સુરત : કતારગામમાં ઓવરબ્રિજ પરથી મોપેડ સવાર બે યુવકો 50 ફૂટ  નીચે રોડ પર પટકાયા,એકનું મોત,એક સારવાર હેઠળ

અકસ્માત એટલો ભયંકર હતો કે મોપેડ સવાર બંને યુવકો ઓવરબ્રિજ પરથી ઉછળીને 50 ફૂટ નીચે સર્વિસ રોડ પર પટકાયા હતા,જે ઘટના બાદ સ્થાનિક લોકો યુવાનોની મદદે દોડી આવ્યા

New Update
  • કતારગામ દરવાજા વિસ્તારનો બનાવ

  • ઓવરબ્રિજ પરથી મોપેડ સવાર બે યુવકો નીચે પટકાયા

  • ઓવર સ્પીડમાં મોપેડ ચલાવતા સર્જાયો અકસ્માત

  • મોપેડ ચાલક બેલેન્સ ગુમાવતા ડિવાઇડરમાં અથડાયા

  • મોપેડ ચાલક બંને યુવકો ઉછળીને 50 ફૂટ નીચે પડ્યા

  • અકસ્માતમાં એક યુવકનું મોત,એકની હાલત ગંભીર

  • કતારગામ પોલીસે તપાસ શરૂ કરી

સુરતના કતારગામ દરવાજા નજીકના ઓવરબ્રિજ પરથી મોપેડ સવાર બે યુવાનો ઉછળીને 50 ફૂટ નીચે રોડ પર પટકાયા હતા,મોપેડ ડિવાઈડર સાથે ભટકતા અકસ્માત સર્જાયો હતો. સુરતના કતારગામ દરવાજા નજીકના ઓવરબ્રિજ પરથી મોપેડ પર સવાર થઈને બે યુવકો પસાર થઇ રહ્યા હતા,જોકે તેજ રફતાર મોપેડ પરનો અંકુશ ન રહેતા ઓવરબ્રિજના શાર્પ વળાંક પર મોપેડ ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવી દીધો હતો,અને મોપેડ ડિવાઇડરમાં ધડાકાભેર ભટકાયું હતું.

આ અકસ્માત એટલો ભયંકર હતો કે મોપેડ સવાર બંને યુવકો ઓવરબ્રિજ પરથી ઉછળીને 50 ફૂટ નીચે સર્વિસ રોડ પર પટકાયા હતા,જે ઘટના બાદ સ્થાનિક લોકો યુવાનોની મદદે દોડી આવ્યા હતા.જોકે સર્જાયેલા અકસ્માતમાં એક યુવાનનું ઘટના સ્થળે જ પ્રાણ પંખેરૂ ઉડી ગયું હતું,જ્યારે અન્ય એકને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. બનાવ સંદર્ભે કતારગામ પોલીસે ફરિયાદ દર્જ કરીને વધુ તપાસ શરૂ કરી છે. 

Read the Next Article

સુરત : શહેરમાં ખાડીપૂર બાદ રોગચાળાની સ્થિતિ,ઝાડા,ઉલટી,તાવ સહિતના કેસોમાં વધારાથી ફફડાટ

સુરતમાં ખાડીપૂર બાદ રોગચાળાએ માથું ઉંચકતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે.શહેરમાં ઝાડા,ઉલટી,મલેરિયા,ડેન્ગ્યુ સહિતની બીમારીમાં લોકો સપડાતા સિવિલ હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઈ રહી છે.

New Update
  • ખાડીપુર બાદ શહેરમાં રોગચાળાની સ્થિતિ

  • ઝાડા ,ઉલટીતાવ સહિતના દર્દીઓમાં વધારો

  • મલેરિયા,ડેન્ગ્યુ તાવ તેમજ ગેસ્ટ્રોના કેસમાં પણ વધારો

  • આરોગ્ય વિભાગની 36 ટીમ દ્વારા શરૂ કરાઈ કાર્યવાહી

  • સિવિલ હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઈ

સુરતમાં ખાડીપૂર બાદ રોગચાળાએ માથું ઉંચકતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે.શહેરમાં ઝાડા,ઉલટી,મલેરિયા,ડેન્ગ્યુ સહિતની બીમારીમાં લોકો સપડાતા સિવિલ હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઈ રહી છે.

સુરતમાં ખાડીપુર બાદ શહેરમાં રોગચાળાની સ્થિતિ જોવા મળી છે.ઝાડા ,ઉલટી,તાવ મેલેરિયા,ડેન્ગ્યુ તાવ તેમજ ગેસ્ટ્રોના કેસમાં વધારો નોંધાયો છે.શહેરમાં જ્યાં ખાડીપુરના પાણી ઉતરી ગયા બાદ મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગની 36 ટીમ દ્વારા આરોગ્ય લક્ષી કામગીરી શરૂ કરવામાં આવી છે.શહેરમાં ખાડીપૂર અસરગ્રસ્ત વિસ્તારોમાંથી સામાન્ય ઝાડાના 250 કેસ તેમજ તાવના 400 કેસ નોંધાયા છે.સિવિલ હોસ્પિટલની OPDમાં 400થી વધારે કેસ આવી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે.મનપાના આરોગ્ય વિભાગ દ્વારા શહેરીજનોને અપીલ કરવામાં આવી છે કે કોઈ બીમારના લક્ષણ  દેખાય તો તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં સારવાર લેવા માટે જણાવવામાં આવ્યું છે.