સુરત: સાયબર ક્રાઇમનો ભોગ બનનારાઓને રૂ. 38 લાખ જેટલી રકમ પરત થઈ

લોકોને સાયબર ક્રાઇમમાંથી ઊગારવા રાજ્યભરમાં પોલીસ તંત્ર દ્વારા ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે, ત્યારે સુરત શહેરના કતારગામ વિસ્તારમાં પોલીસ વિભાગ દ્વારા લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું

New Update

કતારગામ વિસ્તારમાં લોક દરબારનું આયોજન કરાયું

પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત રહ્યા ઉપસ્થિત

સાયબર ક્રાઇમનો ભોગ બનેલા 172 લોકોની ઉપસ્થિતિ

પોલીસ કમિશનર દ્વારા લોકોને વિસ્તૃત માહિતી અપાય

ભોગ બનનારાઓને 38 લાખ જેટલી રકમ પરત અપાવી

સુરત શહેરના કતારગામ વિસ્તારમાં લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સાયબર ક્રાઇમનો ભોગ બનેલા લોકોને રૂ. 38 લાખ જેટલી રકમ પરત અપાવવામાં આવી હતી.

જેમ જેમ ટેક્નોલોજી આગળ વધી રહી છેતેમ લોકોને સાયબર ક્રાઈમનો ખતરો પણ રહે છે. હાલના દિવસોમાં સાયબર ફ્રોડનો શિકાર બનનારા લોકોની સંખ્યામાં વધી રહી છે. તેવામાં લોકોને સાયબર ક્રાઇમમાંથી ઊગારવા રાજ્યભરમાં પોલીસ તંત્ર દ્વારા ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છેત્યારે સુરત શહેરના કતારગામ વિસ્તારમાં પોલીસ વિભાગ દ્વારા લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું..

જ્યાં સાયબર ક્રાઈમનો ભોગ બનેલા 172 જેટલા લોકો ઉપસ્થિત રહ્યા હતા. પોલીસ અને લોકો વચ્ચે સમન્વય જળવાય તે માટે લોક દરબાર યોજાયો હતો. જેમાં લોકોને મૂંઝવતા પ્રશ્નો સીધા જ કરી શકે તે હેતુથી લોક દરબારમાં પોલીસ કમિશનર સહિત અનેક અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

વર્તમાન સમયમાં સાયબર ક્રાઈમ મોટો પડકાર છેત્યારે સુરત પોલીસ કમિશનરે લોકોને સાયબર ક્રાઈમ વિશે વિસ્તૃત માહિતી આપી હતી. આ ઉપરાંત સાયબર ક્રાઇમનો ભોગ બનેલા લોકોને પોલીસે રૂ. 38 લાખ જેટલી રકમ પરત અપાવી હતી.

Read the Next Article

સુરત : મોટા વરાછામાં સગા ભાઈએ કરી બહેન સાથે લાખોની છેતરપિંડી,ભાઈ સહિત બે આરોપીની ધરપકડ કરતી પોલીસ

મોટા વરાછામાં એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી હતી.રાજુ શિરોયાએ પોતાની સગી બહેન પાસેથી મદદ કરવાના બહાને રોકડા રૂપિયા અને સોનાના દાગીના પડાવી લીધા

New Update
  • મોટા વરાછામાં છેતરપિંડીનો મામલો

  • સગા ભાઈએ બહેન સાથે કરી છેતરપિંડી

  • રોકડા રૂપિયા,સોનાના દાગીના પડાવી લીધા

  • બહેને નોંધાવી પોલીસ ફરિયાદ

  • ભાઈ સહિત બે આરોપીની ધરપકડ   

સુરતના મોટા વરાછા વિસ્તારમાં સગા ભાઈએ બહેન સાથે લાખો રૂપિયાની છેતરપિંડી કરી હતી,જે અંગે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે આરોપી ભાઈ સહિત બે આરોપીઓની ધરપકડ કરી હતી.

સુરતના મોટા વરાછામાં એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી હતી.રાજુ શિરોયાએ પોતાની સગી બહેન પાસેથી મદદ કરવાના બહાને રોકડા રૂપિયા અને સોનાના દાગીના પડાવી લીધા હતા.જેમાંરૂપિયા 50 હજાર રોકડા અને 18 તોલા સોનુ પડાવી લીધા હતા. રાજુ શિરોયા અને ભત્રીજો અક્ષય શિરોયા રોકડા રૂપિયા અને સોનાના દાગીના લઈને રફુચક્કર થઈ ગયા હતા.જેના કારણે બહેનને છેતરપિંડીની શંકા જતા તેને ઉત્રાણ પોલીસ મથકમાં ફરિયાદ દર્જ કરાવી હતી.

પોલીસે તેઓની ફરિયાદને આધારે તપાસ શરૂ કરી હતી,અને પોલીસે મુંબઈમાં બે દિવસ સુધી રેકી કરીને આરોપી ભાઈ રાજુ શિરોયા અને ભત્રીજો અક્ષય શિરોયાની ધરપકડ કરી હતી.ઉત્રાણ પોલીસે આરોપીઓ પાસેથી રૂપિયા 15 લાખ 54 હજાર 170નો મુદ્દામાલ રિકવર કર્યો હતો.અને પોલીસ તપાસમાં આરોપી અક્ષય શિરોયા ગુનાહિત ઈતિહાસ ધરાવતો હોવાનું પણ ખૂલ્યું હતું.

Read the Next Article

સુરત : પાંચ વર્ષ પહેલા ચોરાયેલી મોપેડના ઈ-મેમોથી પોલીસ કામગીરી પર ઉઠ્યા સવાલ,ચાર વર્ષમાં બે મેમો અને કોર્ટનું સમન્સ મળ્યું

કતારગામ વિસ્તારમાં દુકાન બહારથી એક મોપેડની ચોરી થઇ હતી,વર્ષ 2021માં ચોરી થયેલી મોપેડનો ટ્રાફિક નિયમોના ભંગ બદલ ઈ-મેમો મૂળ માલિકને મળી રહયા છે.

New Update
  • ટ્રાફિક અને શહેર પોલીસ વચ્ચે સંકલનનો અભાવ

  • કતારગામમાંથી સામે આવ્યો ચોંકાવનારો કિસ્સો

  • પાંચ વર્ષ પહેલા ચોરાઈ હતી મોપેડ

  • ચોરાયેલી મોપેડના મૂળ માલિકને મળી રહ્યા છે મેમો

  • એકટીવાના ચાલક સાથેના બે વખત આવ્યા મેમો

  • પોલીસે કોઈ જ કાર્યવાહી કરી ન હોવાનો આક્ષેપ

સુરતમાં કતારગામ વિસ્તારમાં દુકાન બહારથી એક મોપેડની ચોરી થઇ હતી,વર્ષ 2021માં ચોરી થયેલી મોપેડનો ટ્રાફિક નિયમોના ભંગ બદલ ઈ-મેમો મૂળ માલિકને મળી રહયા છે. પરંતુ ચોરી થયેલી મોપેડ અને વાહન ચોર પોલીસથી પકડાતા નથી જે બાબતે પોલીસ કામગીરી પર સવાલ ઉઠાવ્યા છે.

સુરતમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે.અમરોલી વિસ્તારમાં રહેતા નરેશ ધોળા નામના દોરા અને જરીના વેપારીની કતારગામ જીઆઇડીસી પાસે દુકાન આવેલી છે. 2021માં નવેમ્બર મહિનામાં તેમની દુકાન બહારથી મોપેડ ચોરી કરવામાં આવ્યું હતું. આ ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ ગઈ હતી. આ તમામ બાબતોને લઈને કતારગામ પોલીસમાં અરજી કરવામાં આવી હતી. અરજી કરવા છતાં પણ કતારગામ પોલીસ દ્વારા કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી ન હતી.

પોતાની મોપેડ ચોરી થઈ ગઈ હોવાથી ચિંતામાં હતા પણ મોપેડ મળી રહ્યું નહોતું. પોલીસ પણ કોઈ કાર્યવાહી કરી રહી ન હતી. દરમિયાન 2022માં સોસીયો સર્કલ પાસે ફોન પર વાત કરતા કરતા મોપેડ ચલાવતા જતા હોવાનો ટ્રાફિકનો મેમો ફટકારવામાં આવ્યો હતો. આ મેમો ભરવામાં ન આવતા 2023માં એપ્રિલ મહિનામાં કોર્ટનું સમન્સ આવ્યું હતું. ફોન પર વાત કરતા હોવાનો ટ્રાફિકનો મેમો ભરવા માટે કોર્ટમાં હાજર થવા સમન્સ હતું. મોપેડ ચોરાઈ ગયું હોવા છતાં પણ આ મેમો આવતા નરેશ ચોંકી ઉઠ્યા હતા. આ બાબતે કોર્ટ સહિતના ધક્કા ખાતા હતા.

2023માં કતારગામ પોલીસ સ્ટેશન ગયા હતા. જોકે ત્યારે પણ તેમની મોપેડ ચોરી થઈ હોવાની ફરિયાદ નોંધીને સમન્સને રદ કરાવી કાર્યવાહી કરવાથી હાથ ખંખેર્યા હતા. 2023થી લઈને 2025 સુધી નરેશને ચોરી થયેલું મોપેડ મળી જશે તેવી આશા હતી. જોકે 19 એપ્રિલના રોજ હેલ્મેટ ન પહેર્યું હોવાથી તેમની જ મોપેડનો મેમો ઘરે પહોંચ્યો હતો. આ મેમો જોઈને ફરી નરેશ ચોંકી ગયા હતા. ચાર વર્ષથી મોપેડ મળતું નથી અને કોર્ટનું સમન્સ અને બે મેમો ઘર પર પહોંચ્યા હતા.

નરેશ ધોળાએ જણાવ્યું હતું કેમારા હાથે લખેલી અરજી મેં કતારગામ પોલીસમાં આપી હતી અને મારી મોપેડ ચોરાઈ ગઈ હોવા અંગે કતારગામ પોલીસને જણાવ્યું હતું. જોકે કોઈ કાર્યવાહી ન કરવામાં આવી અને કોર્ટના સમન્સ અને બે મેમા મને મળ્યા છે. મારી મોપેડ સિટીમાં જ ફરી રહી છે. પણ પોલીસ તેને પકડી શકતી નથી. લાપરવાહી તો છે જ મને તો એવું કહ્યું હતું કે તમારો ગાડીનો નંબર અમે ચડાવી દીધો છે અને 24 કલાકમાં મળી જશે. ચાર વર્ષ થઈ ગયા હજુ મારી ફરિયાદ લીધી નથી મારા હાથની લખેલી અરજી જ લીધી છે. હવે તો મારે ગાડી જ જોઈએ ગમે એમ કરીને મને મારી ગાડી અપાવો તેવી માંગ તેઓએ પોલીસ સમક્ષ કરી રહ્યા છે.