Connect Gujarat
Featured

વડોદરા : પાદરાના સંતરામનગરમાં બંધ મકાનમાં તસ્કરો ત્રાટકયાં

વડોદરા : પાદરાના સંતરામનગરમાં બંધ મકાનમાં તસ્કરો ત્રાટકયાં
X

વડોદરા જિલ્લાના પાદરામાં આવેલાં સંતરામનગરમાં બંધ મકાનમાંથી તસ્કરો લાખો રૂપિયાની મત્તાનો હાથફેરો કરી પલાયન થઇ ગયાં છે. મકાનમાલિકની બે વર્ષીય પુત્રી બિમાર હોવાથી તેઓ તેની સારવાર માટે વડોદરા રોકાયાં હોવાથી ત્રણ દિવસથી મકાન બંધ હાલતમાં હતું.

પાદરાના પાતળિયા હનુમાન રોડ પર આવેલ સંતરામ નગર સોસાયટીમાં રહેતાં દેવાંગ પંચાલની બે વર્ષીય પુત્રી બિમાર હોવાથી તેની વડોદરા ખાતે સારવાર ચાલી રહી છે. દેવાંગભાઇ અને તેમના પત્ની વડોદરામાં હોવાથી તેમનું મકાન ત્રણ દિવસથી બંધ હતું. તેમના બંધ મકાનને નિશાન બનાવી તસ્કરો લાખો રૂપિયાની મત્તાનો હાથ ફેરો કરી પલાયન થઇ ગયાં હતાં.

દેવાંગભાઇના ઘરની નજીક તેમના સાઢુભાઇનું પણ મકાન આવેલું છે. તેમના મકાનને દરવાજાની આગળ ગ્રીલ નહિ હોવાથી તેમણે તેમના ઘરનો કિમંતી સામાન પણ દેવાંગ ભાઇને ત્યાં રાખ્યો હતો. ચોરીના બનાવમાં સાઢુભાઇને પણ કિમંતી સામાન ગુમાવવાનો વારો આવ્યો છે. ચોરીની ઘટના બાદ પાદરા પોલીસના નાઇટ પેટ્રોલિંગ સામે પણ સવાલો ઉભા થયાં છે.

Next Story