સુરત : વેસુમાં હેપ્પી એન્કલેવ ફ્લેટના ત્રણ માળ આગની ચપેટમાં આવ્યા,ગૃહમંત્રી પણ લાશ્કરો સાથે જોડાયા

સુરતના વેસુ વિસ્તારમાં હેપ્પી એન્કલેવ ફ્લેટના આઠમાં માળે આગ લાગી હતી. આગ એટલી ભીષણ હતી કે બિલ્ડિંગના 3 માળ આગની ચપેટમાં આવી ગયા હતા.

New Update
  • વેસુની હાઈરાઈઝ બિલ્ડિંગમાં આગ

  • હેપ્પી એન્કલેવના આઠમાં માળ પર લાગી આગ

  • ભીષણ આગ ત્રણ માળ સુધી ફેલાય

  • ફાયર લાશ્કરોએ 15થી વધુ લોકોનું કર્યું રેસ્ક્યુ

  • ગૃહમંત્રી પણ લાશ્કરો સાથે જોડાયા

  • ભારે જહેમત બાદ આગ પર મેળવાયો કાબુ 

સુરતના વેસુ વિસ્તારમાં હેપ્પી એન્કલેવ ફ્લેટના આઠમાં માળે આગ લાગી હતી. આગ એટલી ભીષણ હતી કે બિલ્ડિંગના 3 માળ આગની ચપેટમાં આવી ગયા હતા. ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડના જવાનો સાથે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.

સુરતના વેસુ વિસ્તારમાં હેપ્પી એન્કલેવ ફ્લેટના આઠમા માળે આગ લાગી હતી. આગ એટલી ભીષણ હતી કે બિલ્ડિંગના 3 માળ આગની ચપેટમાં આવી ગયા હતા.ઘટના અંગેની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવતા લાશ્કરો ફાયર ટેન્ડરો સાથે દોડી આવ્યા હતા.અને આગને કાબુમાં લેવાનો પ્રયાસ કર્યો હતો.બિલ્ડિંગની આગમાં ફસાયેલા 15 વધુ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું.અને તમામ લોકોને હેમખેમ સુરક્ષિત સ્થળ પર ખસેડવામાં આવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ આ જ કમ્પાઉન્ડમાં સામેની બિલ્ડિંગમાં રહે છે,તેથી તેઓએ પણ દોડી આવ્યા હતા અને ફાયર લાશ્કરોની મદદમાં જોડાયા હતા,આ ઘટના સમયે લાશ્કરોની સાહસિક કામગીરીને ગૃહમંત્રી હર્ષ સંઘવીએ બિરદાવી હતી.

ફાયર લાશ્કરોએ આગ પર ભરી જહેમત બાદ કાબુ મેળવી લીધો હતો,જ્યારે આગ સંપ્રુણ કાબુમાં આવી ગઈ છે કે નહીં તે જાણવા માટે ડ્રોનની મદદ પણ લેવામાં આવી હતી.અને જાણવા મળ્યા મુજબ ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલ સામે આવ્યા નથી. આગ પર કાબૂ મેળવવા માટે 5 ફાયર સ્ટેશનની 10 જેટલી ગાડીઓની મદદ લેવામાં આવી હતી.

Read the Next Article

સુરતના ઇતિહાસની પ્રથમ ઘટના..! : કારની અડફેટે શ્વાનને કચડી મારનાર અજાણ્યા કારચાલક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાય...

સુરતના અડાજણ વિસ્તારમાં અજાણ્યા વાહન ચાલકે શ્વાનને અડફેટમાં લીધું હતું. જેના પગલે શ્વાનને શરીરના ભાગે ગંભીર ઇજા પહોચતા તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

New Update
  • અડાજણ વિસ્તારમાં એક કાર ચાલક બન્યો બેફામ

  • કારની અડફેટમાં લેતા શ્વાનનું ઘટનાસ્થળે જ મોત

  • બનાવના પગલે આસપાસથી લોકોના ટોળાં એકત્ર

  • એક જાગૃત નાગરિકે અડાજણ પોલીસને જાણ કરી

  • અજાણ્યા કાર ચાલક વિરુદ્ધ ગુન્હો દાખલ કરાયો

સુરત શહેરના અડાજણ વિસ્તારમાં કારની અડફેટે શ્વાનનું મોત નિપજતા પોલીસ મથકે ફરિયાદ નોંધાય હોવાનો સુરતમાંથી પ્રથમ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આજીવન સૃષ્ટિમાં દરેકને જીવવાનો અધિકાર છે. તેવામાં સુરતમાંથી મૂંગા પશુઓ પર થયેલ અત્યાચારની વધુ એક ઘટના સામે આવી છે. જેમાં એક રખડતા શ્વાન પર કાર ચલાવી તેને મોતને ઘાટ ઉતારવામાં આવ્યું હતું. અડાજણ વિસ્તારમાં રાત્રિના સમયે અજાણ્યા વાહન ચાલકે શ્વાનને અડફેટમાં લીધું હતું. જેના પગલે શ્વાનને શરીરના ભાગે ગંભીર ઇજા પહોચતા તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

બનાવના પગલે આસપાસના લોકો ભેગા થયા હતાજ્યાં એક જાગૃત નાગરિક દ્વારા આ મામલે પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે ઘટના સ્થળ પર પહોંચી પંચનામું કરી મૃત શ્વાનને પોસ્ટમોર્ટમ અર્થે સરકારી પશુ ચિકિત્શાલય ખસેડ્યું હતું. આ સાથે જ અડાજણ પોલીસે આ બાબતે અજાણ્યા કાર ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.