સુરત : એકદંત યુવક મંડળની અનોખી ગણેશ ભક્તિ, વૃક્ષની છાલમાંથી બનાવી વિઘ્નહર્તા દેવની મુર્તિ

સુરત શહેરના લાલ દરવાજા વિસ્તારમાં 100 ટકા ઇકો ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે. વૃક્ષની છાલમાંથી બનાવાયેલા ગણેશજીનું કુદરતી વાતાવરણમાં સ્થાપન કરવામાં આવ્યું છે,

New Update

સુરત શહેરના લાલ દરવાજા વિસ્તારમાં 100 ટકા ઇકો ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે. વૃક્ષની છાલમાંથી બનાવાયેલા ગણેશજીનું કુદરતી વાતાવરણમાં સ્થાપન કરવામાં આવ્યું છેત્યારે ગણેશજીની આ પ્રતિમા સુરતવાસીઓમાં ભારે આકર્ષણનું કેન્દ્ર બની છે.

હાલ ગ્લોબલ વોર્મિંગ સતતને સતત વધી રહી છે. વૃક્ષો દિવસેને દિવસે કપાઈ રહ્યા છે. જેથી વાતાવરણમાં ફેરફાર જોવા મળી રહ્યો છે. ભારતમાં વૃક્ષ વાવવા માટે અને વૃક્ષનું જતન કરવા માટે અનેક મુહિમ ઉઠાવવામાં આવી રહી છેત્યારે આ વખતે સુરતમાં ગણપતિ સ્થાપનમાં પણ વૃક્ષ બચાવવાની મુહિમ સાથે લાલ દરવાજા વિસ્તારના એકદંત યુવક મંડળ દ્વારા વેસ્ટેજ વૃક્ષના છાલમાંથી ગણપતિની મૂર્તિ બનાવવામાં આવી છે. વેસ્ટેજ વૃક્ષની છાલમાંથી મૂર્તિ બનાવવા માટે મૂર્તિકારોને 45 દિવસ જેટલો સમય લાગ્યો હતો. આ મૂર્તિની ઊંચાઈ 11 ફૂટ છેજેની અંદર 200 કિલો ઘાસ અને 300 કિલો માટી સાથે 70થી 80 જેટલી લાકડાની છાલોથી આ મૂર્તિ તૈયાર કરવામાં આવી છે. આ સાથે જ આ મૂર્તિમાં ઇકો ફ્રેન્ડલી વોટર કલરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ મૂર્તિની આસપાસ કુદરતી વાતાવરણનો નજારો બનાવવામાં આવ્યો છે. તેમાં પણ વૃક્ષની કુદરતી રીતે તૂટી પડેલી ડાળીઓનો ઉપયોગ કરી બગીચો તૈયાર કરવામાં આવ્યો છે. સાથે જ પક્ષીઓના માળા પણ મુકવામાં આવ્યા છે. એકદંત યુવક મંડળ દ્વારા છેલ્લા 4 વર્ષથી શ્રીજીની સ્થાપના કરવામાં આવે છે. જેમાં દર વર્ષે અલગ અલગ થીમ રાખવામાં આવે છેત્યારે આ વર્ષે સંપૂર્ણ ઇકો ફ્રેન્ડલી ગણપતિજીની પ્રતિમાનું સ્થાપન કરવામાં આવ્યું છેત્યારે હાલ તો હાલ સમગ્ર સુરતમાં લાકડાની છાલમાંથી બનાવવામાં આવેલી શ્રીજીની અનોખી પ્રતિમા આકર્ષણનું કેન્દ્ર બની છે.

Read the Next Article

સુરત : 3 વર્ષીય બાળકનો ટ્રેનમાં ટોઈલેટના ડસ્ટબિનમાંથી મૃતદેહ મળ્યો, માસીયાઈ ભાઈએ જ હત્યા કરી : પોલીસ

સુરત શહેરના અમરોલી વિસ્તારમાં 3 વર્ષના માસૂમ બાળકની તેના જ માસીના ભાઈએ અપહરણ બાદ નિર્દયતાથી હત્યા કરી નાખી પોલીસે આરોપીને પકડવા માટેના ચક્રો ગતિમાન કર્યા 

New Update
  • અમરોલીમાં 3 વર્ષના બાળકના અપહરણનો મામલો

  • ટ્રેનના ટોયલેટમાંથી મળી આવ્યો છે બાળકનો મૃતદેહ

  • CCTV ફૂટેજના આધારે પોલીસને બાળકની ભાળ મળી

  • સગા માસિયાઈ ભાઈએ જ કર્યું હતું અપહરણ : પોલીસ

  • પોલીસે આરોપીને પકડવા માટેના ચક્રો ગતિમાન કર્યા

સુરત શહેરના અમરોલી વિસ્તારમાં 3 વર્ષના માસૂમ બાળકની તેના જ માસીના ભાઈએ અપહરણ બાદ નિર્દયતાથી હત્યા કરી નાખી હતી. જે બાદ બાળકના મૃતદેહને ખભા પર લટકાવી મુંબઈના લોકમાન્ય તિલક રેલવે સ્ટેશન પર ફરતોCCTVમાં જોવા મળ્યો હતો. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે.

મૂળ બિહારના સિવાન જિલ્લાના બરહાન ગોપાલ ગામનો વતની અને હાલ સુરતના અમરોલી ગણેશપુરા વિસ્તારની ગુજરાત હાઉસિંગ બોર્ડ ખાતે ક્રિષ્ના નગર સોસાયટીમાં રહેતા રાજેન્દ્ર જીઉત શાહ હાલ દુબઈ ખાતે નોકરી કરી રહ્યા છેજ્યારે તેમની પત્ની દુર્ગાવતી કુમારી અને તેમનો 3 વર્ષનો પુત્ર આકાશ ઉર્ફે આરવ કૃષ્ણનગર સોસાયટીમાં રહેતા હતા.

એક સપ્તાહ પહેલાં દુર્ગાવતી કુમારીની મોટી બહેન રબડી અને તેનો દીકરો વિકાસકુમાર બીશુંનદયાળ શાહ સુરત રહેવા આવ્યા હતા. આ દરમ્યાન 3 વર્ષીય માસૂમ બાળક આકાશની તેના જ માસિયાઈ ભાઈ વિકાસકુમારે અપહરણ બાદ નિર્દયતાથી હત્યા કરી નાખી હતી. આરોપી વિકાસે 22મી ઓગસ્ટના રોજ સુરતથી દાદર સુધીની મુસાફરી કરી હતી. તે દિવસે સાંજે દાદર સ્ટેશન પર તેના મોબાઇલનું છેલ્લું લોકેશન મળ્યું હતું.

ત્યારબાદ તે આકાશના મૃતદેહને લઇને લોકલ ટ્રેનમાં વિદ્યાવિહાર રેલવે સ્ટેશન ગયો હતો. મૃતદેહ સાથે મુંબઈના લોકમાન્ય તિલક રેલવે સ્ટેશન પહોંચ્યો હતો. રાત્રે 1.04 વાગ્યે કુશીનગર એક્સપ્રેસ પ્લેટફોર્મ પર આવી હતી. જેમાંથી તમામ મુસાફરો ઉતરી ગયા બાદ આરોપીએ ખાલી ટ્રેન જોઈ બાળકના મૃતદેહને ટ્રેનના ટોયલેટના ડસ્ટબિનમાં નાખી દીધો હતો. આ ઘટનાનાCCTV ફૂટેજ પણ સામે આવ્યા છેજેમાં આરોપી મૃતદેહને ખભા પર લઈ ફરતો જોવા મળ્યો હતો.

 પોલીસના જણાવ્યા મુજબબાળકનું મૃત્યુ ગળું દબાવીને કરાયું હતું. તેના ગળામાં જે દોરો હતોતેનાથી જ ગળું દબાવવામાં આવ્યું છે. જેના કારણે ગળું કપાઈ જવાથી બાળકનું મૃત્યુ થયું છે. પોલીસને આરોપીની માનસિક બીમારી અંગેની ફાઇલ પણ મળી છે. જેની ખરાઈ માટે તબીબ પાસે મોકલવામાં આવી છે. મુંબઈમાં આ મામલે જાણવા જોગ ફરિયાદ નોંધવામાં આવી છે. આ કેસની તપાસ માટે અમરોલી પોલીસની 2 ટીમ અને ક્રાઈમ બ્રાંચની એક ટીમ મુંબઈ મોકલવામાં આવી છેત્યારે હાલ તો પોલીસે આ મામલે સઘન તપાસ શરૂ કરી આરોપીને પકડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.