પશ્ચિમ રેલવે દ્વારા તહેવારોને ધ્યાનમાં રાખીને અમદાવાદથી બાંદ્રા વચ્ચે બે વિશેષ ટ્રેન દોડાવવામાં આવશે

આગામી તહેવારને ધ્યાનમાં રાખી પશ્ચિમ રેલવે દ્વારા બે સ્પેશિયલ ટ્રેન શરુ કરવાનો નિર્ણય લેવાયો છે. રક્ષાબંધન આ વર્ષે 19મી ઓગસ્ટે આવે છે.

Due to rain, the rail traffic was affected, 11 trains ran late, two trains were cancelled
New Update

આગામી તહેવારને ધ્યાનમાં રાખી પશ્ચિમ રેલવે દ્વારા બે સ્પેશિયલ ટ્રેન શરુ કરવાનો નિર્ણય લેવાયો છે. રક્ષાબંધન આ વર્ષે 19મી ઓગસ્ટે આવે છે.

આ ટ્રેનો બાંદ્રા ટર્મિનસથી જયપુર અને અમદાવાદ સુધી ચાલશે બંને ટ્રેનનડિયાદઆણંદવડોદરાભરૂચસુરતવલસાડવાપીપાલઘર અને બોરીવલી સ્ટેશનો પર બંને દિશામાં રોકાશે.

 બાંદ્રા-અમદાવાદ સ્પેશિયલ નામની ટ્રેન નંબર 09053 14મી ઓગસ્ટે રાત્રે 9:30 કલાકે બાન્દ્રા ટર્મિનસથી ઉપડશે. સવારે 1:38 વાગ્યે સુરત સ્ટેશન અને 5:30 વાગ્યે અમદાવાદ પહોંચશે. પરત ફરતી વખતે ટ્રેન નંબર 09054, અમદાવાદ-બાંદ્રા ટર્મિનસ સ્પેશ્યલ, 15મી ઓગસ્ટે સવારે 8:45 વાગ્યે અમદાવાદથી ઉપડશેબપોરે 1:25 વાગ્યે સુરત પહોંચશેઅને સાંજે 5:15 વાગ્યે બાંદ્રા ટર્મિનસ પહોંચશે. આ ટ્રેન પોતાની યાત્રા દરમિયાન બોરીવલીપાલઘરવાપીવલસાડસુરતભરૂચવડોદરાઆણંદનડિયાદ સહિતના સ્ટેશન પર રોકાશે.

 બાંદ્રા ટર્મિનસ-જયપુર સ્પેશિયલ નામની ટ્રેન નંબર 09037 15મી ઓગસ્ટે બાન્દ્રા ટર્મિનસથી રાત્રે 9:40 કલાકે ઉપડીને 1:45 કલાકે સુરત પહોંચશે. આ ટ્રેન બીજા દિવસે સાંજે 4:00 કલાકે જયપુર પહોંચશે. પરત ફરતી વખતે જયપુર-બાંદ્રા ટર્મિનસ સ્પેશ્યલ ટ્રેન નં.09038 જયપુરથી 16મી ઓગસ્ટે સાંજે 7:00 કલાકે જયપુરથી ઉપડશેબીજા દિવસે સવારે 8:35 વાગ્યે સુરત પહોંચશે અને અંતે બપોરે 1:00 વાગ્યે બાંદ્રા ટર્મિનસ પહોંચશે. મુસાફરી દરમિયાન આ ટ્રેન બોરીવલીપાલઘરવાપીવલસાડસુરતભરૂચવડોદરાગોધરારતલામનાગદાકોટા અને સવાઇ માધોપુર સ્ટેશનો પર રોકાશે.

#India #CGNews #travel #Train #Festival
Here are a few more articles:
Read the Next Article