વડોદરાશહેરમાં પૂર પ્રકોપ સરકાર સર્જિત હોવાનો કોંગ્રેસના MLA અમિત ચાવડાનો આક્ષેપ

વડોદરામાં વિશ્વામિત્રી નદીમાં પૂર બાદ શહેરની સ્થિતિ ખુબજ દયનિય બની છે,ત્યારે  કોંગ્રેસના ધારાસભ્ય અને વિરોધ પક્ષના નેતા અમિત ચાવડાએ એક પત્રકાર પરિષદ યોજી હતી

New Update

વડોદરામાં વિશ્વામિત્રી નદીમાં પૂર બાદ શહેરની સ્થિતિ ખુબજ દયનિય બની છે,ત્યારે  કોંગ્રેસના ધારાસભ્ય અને વિરોધ પક્ષના નેતા અમિત ચાવડાએ એક પત્રકાર પરિષદ યોજી હતી,અને રાજ્ય સરકાર પર આક્ષેપ કર્યા હતા.

વડોદરામાં વિશ્વામિત્રી નદીમાં આવેલા ઘોડા પુરે સમગ્ર શહેરને બાનમાં લીધું હતું.પૂર બાદ શહેરમાં પરિસ્થિતિ ધીમે ધીમે થાળે પડી રહી છે,ત્યારે હવે કોંગ્રેસ પૂર પીડિતોની વ્હારે આવ્યા છે.કોંગ્રેસના ધારાસભ્ય અને વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા અમિત ચાવડા દ્વારા વડોદરામાં પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી.જેમાં તેઓએ પૂર માટે રાજ્ય સરકારને જવાબદાર ગણાવી હતી.તેમજ વડોદરામાં વરસાદી કાંસ તેમજ અન્ય જગ્યા પરના કુદરતી સ્ત્રોતો પરના દબાણોને કારણે શહેરવાસીઓ પૂરનો ભોગ બન્યા હોવાના આક્ષેપ પણ તેઓએ કર્યા હતા.વધુમાં તેઓએ ભાજપના નેતાનો બંગલો પણ ગેરકાયદેસર હોવાના આક્ષેપ કરીને અગોરા મોલ તેમજ બાલાજી,દર્શનમ જેવી સાઈટો પણ મોટું દબાણ કર્યું હોવાના આક્ષેપ પણ  તેઓએ કર્યા હતા.
Read the Next Article

વડોદરા : ગંભીરા બ્રિજ દુર્ઘટનાનો આજે ત્રીજો દિવસ, 18 લોકોના મોત, 2 લોકોની શોધખોળ યથાવત

નદીમાં ખૂંપી ગયેલી ટ્રક નીચે કેટલાક લોકો દબાયા હોવાની પણ આશંકા સેવાઇ રહી છે. જોકે, રેસ્ક્યૂ કામગીરીનો આજે સતત ત્રીજો દિવસ છે, ત્યારે 3 ટ્રક અને એક બાઇકને નદીમાંથી બહાર કાઢવામાં આવી

New Update
  • વડોદરા-આણંદ વચ્ચે ગંભીરા બ્રિજ ઘટનાનો ત્રીજો દિવસ

  • દુર્ઘટનામાં 3 ટ્રક-બાઇક નદીમાંથી બહાર કાઢવામાં આવી

  • ઘટનામાં 18 લોકોના મોત2 લોકોની શોધખોળ યથાવત

  • સલ્ફ્યુરિક એસિડ સ્પ્રેડ થવાથી રેસ્ક્યૂ કામગીરીમાં મુશ્કેલી

  • NDRF દ્વારા 15 બોટ દ્વારા ચાલતું સતત રેસ્ક્યૂ ઓપરેશન

વડોદરા-આણંદ વચ્ચે આવેલ ગંભીરા બ્રિજ ગત તા. 9મી જુલાઈએ તૂટી પડતા 18 લોકોને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. આ સાથે જ 2 લોકો ગુમ હોવાથી તેમની શોધખોળ ચાલી રહી છે.

વિકસિત ગુજરાતમાં સર્જાયેલી વડોદરા-આણંદ ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં 18 લોકો જીવ ગુમાવી ચૂક્યા છે. ઉપરાંત ગુમ થયેલા 2 લોકોની પણ શોધખોળ યથાવત રાખવામાં આવી છેત્યારે આ દુર્ઘટનાના 50 કલાક બાદ પણ નદીમાં પડી ગયેલા તમામ વાહનો અને ગુમ થયેલા લોકોને બહાર કાઢવામાં સફળતા ન મળતા સરકારની રેસ્ક્યૂ કામગીરીને લઈને પણ સવાલ ઉઠ્યા છે. નદીમાં ખૂંપી ગયેલી ટ્રક નીચે કેટલાક લોકો દબાયા હોવાની પણ આશંકા સેવાઇ રહી છે. જોકેરેસ્ક્યૂ કામગીરીનો આજે સતત ત્રીજો દિવસ છેત્યારે 3 ટ્રક અને એક બાઇકને નદીમાંથી બહાર કાઢવામાં આવી હતી.

નદીમાં ખાબકેલા ટ્રકમાં રહેલ સલ્ફ્યુરિક એસિડ સ્પ્રેડ થતું હોવાથી રેસ્ક્યૂ કામગીરીમાં મુશ્કેલી આવી રહી છેજેથી સંપૂર્ણ કામગીરી ક્યારે પૂર્ણ થશે તે કહેવું હાલ મુશ્કેલ બન્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કેરેસ્ક્યૂ ઓપરેશન માટેNDRFએ વધુ એક બોટને મહીસાગર નદીમાં ઉતારી છેત્યારે હાલ 15 બોટ દ્વારા સતત રેસ્ક્યૂ ઓપરેશન ચાલી રહ્યું છે.