વડોદરા : શાળામાં શૈક્ષણિક કાર્ય દરમ્યાન દીવાલ ધરાશાયી થતાં એક વિદ્યાર્થીને ઈજા

વડોદરા શહેરના વાઘોડિયા રોડ પર આવેલી એક સ્કૂલમાં છતનો ભાગ ધરાશાયી થતાં મોટી હોનારત સર્જાય હતી. આ બનાવમાં એક વિદ્યાર્થીને ઈજા પહોંચી હોવાનું સામે આવ્યું છે.

New Update

વડોદરા શહેરના વાઘોડિયા રોડ પર આવેલી એક સ્કૂલમાં છતનો ભાગ ધરાશાયી થતાં મોટી હોનારત સર્જાય હતી. આ બનાવમાં એક વિદ્યાર્થીને ઈજા પહોંચી હોવાનું સામે આવ્યું છે.

મળતી માહિતી અનુસાર, વડોદરા શહેરના ગુરુકુળ ચાર રસ્તા પાસે શ્રી નારાયણ વિદ્યાલય સ્કૂલમાં દીવાલ ધરાશાયી થવાની ઘટના બની છે. વિદ્યાર્થીઓ અહીં નીચે પાર્ક કરેલી સાયકલ લેવા આવ્યા હતા, ત્યારે રીસેસ દરમિયાન આ ઘટના બની હતી. અચાનક જ પહેલા માળે વર્ગ-8ની દીવાલનો ભાગ ધરાશાયી થયો હતો, અને વર્ગખંડનું ફ્લોરિંગ ધરાશાયી થતાં બેન્ચીસ પણ નીચે પડી ગઈ હતી.

આ દુર્ઘટનામાં એક વિદ્યાર્થી ઈજાગ્રસ્ત થયો હતો, ત્યારે ઈજાગ્રસ્ત વિદ્યાર્થીને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ ઘટનાની જાણ થતા જ સ્કૂલ પર વાલીઓનો ઘસારો જોવા મળ્યો હતો. વાલીઓ પોતાના બાળકોને લેવા દોડી આવ્યા હતા. આ સાથે જ ફાયર બ્રિગેડની ટી, તબીબો અને પોલીસ કાફલો પણ સ્કૂલ ખાતે ધસી આવ્યો હતો. મહત્વનું છે કેઆ ઘટના બાબતે પાડોશીઓ સાથે વાત કરતા જાણવા મળ્યું હતું કે, આ શાળા 14 કે, 15 વર્ષ જેટલી આ સ્કૂલ જૂની છે. અહીં બે પાળી ચાલે છે. શાળામાંથી અગાઉ પણ છતના પોપડા પડ્યા હતા. જે અંગે પાડોશીએ તે લોકોને શાળા સંચાલકોને જાણ પણ કરી હતી. પરંતુ તેમની વાત ધ્યાનમાં લેવામાં ન આવતા આજે આ પરિસ્થતિ સર્જાય હતી.

Read the Next Article

વડોદરા : ઘર આંગણે જ બે વર્ષીય માસુમ બાળકીનું કાર નીચે કચડાઇ જતા કરૂણ મોત,અકસ્માત સર્જી ચાલક ફરાર

વડોદરા વાઘોડિયાના મોરલીપુરા ગામના પરમાર ફળિયામાં ઘરની બહાર રમી રહેલી બે વર્ષીય માસુમ બાળકીનું બ્રેઝા કાર નીચે કચડાઇ જતા ઘટના સ્થળે મોત થયું હતું.

New Update
  • મોરલીપુરામાં અકસ્માતનો બનાવ

  • ઘર આંગણે રમતી બાળા બની અકસ્માતનો ભોગ

  • બે વર્ષીય માસુમ બાળકીને બ્રેઝા કારે લીધી અડફેટમાં

  • કાર નીચે કચડાઈને માસૂમનું નીપજ્યું મોત

  • અકસ્માત સર્જીને કાર ચાલક ફરાર

  • જરોદ પોલીસે શરૂ કરી તપાસ 

વડોદરા વાઘોડિયાના મોરલીપુરા ગામના પરમાર ફળિયામાં ઘરની બહાર રમી રહેલી બે વર્ષીય માસુમ બાળકીનું બ્રેઝા કાર નીચે કચડાઇ જતા ઘટના સ્થળે મોત થયું હતું.બનાવને પગલે કાર ચાલક અકસ્માત સર્જી ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો.ઘટના અંગે જરોદ પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી હતી.

સુરતના કોસંબાની ગ્લાસ કંપનીમાં નોકરી કરતા અને વડોદરાના વાઘોડિયા તાલુકાના મોરલીપુરા ગામના પરમાર ફળિયા ખાતે રહેતા પિયુષ પરમારને સંતાનમાં બે દીકરીઓ છે.જે પૈકી નાની દીકરી બે વર્ષીય યુક્તિ શનિવારે સાંજના સુમારે પોતાના ઘર બહાર રમી રહી હતી.આ દરમિયાન અચાનક એક બ્રેઝા કારના ચાલકે આ બાળકીને અડફેટે લેતા બાળકીનું કારના ટાયર નીચે કચડાઈ જતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.જેથી રોષે ભરાયેલા પરિવારજનોએ કારના કાચની તોડફોડ કરી હતી.જ્યારે કાર ચાલક ગામનો જ રહેવાસી ગણપત પરમાર અકસ્માત સર્જી ઘટના ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો.

સમગ્ર બનાવને પગલે પોલીસને જાણ કરાતા જરોદ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતીઅને બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથધરી હતી. બાળકીના પરિવારજનો દ્વારા જરોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જ્યારે પોલીસે પરિવારજનોની ફરિયાદના આધારે કાર ચાલકની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા.