સુરત : વેસુમાં હેપ્પી એન્કલેવ ફ્લેટના ત્રણ માળ આગની ચપેટમાં આવ્યા,ગૃહમંત્રી પણ લાશ્કરો સાથે જોડાયા

સુરતના વેસુ વિસ્તારમાં હેપ્પી એન્કલેવ ફ્લેટના આઠમાં માળે આગ લાગી હતી. આગ એટલી ભીષણ હતી કે બિલ્ડિંગના 3 માળ આગની ચપેટમાં આવી ગયા હતા.

New Update
  • વેસુની હાઈરાઈઝ બિલ્ડિંગમાં આગ

  • હેપ્પી એન્કલેવના આઠમાં માળ પર લાગી આગ

  • ભીષણ આગ ત્રણ માળ સુધી ફેલાય

  • ફાયર લાશ્કરોએ 15થી વધુ લોકોનું કર્યું રેસ્ક્યુ

  • ગૃહમંત્રી પણ લાશ્કરો સાથે જોડાયા

  • ભારે જહેમત બાદ આગ પર મેળવાયો કાબુ 

Advertisment

સુરતના વેસુ વિસ્તારમાં હેપ્પી એન્કલેવ ફ્લેટના આઠમાં માળે આગ લાગી હતી. આગ એટલી ભીષણ હતી કે બિલ્ડિંગના 3 માળ આગની ચપેટમાં આવી ગયા હતા. ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડના જવાનો સાથે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.

સુરતના વેસુ વિસ્તારમાં હેપ્પી એન્કલેવ ફ્લેટના આઠમા માળે આગ લાગી હતી. આગ એટલી ભીષણ હતી કે બિલ્ડિંગના 3 માળ આગની ચપેટમાં આવી ગયા હતા.ઘટના અંગેની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવતા લાશ્કરો ફાયર ટેન્ડરો સાથે દોડી આવ્યા હતા.અને આગને કાબુમાં લેવાનો પ્રયાસ કર્યો હતો.બિલ્ડિંગની આગમાં ફસાયેલા 15 વધુ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું.અને તમામ લોકોને હેમખેમ સુરક્ષિત સ્થળ પર ખસેડવામાં આવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ આ જ કમ્પાઉન્ડમાં સામેની બિલ્ડિંગમાં રહે છે,તેથી તેઓએ પણ દોડી આવ્યા હતા અને ફાયર લાશ્કરોની મદદમાં જોડાયા હતા,આ ઘટના સમયે લાશ્કરોની સાહસિક કામગીરીને ગૃહમંત્રી હર્ષ સંઘવીએ બિરદાવી હતી.

ફાયર લાશ્કરોએ આગ પર ભરી જહેમત બાદ કાબુ મેળવી લીધો હતો,જ્યારે આગ સંપ્રુણ કાબુમાં આવી ગઈ છે કે નહીં તે જાણવા માટે ડ્રોનની મદદ પણ લેવામાં આવી હતી.અને જાણવા મળ્યા મુજબ ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલ સામે આવ્યા નથી. આગ પર કાબૂ મેળવવા માટે 5 ફાયર સ્ટેશનની 10 જેટલી ગાડીઓની મદદ લેવામાં આવી હતી.

Advertisment
Read the Next Article

સુરત : કુખ્યાત ગુનેગાર સમીર માંડવા પર અંગત અદાવતમાં જાહેરમાં ફાયરિંગ,ચાર શખ્સો હુમલો કરીને ફરાર

સુરતના લાલગેટ વિસ્તારમાં કુખ્યાત ગુનેગાર સમીર માંડવા પર ચાર શખ્સોએ જાહેર રસ્તા પર ફાયરિંગ કર્યું હતું.જેના કારણે સ્થાનિકોમાં ફફડાટ વ્યાપી ગયો

New Update
  • લાલગેટ પોલીસ મથકની હદમાં ફાયરિંગની ઘટના

  • કુખ્યાત સમીર માંડવા પર થયું ફાયરિંગ

  • ફાયરિંગમાં સમીર માંડવાનો આબાદ બચવા

  • ચાર જેટલા ઈસમો ફાયરિંગ કરીને ફરાર

  • અંગત અદાવતમાં ફાયરિંગ કરવામાં આવ્યું 

Advertisment

સુરતના લાલગેટ વિસ્તારમાં કુખ્યાત ગુનેગાર સમીર માંડવા પર ચાર શખ્સો જાહેર રસ્તા પર ફાયરિંગ કર્યું હતું.જેના કારણે સ્થાનિકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. હાલ પોલીસ દ્વારા સમગ્ર ઘટના અંગે તપાસ શરૂ કરવામાં આવી છે.

સુરતના લાલગેટ વિસ્તારમાં કુખ્યાત ગુનેગાર સમીર માંડવા પર ચાર શખ્સે જાહેર રસ્તા પર ફાયરિંગ કર્યું હતું.હુમલાના સમયે સમીર માંડવા રસ્તા પર ઉભો હતો. જોકે તેને કોઈ ઇજા થવા પામી નથી. ત્યારે તાજેતરમાં થયેલી જૂની અદાવતના કારણે તેને નિશાન બનાવવામાં આવ્યો હોવાનું પોલીસના પ્રાથમિક અનુમાનમાં સામે આવ્યું છે. સમીર માંડવા ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને પોલીસ એના પર અગાઉ પણ કડક પગલાં ભરી ચૂકી છેજેમાં તેની ગેરકાયદે મિલકત પર બૂલડોઝર ચલાવાયું હતું. પોલીસ ઘટનાસ્થળે તાત્કાલિક પહોંચી હતી અને ફાયરિંગ બાદ મળી આવેલી બુલેટ કબજે કરીને ફોરેન્સિક તપાસ માટે મોકલી આપી છે.

સમીર માંડવા સામે લૂંટધમકીમારામારી જેવા ગંભીર ગુનાઓના અનેક કેસો લાલગેટ અને આસપાસના વિસ્તારોમાં નોંધાઈ ચૂક્યા છે. પોલીસની ફાઇલોમાં તેનો ગુનાહિત ઇતિહાસ ભારે છે અને તેણે ઘણા વખતથી અપરાધિક પ્રવૃત્તિઓ દ્વારા કાયદાનું ઉલ્લંઘન કર્યું છે. પોલીસે અગાઉ સમીર માંડવાની લાલગેટ વિસ્તારમાં આવેલી ગેરકાયદે મિલકત પર બૂલડોઝર ચલાવ્યું હતું.

પોલીસના જણાવ્યા મુજબહાલની ફાયરિંગની ઘટનાનું કારણ સમીર માંડવાની જૂની અદાવત હોઈ શકે છે. હાલ આરોપીઓ હજુ સુધી પકડાયા નથીપરંતુ પોલીસે દાવો કર્યો છે કે શંકાસ્પદ ઈસમોને ઓળખી લેવાયા છે અને ટૂંક સમયમાં ઝડપાય જશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો.

Advertisment