સુરત : મોરબી ગોઝારી દુર્ઘટનાના મૃતકોને નવી સીવીલ હોસ્પિટલ ખાતે શ્રધ્ધાંજલિ અર્પણ કરાય...
મોરબીની ગોઝારી દુર્ઘટનાના તમામ મૃતકો માટે સુરતની નવી સીવીલ હોસ્પિટલ ખાતે શોક સંદેશ અને શ્રધ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.
BY Connect Gujarat Desk31 Oct 2022 8:29 AM GMT
X
Connect Gujarat Desk31 Oct 2022 8:29 AM GMT
મોરબીની ગોઝારી દુર્ઘટનાના તમામ મૃતકો માટે સુરતની નવી સીવીલ હોસ્પિટલ ખાતે શોક સંદેશ અને શ્રધ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.
ગત તા. 30મી ઓક્ટોબરના રોજ મોરબી શહેર ખાતે ઝુલતો પુલ તૂટતાં ગમખ્વાર અને દર્દનાક ઘટના બની હતી. જેમાં ઘણા નાગરીકો અને શહેરીજનોએ પોતાનો જીવ ગુમાવ્યો છે, તો કેટલાકે પોતાના પરિવારના લાડકવાયા અને સ્વજનો ખોયા છે. આ ઘટનામાં શોકાતુર પરીવારજનોને સાંત્વના આપવા સુરતની નવી સીવીલ TNAI અને નર્સિંગ પરીવાર દ્વારા હાથમાં મીણબત્તી પ્રજ્વલિત રાખી 2 મિનીટનું મૌન પાળવા સાથે શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.
Next Story