ભરૂચનાં સાંસદ અને ધારાસભ્યએ જાતે જ કરી સફાઈ, અભિયાનમાં જોડાવા સૌને કરી અપિલ

New Update
ભરૂચનાં સાંસદ અને ધારાસભ્યએ જાતે જ કરી સફાઈ, અભિયાનમાં જોડાવા સૌને કરી અપિલ

ગણપતિ ઉત્સવમાં વપરાતા ફૂલોને નદી નાળામાં ન ફેંકતાં નિર્મળ કળશમાં નાખવા કલેક્ટરની અપીલ

વડાપ્રધાન મોદીનાં હસ્તે આજથી દેશભરમાં 'સ્વચ્છતા હી સેવા' અભિયાનની કરાઈ શરૂઆત કરવામાં આવી છે. જે અંતર્ગત આજરોજ ભરૂચ ખાતે સ્વચ્છતા પખવાડિયાની શરૂઆત કરવામાં આવી હતી. આ 15 દિવસ સુધી ચાાલનારા સ્વચ્છતા પખવાડામાં વિવિધ વિસ્તારોમાં સરકારી કચેરીઓ સાથે વિવિધ સ્વૈચ્છિકસંસ્થાઓ પણ જોડાશે. આજરોજ જિલ્લા કલેક્ટર રવિકુમાર અરોરાની ઉપસ્થિતિમાં શરૂ થયેલા સ્વચ્છતા પખવાડામાં રોટરી ક્લબ, જીપીસીબી, નગર પાલિકા ભરૂચ અને બાગાયત વિભાગનાં સહયોગથી આ નવી કામગીરીની શરૂઆત કરવામાં આવી છે.

ભરૂચ ખાતે આજથી શરૂ થયેલા આ સ્વચ્છતા પખવાડામાં ભરૂચ જિલ્લાના સાંસદ મનસુખ વસાવ, ધારાસભ્ય દુષ્યંત પટેલ સહિત અ્ય આગેવાનોએ જાતે જ ઝાડૂ ઉપાડી સાફ સફાઈ કરી હતી. આ પખવાડીયામાં જોડાવા સૌને અપિલ પણ કરી હતી. આ પખવાડિયા ની ઉજવણીના ભાગરૂપે જિલ્લા કલેક્ટરે અપિલ કરતાં નગરજનોને જણાવ્યું હતું કે, હાલમાં ગણેશ ઉત્સવ ચાલી રહ્યો છે. જેમાં સૌથી વધુ ગણેશ મંડળો ભરૂચમાં છે. ત્યારે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ગણપતિનાં દર્શન માટે જાય છે. દર્શન માટે વપરાતા ફૂલો નદી નાળામાં ન ફેકતાં નિર્મળ કળશમાં ફેંકવામાં આવે તો સ્વચ્છતા જાળવી શકીશું.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે નિર્મળ કળશમાં થયેલું ફુલોનું કલેક્શન બાદમાં વર્મી કમ્પોસ્ટ કરાવવામાં આવશે અને સ્વચ્છતા એકર સેવાનો સંદેશો આપવામાં આવશે. આજથી શરૂ થયેલા આ કાર્યક્રમમાં નગરપાલિકાનાં હોદ્દેદારો, કર્મચારીઓ, રોટરી ક્લબનાં મેમ્બર્સ અને નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Read the Next Article

“વિશ્વ વસ્તી દિન” : ભરૂચના આમોદમાં આરોગ્ય કર્મચારીઓએ રેલી યોજી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો...

ભરૂચ જિલ્લાના આમોદ ખાતે આરોગ્ય કર્મચારીઓ દ્વારા વિશ્વ વસ્તી દિવસ નિમિત્તે વિશાળ રેલી યોજી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

New Update

આજરોજ ઠેર ઠેર વિશ્વ વસ્તી દિવસની ઉજવણી કરાય

ભરૂચ જિલ્લા પંચાયત આરોગ્ય શાખા દ્વારા આયોજન

આમોદ તાલુકા આરોગ્ય કચેરી દ્વારા કાર્યક્રમ યોજાયો

આરોગ્ય કર્મચારીઓ દ્વારા સૂત્રોચાર સાથે રેલી યોજાય

સૂત્રો પોકારી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો

ભરૂચ જિલ્લાના આમોદ ખાતે આરોગ્ય કર્મચારીઓ દ્વારા વિશ્વ વસ્તી દિવસ નિમિત્તે વિશાળ રેલી યોજી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

ભરૂચ જિલ્લા પંચાયત આરોગ્ય શાખા-ભરૂચના માર્ગદર્શન હેઠળ આમોદ તાલુકા આરોગ્ય કચેરી દ્વારા વિશ્વ વસ્તી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં આમોદ તાલુકા આરોગ્ય કચેરીથી મામલતદાર કચેરી સુધી આરોગ્ય કર્મચારીઓએ હાથમાં વિવિધ પ્લેકાર્ડ લખેલા સૂત્રોચાર સાથે વિશાળ રેલી યોજી હતી. જેમાં આમોદ તાલુકાના સમનીઆછોદ તેમજ માતર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના તમામ આરોગ્ય કર્મચારીઓ હાજર રહ્યા હતા. આ સાથે જ આમોદ તાલુકા આરોગ્ય અધિકારી ડો. કંચનકુમાર સિંગ પણ રેલીમાં જોડાયા હતા. રેલી દરમિયાન આરોગ્ય કર્મચારીઓએ હાથમાં વિવિધ સૂત્રો લખેલા પ્લેકાર્ડ બતાવી લોકોને જાગૃત કર્યા  હતા. તેમજ'નાનું કુટુંબસુખી કુટુંબ', 'માઁ બનવાની એ જ ઉંમરજ્યારે શરીર અને મન હોય તૈયારજેવા સૂત્રો પોકારી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો હતો. વિશ્વ વસ્તી દિવસ નિમિત્તે આમોદ તાલુકા આરોગ્ય અધિકારી કંચનકુમાર સિંગ દ્વારા વસ્તી નિયંત્રણ કરવા લોકોને અપીલ કરવામાં આવી હતી.