સુરત : કાપોદ્રા વિસ્તારમાંથી અઢી વર્ષીય બાળકનું અપહરણ,પોલીસે ગણતરીના સમયમાં જ અપહરણકર્તાની કરી ધરપકડ

સુરતના કાપોદ્રામાં માસુમ બાળકીનાં અપહરણની ઘટના બની હતી,જોકે પોલીસે ગણતરીના કલાકોમાં જ અપહરણકર્તાને CCTVના આધારે દાહોદ થી ઝડપી પાડીને બાળકીને મુક્ત કરાવી

New Update
  • કાપોદ્રામાં અઢી વર્ષની બાળકીના અપહરણનો મામલો

  • અપહરણકર્તાCCTVમાં થયો હતો કેદ

  • કાપોદ્રા પોલીસે 10 જેટલી ટીમ બનાવી શોધખોળ આદરી હતી

  • પોલીસે દાહોદથી અપહરણકર્તાની કરી ધરપકડ

  • પોલીસે બાળકીને સહી સલામત મુક્ત કરાવી

સુરતના કાપોદ્રામાં માસુમ બાળકીનાં અપહરણની ઘટના બની હતી,જોકે પોલીસે ગણતરીના કલાકોમાં જ અપહરણકર્તાને ઝડપી પાડીને બાળકીને મુક્ત કરાવી હતી.આરોપી બાળકીને લઈ જતો હતો તે ઘટનાCCTVમાં કેદ થઈ હતી.પોલીસેCCTVના આધારે આરોપીને દાહોદ થી 20 કલાકમાં શોધી કાઢ્યો હતો.

સુરતના કાપોદ્રા વિસ્તારમાં પોતાના ઘર આંગણે રમતી અઢી વર્ષની એક બાળકી અચાનક ગુમ થઈ ગઈ હતી,જેની જાણ પરિવારજનોને થતા તેઓએ ભારે શોધખોળ શરૂ કરી હતી,અને આ અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી.ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો ઘટના સ્થળ પર દોડી આવ્યો હતો.અનેDCP, ACP સહિત 100થી વધુ પોલીસ કર્મચારીઓ આખી રાત સુતા નહોતા અને બાળકીની શોધખોળ કરી હતી. દરમિયાન એક બાતમીના આધારે આ બાળકીને શોધી કાઢવામાં આવી હતી.

પોલીસે વિવિધCCTV તેમજ બાતમીને આધારે સઘન તપાસ શરુ કરી હતી,અને અપહરણકર્તાને પોલીસે સુરત થી 270 કિલોમીટર દૂર દાહોદથી ઝડપી પાડ્યો હતો.પોલીસે આરોપી દિના દલ્લુ ચારેલની ધરપકડ કરીને અપહ્યત બાળકીને તેની ચુંગાલમાંથી મુક્ત કરાવી પરિવારજનોને હેમખેમ પરત કરી હતી.બાળકી મળતા જ પરિવારજનો ખુશીના આંસુ રોકી શક્યા નહોતા,અને પોલીસનો પણ આભાર વ્યક્ત કર્યો હતો.

Read the Next Article

સુરત : સંતાનોની ફી સહાય મેળવવા રત્નકલાકાર સહાય પેકેજ યોજના, 300 સ્કૂલમાં 65 હજાર ફોર્મ ભરાયા...

સુરતના ડાયમંડ ઉદ્યોગના ઈતિહાસમાં પહેલી વખત સૌથી લાંબી મંદી ચાલી છે. છેલ્લાં 3 વર્ષથી મંદી હોવાથી અનેક રત્નકલાકારો આર્થિક રીતે મુશ્કેલીમાં મુકાયા હતા

New Update
  • રત્ન કલાકારો માટે સહાય યોજનાની પ્રક્રિયા પૂર્ણ

  • 55 હજારથી વધુ રત્ન કલાકારોએ ભર્યા હતા ફોર્મ

  • પોતાના બાળકોની ફી માટે ફોર્મ ભરવામાં આવ્યા

  • વિદ્યાર્થી દીઠ રૂ. 13,500 ચૂકવવા સરકારનો નિર્ણય

  • તમામ ફોર્મ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાં જમા કરાવાયા

સુરત શહેર તથા જિલ્લામાં રત્નકલાકારોના સંતાનોની ફી ભરવા માટે રાજ્ય સરકારે જાહેર કરેલી સહાય યોજનામાં 300 સ્કૂલના 55 હજારથી વધુ રત્નકલાકારોએ 65 હજાર ફોર્મ ભર્યાં છે. હવે ડાયમંડ એસોસિએશનમાંથી ભલામણ પત્રો મેળવ્યા બાદ ફોર્મની સ્ક્રુટિની કરી ચકાસણી કરવામાં આવશે.

સુરતના ડાયમંડ ઉદ્યોગના ઈતિહાસમાં પહેલી વખત સૌથી લાંબી મંદી ચાલી છે. છેલ્લાં 3 વર્ષથી મંદી હોવાથી અનેક રત્નકલાકારો આર્થિક રીતે મુશ્કેલીમાં મુકાયા હતા. જેથી રત્કલાકારોને રાહત આપવા માટે રાજ્ય સરકાર દ્વારા સહાય યોજના જાહેર કરવામાં આવી હતી. જેમાં જે રત્નકલાકારોની 31 માર્ચ-2024 પહેલાં ડાયમંડ ઉદ્યોગમાંથી નોકરી છૂટી ગઈ હોય તેમના સંતાનોની એક વર્ષની મહત્તમ 13,500 રૂપિયા ફી ચૂકવવા માટે સરકાર દ્વારા યોજના જાહેર કરવામાં આવી હતી.

તા. 23 જુલાઇ સુધી ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હતોત્યારે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા ફોર્મ સહિતની કામગીરી કરવામાં આવી હતીજેમાં શહેરની અંદાજે 300 સ્કૂલના 55 હજાર રત્નકલાકારોએ સંતાનોની ફી ભરવા માટે 65 હજાર ફોર્મ ભર્યાં હતા. ગુરુવારે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હોવાથી હવે ફોર્મ સ્વિકારાશે નહીં. રોજગાર છૂટી ગયો હોય તેવા રત્નકલાકારોને વહેલી તકે આર્થિક સહાય મળે તે માટે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.

અપેક્ષા કરતાં વધારે ફોર્મ ભરાયાં છેજેને લઈને જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા રાજ્ય સરકાર પાસે ગ્રાન્ટ માંગવામાં આવશે. ત્યારબાદ જેમ જેમ સ્ક્રૂટિની થતી જશે તેમ તેમ સહાયની રકમ આપવામાં આવશે. તો બીજી તરફતમામ ફોર્મમાં ભલામણ પત્ર મેળવવા હવે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર ફોર્મને સુરત ડાયમંડ એસોસિએશનમાં મોકલશે. જેના માટે ઉદ્યોગ કેન્દ્ર ડાયમંડ એસોસિએશનને સ્ટાફ પણ ફાળવી આપશે. જે ડાયમંડ ફેક્ટરીમાંથી રત્નકલાકારની નોકરી છૂટી હોય તે કંપનીમાં કર્મચારી કામ કરતા હતા કેનહીં તેની ખરાઈ કર્યા બાદ ડાયમંડ એસોસિએશન ભલામણ પત્ર આપશે તેવું ડાયમંડ વર્કર યુનિયન તરફથી જાણવા મળ્યું છે.