સુરત : હાર્ટ એટેકના કિસ્સાઓને ધ્યાનમાં રાખી ટ્રાફિક પોલીસનું અનોખુ અભિયાન, શાળાઓમાં બાળકોને આપી CPRની તાલીમ...

CPR તાલીમ લેવાથી, હૃદય હુમલાના કિસ્સામાં કોઈપણ દર્દીનો જીવ બચાવી શકાય છે, ત્યારે સુરત શહેરમાં ટ્રાફિક પોલીસ વિભાગ દ્વારા અનોખું જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું

New Update
  • હાલની ભાગદોડવાળી લાઈફમાં વધતાં હાર્ટ એટેકના કિસ્સા

  • ટ્રાફિક પોલીસ વિભાગ દ્વારા વિશેષ અભિયાન હાથ ધરાયું

  • શહેરની ખાનગી શાળાઓમાં માર્ગદર્શન શિબિરનું આયોજન

  • ટ્રાફિક પોલીસ થકી તબીબો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું

  • શાળાના બાળકોને CPRની તાલીમ આપવામાં આવી : પોલીસ 

હાલની ભાગદોડવાળી લાઈફમાં સતત વધી રહેલા હાર્ટ એટેકના કિસ્સાઓને ધ્યાનમાં રાખી સુરતની ખાનગી શાળાઓમાં ટ્રાફિક પોલીસ થકી તબીબો દ્વારા બાળકોને CPRની તાલીમ આપવામાં આવી હતી.

CPR તાલીમ લોકોને હૃદય અને ફેફસા બન્ને કામ કરતી રાખવા માટે સક્ષમ રહેવાની કુશળતા પૂરી પાડે છેજો આ બન્ને અંગ તબીબી સ્થિતિઇજા અથવા ખરેખર કોઈ કારણ વગર બંધ થઈ જાયતો કૃત્રિમ રીતે શરીરની આસપાસ લોહીનું પમ્પિંગ ચાલુ રાખવું અને ફેફસાંમાં ગેસનું વિનિમય ચાલુ રાખવુંફરીથી કૃત્રિમ રીતે મગજને જીવંત રાખવામાં CPR મદદ કરે છે. CPR તાલીમ લેવાથીહૃદયના હુમલાના કિસ્સામાં કોઈપણ દર્દીનો જીવ બચાવી શકાય છેત્યારે સુરત શહેરમાં ટ્રાફિક પોલીસ વિભાગ દ્વારા અનોખું જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.

લોકોમાં સતત વધી રહેલા હાર્ટ એટેકના કિસ્સાઓ વચ્ચે પોલીસ સજાગ થઈ છે. અનેક વખત પોલીસ જવાનોએ લોકોને CPR આપી જીવ બચાવ્યા છે. તેવામાં બાળકોને પણ CPRની તાલીમ મળે તે માટે સુરત શહેરની ખાનગી શાળાઓમા ટ્રાફિક પોલીસ થકી ડોક્ટરો દ્વારા બાળકોને CPRની તાલીમ આપવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કેઅનેક વખતે CPR ખૂબ જ કારગત નિવડે છેત્યારે CPRથી લોકોનો જીવ કેવી રીતે બચાવવો તે અંગે નિષ્ણાંત તબીબો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

Read the Next Article

સુરત : રાજ્યમંત્રી મુકેશ પટેલની અધ્યક્ષતામાં જિલ્લાકક્ષાના યોગ દિવસની ઉજવણી કરાય...

21 જૂન વિશ્વભરમાં 11મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઊજવવામાં આવી રહ્યો છે. ત્યારે સુરતના સરસાણા ડોમ ખાતે રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી મુકેશ પટેલની અધ્યક્ષતામાં ‘સ્વસ્થ ગુજરાત મેદસ્વિતામુક્ત ગુજરાત’ થીમ અંતર્ગત વિશ્વ યોગ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી

New Update
  • સરસાણા ડોમ ખાતે 11મા વિશ્વ યોગ દિવસની ઉજવણી

  • રાજ્યના વન-પર્યાવરણ મંત્રી મુકેશ પટેલની ઉપસ્થિતિ

  • જિલ્લાકક્ષાની ઉજવણીમાં મોટી સંખ્યામાં યોગવીરો જોડાયા

  • સાંસદધારાસભ્યો સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા

  • આજરોજ અંદાજે 4.50 લાખથી નાગરિકો યોગમય બન્યા 

સુરતના સરસાણા ડોમ ખાતે રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી મુકેશ પટેલની અધ્યક્ષતામાં સ્વસ્થ ગુજરાત મેદસ્વિતામુક્ત ગુજરાત’ થીમ અંતર્ગત 11મા વિશ્વ યોગ દિવસની જિલ્લાકક્ષાની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

આજે તા. 21 જૂન વિશ્વભરમાં 11મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઊજવવામાં આવી રહ્યો છે. ત્યારે સુરતના સરસાણા ડોમ ખાતે રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી મુકેશ પટેલની અધ્યક્ષતામાં સ્વસ્થ ગુજરાત મેદસ્વિતામુક્ત ગુજરાત’ થીમ અંતર્ગત વિશ્વ યોગ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. સુરત જિલ્લાકક્ષાની ઉજવણીમાં સ્વસ્થ ગુજરાત મેદસ્વિતામુક્ત ગુજરાતની થીમ પર કેન્દ્રિત રહી હતીજેનો મુખ્ય ઉદ્દેશ્ય નાગરિકોને યોગ દ્વારા સ્વસ્થ જીવનશૈલી અપનાવવા પ્રેરિત કરવાનો હતો.

આ ઉજવણીમાં શહેરની સામાજિક સંસ્થાઓશાળા-કોલેજના વિદ્યાર્થીઓઅને પાલિકાના અધિકારીઓ-કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં લોકો ઉત્સાહભેર જોડાયા હતા. સુરત જિલ્લામાં યોગ દિવસની ઉજવણીમાં 3200થી વધુ સ્થળોએ અંદાજે 4.50 લાખથી વધુ નાગરિકો યોગમય બન્યા હતા. આ વિશાળ જનભાગીદારી યોગ પ્રત્યે લોકોમાં વધતી જાગૃતિ અને તેને દૈનિક જીવનનો ભાગ બનાવવાની ઈચ્છા દર્શાવે છે.

સામૂહિક યોગાભ્યાસ દ્વારા સમાજમાં સ્વાસ્થ્ય અને સુખાકારીનો સંદેશ ફેલાવવામાં આવ્યોજે એક પૃથ્વી એક શ્વાસના વૈશ્વિક સંદેશને મૂર્તિમંત કરે છે. સામૂહિક યોગાભ્યાસ કાર્યક્રમ સુરતના નાગરિકોની એકતા અને સ્વાસ્થ્ય પ્રત્યેની પ્રતિબદ્ધતાનું પ્રતીક બન્યો હતો. આ પ્રસંગે સાંસદ મુકેશ દલાલધારાસભ્યોકલેકટરપાલિકા કમિશ્નરપોલીસ કમિશનર સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.