સુરત: વરાછાના વેપારીને હનીટ્રેપમાં ફસાવી 50 હજાર માંગનાર ઠગ ટોળકીની ધરપકડ

ઠગ ટોળકીએ બ્લેકમેલિંગ કરી ૧૦ હજાર પડાવી વધુ રૂપિયા ૫૦ હજારની માંગણી કરી વેપારીને પોલીસ કેસ કરવાની પણ ધમકી આપી હતી.

New Update
સુરત: વરાછાના વેપારીને હનીટ્રેપમાં ફસાવી 50 હજાર માંગનાર ઠગ ટોળકીની ધરપકડ

સુરત ના વરાછા - મીનીબજારના ફરસાણના વેપારીને ડભોલી બોલાવી હનીટ્રેપમાં ફસાવાયા હતા. ઠગ ટોળકીએ બ્લેકમેલિંગ કરી ૧૦ હજાર પડાવી વધુ રૂપિયા ૫૦ હજારની માંગણી કરી વેપારીને પોલીસ કેસ કરવાની પણ ધમકી આપી હતી. સમગ્ર મામલે સિંગણપોર પોલીસે ગુનો નોંધી ૨ મહિલા સહિત છની અટક કરી હતી

સુરતના વરાછા મીનીબજાર ખાતે મીરાનગર સોસાયટીમાં રહેતા ભરતભાઇ લુખી મીનીબજાર ખાતે વાલમ ફરસાણની દુકાન ચલાવે છે.પંદર દિવસ પહેલાં તેમના મોબાઇ લ પર અજાણ્યા નંબર પરથી મેસેજ આવ્યો હતો.ભરતભાઇએ " HI " કરીને મેસેજ મોકલતા સામેવાળી વ્યક્તિએ પોતાનું નામ ખુશ્બ હોવાનું જણાવ્યું હતુ ત્યારબાદ આ યુવતી ભરતભાઇને ભગવાનના મેસેજ મોકલવા લાગી હતી.બંને વચ્ચે વોટસએપ પર નિયમિત વાતચીત થતી હતી.વોટ્સએપ કોલિંગથી પણ તેઓ સંપર્કમાં રહેતા હતા.દરમિયાન ગત તા .૭ મીએ બપોરે તે યુવતીએ ભરતભાઇને " કોલ મી " નો મેસેજ કર્યો હતો .

જેથી ભરતભાઇએ વોટ્સએપ કોલ કરતા ખુશ્બએ નાસ્તો લઇને આવવા કહ્યું હતુ.ખુશ્બએ ભરતભાઇને ડભોલી રોડ ખાતે મનિષનગર માર્કેટ ખાતે આવી કોલ કરવાનું કહ્યું હતુ . જેથી ભરતભાઇ ખોડિયાનગરથી નાસ્તો લઇ બપોરના બે વાગ્યે મનિષ નગર પહોંચ્યા હતા . યુવતીએ ફ્લેટમાં લઇ જઇ સોફા પર ભરતભાઇને બેસાડ્યા હતા.અહીં યુવતીએ પોતાનું સાચું નામ જયશ્રી ઉર્ફે પાયલ રોહિતભાઈ બોરડ હોવાનું જણાવી ભરતભાઈ સાથે શારીરિક અડપલાં કરવા લાગી હતી .આ દરમિયાન બે યુવકોએ રૂમમાં ઘૂસી આવ્યા હતા.તેઓએ રૂમમાં ઝઘડો શરૂ કર્યો હતો.તેઓએ ભરતભાઇને માર માર્યો હતો. વેપારીએ આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી તમામ ની અટકાયત કરી હતી.ઠગ ટોળકીએ બ્લેકમેલ કરી બળાત્કારનો પોલીસ કેસ કરવાની ધમકી આપી સમાધાન પેટે રૂપિયા માંગ્યા હતા . ગભરાઇને ભરતભાઇએ ૧૦ હજાર આપી દીધા હતા ત્યારબાદ વધુ રૂપિયા ૫૦ હજારની માંગણી કરી હતી.સિંગણપોર પોલીસે ગુનો નોંધી હનીટ્રેપ કરતી ટોળકીના જયશ્રી ઉર્ફે પાયલ , અસ્મિતા , દર્શન , આકાશ , ભોલુ , અને રાહુલને અટકાયતમાં લીધા હતા . આ ટોળકીએ અન્યોને પણ હનીટ્રેપમાં ફસાવ્યા હોવાની પોલીસને આશંકા છે.

Read the Next Article

સુરતના ઇતિહાસની પ્રથમ ઘટના..! : કારની અડફેટે શ્વાનને કચડી મારનાર અજાણ્યા કારચાલક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાય...

સુરતના અડાજણ વિસ્તારમાં અજાણ્યા વાહન ચાલકે શ્વાનને અડફેટમાં લીધું હતું. જેના પગલે શ્વાનને શરીરના ભાગે ગંભીર ઇજા પહોચતા તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

New Update
  • અડાજણ વિસ્તારમાં એક કાર ચાલક બન્યો બેફામ

  • કારની અડફેટમાં લેતા શ્વાનનું ઘટનાસ્થળે જ મોત

  • બનાવના પગલે આસપાસથી લોકોના ટોળાં એકત્ર

  • એક જાગૃત નાગરિકે અડાજણ પોલીસને જાણ કરી

  • અજાણ્યા કાર ચાલક વિરુદ્ધ ગુન્હો દાખલ કરાયો

સુરત શહેરના અડાજણ વિસ્તારમાં કારની અડફેટે શ્વાનનું મોત નિપજતા પોલીસ મથકે ફરિયાદ નોંધાય હોવાનો સુરતમાંથી પ્રથમ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આજીવન સૃષ્ટિમાં દરેકને જીવવાનો અધિકાર છે. તેવામાં સુરતમાંથી મૂંગા પશુઓ પર થયેલ અત્યાચારની વધુ એક ઘટના સામે આવી છે. જેમાં એક રખડતા શ્વાન પર કાર ચલાવી તેને મોતને ઘાટ ઉતારવામાં આવ્યું હતું. અડાજણ વિસ્તારમાં રાત્રિના સમયે અજાણ્યા વાહન ચાલકે શ્વાનને અડફેટમાં લીધું હતું. જેના પગલે શ્વાનને શરીરના ભાગે ગંભીર ઇજા પહોચતા તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

બનાવના પગલે આસપાસના લોકો ભેગા થયા હતાજ્યાં એક જાગૃત નાગરિક દ્વારા આ મામલે પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે ઘટના સ્થળ પર પહોંચી પંચનામું કરી મૃત શ્વાનને પોસ્ટમોર્ટમ અર્થે સરકારી પશુ ચિકિત્શાલય ખસેડ્યું હતું. આ સાથે જ અડાજણ પોલીસે આ બાબતે અજાણ્યા કાર ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.