ઢાઢર નદી ફરી “ઉફાન” પર..! : દેવ ડેમમાંથી પાણી આવતા વડોદરાના વાઘોડિયા-ડભોઈના 16 ગામોને એલર્ટ કરાયા...

દેવ ડેમમાં છોડવામાં આવી રહેલા પાણીના કારણે પરિણામે વડોદરા જિલ્લાના વાઘોડિયા અને ડભોઈ તાલુકાના 16 ગામોના નાગરિકોને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સચેત રહેવા સૂચના આપવામાં આવી છે.

New Update

વાઘોડિયા નજીક આવેલા દેવ ડેમમાં સતત પાણીની આવક

પાણીની આવકના કારણે દેવ ડેમ છલકાવાની સ્થિતિમાં આવ્યો

નદીના કિનારે આવેલા 16 ગામોને તંત્ર દ્વારા સાવચેત કરાયા

દંગીવાડાકબિરપૂરાનારણપુરાબાંબોજ ગામમાં પાણી ઘૂસ્યા

પાણીની ભારે આવક થતાં ડભોઇ-વાઘોડિયા રોડ બંધ કરાયો

દેવ ડેમમાં છોડવામાં આવી રહેલા પાણીના કારણે પરિણામે વડોદરા જિલ્લાના વાઘોડિયા અને ડભોઈ તાલુકાના 16 ગામોના નાગરિકોને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સચેત રહેવા સૂચના આપવામાં આવી છે.

ઉપરવાસના દેવ જળાશયની જળ સપાટી હાલમાં 89.65 મીટર પર પહોચી છે. જળાશયનું રૂલ લેવલ જાળવવા 2 દરવાજાને ખોલવામાં આવ્યા છે. આમડેમમાં પાણીની આવક 1431.23 ક્યુસેક છે. પાણીનો ફ્લો 1364.57 ક્યુસેક રહ્યો છે. તો બીજી તરફદેવ જળાશયના પાણી વડોદરા જિલ્લામાંથી પસાર થતી ઢાઢર નદીમાં આવતા ફરી એકવાર પૂરની પરિસ્થિતી સર્જાય છે. જેના પગલે વહીવટી તંત્ર દ્વારા નદી કાંઠાના ગામોના લોકોને સાવચેત કરવા સાથે તકેદારીના પગલાં લેવામાં આવ્યા છે.

આ તરફડભોઇ નજીક ઢાઢર નદીમાં ફરી એકવાર પૂરની પરિસ્થતિ સર્જાઇ છે. ઉપરવાસમાં વરસાદને પગલે ફરી દેવ ડેમમાંથી પાણી છોડાયું છે. ડભોઇના દંગીવાડાકબિરપૂરાનારણપુરાબાંબોજ સહિત કરાલીપુરા ગામોના મુખ્ય માર્ગો ઉપર ગોઠણસમાં પાણી ભરાયા છે. સિઝનમાં ચોથી વખત ઢાઢર નદી ઉફાને ચડી છે. 7 જેટલા ગામના મુખ્ય માર્ગ ઉપર પાણી ફરી વળતા સંપર્ક તૂટ્યો છે. જોકેવડોદરા જિલ્લા કલેક્ટર બીજલ શાહે તાલુકા લાયઝન અધિકારીઓને સ્થિતિ પર નજર રાખી અગમચેતીના તમામ જરૂરી પગલાં લેવા પ્રાંત અધિકારી ડભોઈમામલતદારતાલુકા વિકાસ અધિકારી અને તલાટીઓએ સૂચના આપી છે.

Read the Next Article

વડોદરા : ઘર આંગણે જ બે વર્ષીય માસુમ બાળકીનું કાર નીચે કચડાઇ જતા કરૂણ મોત,અકસ્માત સર્જી ચાલક ફરાર

વડોદરા વાઘોડિયાના મોરલીપુરા ગામના પરમાર ફળિયામાં ઘરની બહાર રમી રહેલી બે વર્ષીય માસુમ બાળકીનું બ્રેઝા કાર નીચે કચડાઇ જતા ઘટના સ્થળે મોત થયું હતું.

New Update
  • મોરલીપુરામાં અકસ્માતનો બનાવ

  • ઘર આંગણે રમતી બાળા બની અકસ્માતનો ભોગ

  • બે વર્ષીય માસુમ બાળકીને બ્રેઝા કારે લીધી અડફેટમાં

  • કાર નીચે કચડાઈને માસૂમનું નીપજ્યું મોત

  • અકસ્માત સર્જીને કાર ચાલક ફરાર

  • જરોદ પોલીસે શરૂ કરી તપાસ 

વડોદરા વાઘોડિયાના મોરલીપુરા ગામના પરમાર ફળિયામાં ઘરની બહાર રમી રહેલી બે વર્ષીય માસુમ બાળકીનું બ્રેઝા કાર નીચે કચડાઇ જતા ઘટના સ્થળે મોત થયું હતું.બનાવને પગલે કાર ચાલક અકસ્માત સર્જી ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો.ઘટના અંગે જરોદ પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી હતી.

સુરતના કોસંબાની ગ્લાસ કંપનીમાં નોકરી કરતા અને વડોદરાના વાઘોડિયા તાલુકાના મોરલીપુરા ગામના પરમાર ફળિયા ખાતે રહેતા પિયુષ પરમારને સંતાનમાં બે દીકરીઓ છે.જે પૈકી નાની દીકરી બે વર્ષીય યુક્તિ શનિવારે સાંજના સુમારે પોતાના ઘર બહાર રમી રહી હતી.આ દરમિયાન અચાનક એક બ્રેઝા કારના ચાલકે આ બાળકીને અડફેટે લેતા બાળકીનું કારના ટાયર નીચે કચડાઈ જતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.જેથી રોષે ભરાયેલા પરિવારજનોએ કારના કાચની તોડફોડ કરી હતી.જ્યારે કાર ચાલક ગામનો જ રહેવાસી ગણપત પરમાર અકસ્માત સર્જી ઘટના ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો.

સમગ્ર બનાવને પગલે પોલીસને જાણ કરાતા જરોદ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતીઅને બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથધરી હતી. બાળકીના પરિવારજનો દ્વારા જરોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જ્યારે પોલીસે પરિવારજનોની ફરિયાદના આધારે કાર ચાલકની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા.