Connect Gujarat
વડોદરા 

વડોદરામાં ભાજપ અધ્યક્ષ સી. આર. પાટીલના હસ્તે નવીન કાર્યાલયનું ખાતમૂહુર્ત કરાયું

વડોદરા શહેરના કારેલીબાગ જલારામ મંદિર રોડ ખાતે ભાજપનું નવી કાર્યાલય બનનાર છે.

X

ભાજપ સરકાર દ્વારા દરેક જીલ્લામાં કાર્યાલય બનાવવાની યોજના હેઠળ આજરોજ વડોદરામાં ખાતમૂહૂર્ત કાયક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ દ્વારા કાર્યાલયનું ખાતમૂહૂર્ત કરવામાં આવ્યં હતું. વડોદરા શહેરના કારેલીબાગ જલારામ મંદિર રોડ ખાતે ભાજપનું નવી કાર્યાલય બનનાર છે. જેનું ખાતમૂહૂર્ત આજે ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલના હસ્તે કરવામાં આવ્યું છે.

આ કાર્યક્રમમાં વડોદરાના મેયર નિલેસ રાઠોડ, સાંસદ અને ધારાસભ્ય સહિત કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.મહત્વનું છે કે, ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગરમાં રાજકીય નેતાઓના પ્રવાસો વધી રહ્યા છે. ત્યારે આ કાર્યાલય ખાતેથી કાર્યકર્તાઓને માર્ગદર્શન મળી રહી તે માટે આ કાર્યાલયનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે જેનો મુખ્ય હેતુ છે કે, દરેક કાર્યકર્તાઓ કાર્યલાય ખાતે આવી યોગ્ય માર્ગદર્શન મેળવી શકે તેમ છે.

Next Story