સુરત : કાપોદ્રા વિસ્તારમાંથી અઢી વર્ષીય બાળકનું અપહરણ,પોલીસે ગણતરીના સમયમાં જ અપહરણકર્તાની કરી ધરપકડ

સુરતના કાપોદ્રામાં માસુમ બાળકીનાં અપહરણની ઘટના બની હતી,જોકે પોલીસે ગણતરીના કલાકોમાં જ અપહરણકર્તાને CCTVના આધારે દાહોદ થી ઝડપી પાડીને બાળકીને મુક્ત કરાવી

New Update
  • કાપોદ્રામાં અઢી વર્ષની બાળકીના અપહરણનો મામલો

  • અપહરણકર્તા CCTVમાં થયો હતો કેદ

  • કાપોદ્રા પોલીસે 10 જેટલી ટીમ બનાવી શોધખોળ આદરી હતી

  • પોલીસે દાહોદથી અપહરણકર્તાની કરી ધરપકડ

  • પોલીસે બાળકીને સહી સલામત મુક્ત કરાવી

Advertisment

સુરતના કાપોદ્રામાં માસુમ બાળકીનાં અપહરણની ઘટના બની હતી,જોકે પોલીસે ગણતરીના કલાકોમાં જ અપહરણકર્તાને ઝડપી પાડીને બાળકીને મુક્ત કરાવી હતી.આરોપી બાળકીને લઈ જતો હતો તે ઘટના CCTVમાં કેદ થઈ હતી.પોલીસે CCTVના આધારે આરોપીને દાહોદ થી 20 કલાકમાં શોધી કાઢ્યો હતો.

સુરતના કાપોદ્રા વિસ્તારમાં પોતાના ઘર આંગણે રમતી અઢી વર્ષની એક બાળકી અચાનક ગુમ થઈ ગઈ હતી,જેની જાણ પરિવારજનોને થતા તેઓએ ભારે શોધખોળ શરૂ કરી હતી,અને આ અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી.ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો ઘટના સ્થળ પર દોડી આવ્યો હતો.અને DCP, ACP સહિત 100થી વધુ પોલીસ કર્મચારીઓ આખી રાત સુતા નહોતા અને બાળકીની શોધખોળ કરી હતી. દરમિયાન એક બાતમીના આધારે આ બાળકીને શોધી કાઢવામાં આવી હતી.

પોલીસે વિવિધ CCTV તેમજ બાતમીને આધારે સઘન તપાસ શરુ કરી હતી,અને અપહરણકર્તાને પોલીસે સુરત થી 270 કિલોમીટર દૂર દાહોદથી ઝડપી પાડ્યો હતો.પોલીસે આરોપી દિના દલ્લુ ચારેલની ધરપકડ કરીને અપહ્યત બાળકીને તેની ચુંગાલમાંથી મુક્ત કરાવી પરિવારજનોને હેમખેમ પરત કરી હતી.બાળકી મળતા જ પરિવારજનો ખુશીના આંસુ રોકી શક્યા નહોતા,અને પોલીસનો પણ આભાર વ્યક્ત કર્યો હતો.

Advertisment
Read the Next Article

સુરત : પત્નીએ સમયસર જમવાનું નહીં બનાવતા પતિનો આપઘાત,બે ત્રણ સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી

સુરતના વેસુ વિસ્તારમાં રહેતા યુવાન દંપતીનો પરિવાર ખંડિત થયો છે.25 વર્ષીય વિજય બારીયા અને તેની પત્ની વચ્ચે જમવાનું બનાવવા બાબતે ઝઘડો થયો હતો.

New Update
  • વેસુમાં ત્રણ સંતાનોના પિતાનો આપઘાત

  • પત્ની સાથે બોલાચાલી બાદ અંતિમ પગલું

  • પતિ પત્ની વચ્ચે રસોઈ બાબતે થયો હતો ઝઘડો

  • સામાન્ય બાબતમાં પતિએ કર્યો આપઘાત

  • ત્રણ સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી

Advertisment W3.CSS

સુરતના વેસુ વિસ્તારમાં દંપતી વચ્ચેની સામાન્ય બોલાચાલીએ પરિવારને વિખેરી નાખ્યો હતો,જમવાનું બનાવવાની બાબતે થયેલા ઝઘડામાં પતિએ ગળે ફાંસો ખાઈને જીવનલીલા સંકેલી નાખતા બે દીકરીઓ અને એક દીકરાએ પિતાની છત્રછાયા ગુમાવી દીધી હતી.

સુરતના વેસુ વિસ્તારમાં રહેતા યુવાન દંપતીનો પરિવાર ખંડિત થયો છે.25 વર્ષીય વિજય બારીયા અને તેની પત્ની વચ્ચે જમવાનું બનાવવા બાબતે ઝઘડો થયો હતો.જોકે આ બાબતથી આઘાત લાગતા વિજય બારીયાએ ઘરમાં બીજા રૂમમાં જઈને ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ હતી.બનાવની જાણ થતા જ અલથાણ પોલીસનો કાફલો દોડી આવીને વિજય બારીયાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ શરૂ કરી હતી.

ઉલ્લેખનીય છે કે વિજય બારીયાના આપઘાતને પગલે બે દીકરીઓ અને એક દીકરાએ પિતાની છત્રછાયા ગુમાવી દીધી હતી.