમાં અજીબ ઘટના પ્રકાશમાં આવી છે. પાલિકાની મંજૂરી વિના જ કોઈ રાતો રાત ઓપરેશન સિંદૂર સર્કલ બનાવી ગયું છે, અને આ વાતથી ખુદ પાલિકા જ અજાણ હતી. આ સર્કલના વીડિયો પણ વાયરલ થયા હતા. જોકે મામલો ચર્ચામાં ત્યારે આવ્યો જ્યારે સાંસદે ખુદ પત્ર લખીને ઓપરેશન સિંદૂર સર્કલ તૈયાર કરવાની માંગ કરી હતી.

સુરતના સાંસદ મુકેશ દલાલે રાંદેર વિસ્તારમાં ઓપરેશન સિંદૂરથી થીમ પર સર્કલ બનાવવામાં આવે તેવી માંગણી કરી હતી. પરંતુ તેઓએ જે સ્થળ પર સર્કલ બનાવવા માંગણી કરી હતી તેમાંથી એક જગ્યાએ તો પહેલેથી જ ઓપરેશન સિંદૂર સર્કલ બનાવી દેવામાં આવ્યું છે. જોકે આ સર્કલ બન્યું છે તે પણ પાલિકાની મંજુરી વિના બન્યું હોવાની ફરિયાદ થઈ રહી છે. સુરત મહાનગરપાલિકાએ મંજૂરી વિના બનાવેલા સર્કલ માટે સર્કલ બનાવનાર સંસ્થાને નોટિસ પણ ફટકારી દીધાની ચર્ચા છે.

સુરતના સાંસદ મુકેશ દલાલે પાલિકાને એક પત્ર લખ્યો હતો.તેમાં રાંદેર વિસ્તારમાં ઓપરેશન સિંદૂર ટ્રાફિક સર્કલ બનાવવાની માંગણી કરી હતી. આ સર્કલમાં સ્વદેશી શસ્ત્રોની કૃતિઓ પ્રદર્શિત કરીને નાગરિકો અને યુવા પેઢીમાં રાષ્ટ્રભક્તિ અને સૈન્ય અંગે જાગૃતિ લાવવાનો હેતુ છે તેવો ઉલ્લેખ કરાયો છે. સાંસદે અડાજણ પ્રાઈમ આર્કેડમોરાભાગળ ચાર રસ્તારાંદેર અડાજણના મોટા સર્કલ અથવા સુરત હજીરા રોડ પર ઓપરેશન સિંદૂર સર્કલ બનાવવા માંગણી કરી હતી.

જોકેથોડા દિવસ પહેલાં જ સુરત હજીરા રોડ પર હવેલી વિસ્તાર નજીક આવેલા સર્કલ પર આર્મી જવાનના કટ આઉટફાઈટર પ્લેન અને સર્કલ પર ઓપરેશન સિંદૂર નામ સાથે સર્કલ બનાવી દેવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. આ સર્કલ સોશિયલ મીડિયામાં પણ ભારે વાયરલ થઈ રહ્યું છે અને અનેક રીલ પણ ફરતી થઈ છે.ત્યારે આ જ જગ્યાએ સાંસદે ઓપરેશન સિંદૂર સર્કલ બનાવવા માટે લખેલો પત્ર લોકોમાં ચર્ચાનો વિષય બન્યો  

Advertisment
Latest Stories