વડોદરા:મહાનગરપાલિકાની સામાન્ય સભામાં સત્તાપક્ષ વિપક્ષના વિશ્વામિત્રી નદી પર દબાણ મુદ્દે આક્ષેપ પ્રતિઆક્ષેપ

વડોદરા મહાનગરપાલિકાની સામાન્ય સભામાં વિશ્વામિત્રી નદી કાંઠેના દબાણનો મુદ્દો ગરમાયો હતો,જેમાં સત્તાપક્ષ અને વિપક્ષ દ્વારા એકબીજા પર આક્ષેપ પ્રતિઆક્ષેપ કરવામાં આવ્યા હતા.

New Update

વડોદરા મહાનગરપાલિકાની સામાન્ય સભા મળી 

સત્તાપક્ષ અને વિપક્ષ વચ્ચે થઇ આક્ષેપબાજી 

વિશ્વામિત્રી નદી કાંઠે બાંધકામ મુદ્દે કરવામાં આવ્યા આક્ષેપ

ભાજપના ક્રોપોરેટરે કોંગ્રે પર દબાણ મુદ્દે કર્યા આક્ષેપ 

તો કોંગ્રેસે કર્યા ભાજપ સામે ગેરકાયદેસર બાંધકામના પ્રતિઆક્ષેપ 

વડોદરા મહાનગરપાલિકાની સામાન્ય સભામાં વિશ્વામિત્રી નદી કાંઠેના દબાણનો મુદ્દો ગરમાયો હતો,જેમાં સત્તાપક્ષ અને વિપક્ષ દ્વારા એકબીજા પર આક્ષેપ પ્રતિઆક્ષેપ કરવામાં આવ્યા હતા.
વડોદરા મહાનગરપાલિકાની સામાન્ય સભા ગતરોજ મળવા પામી હતી.જેમાં ભાજપના વોર્ડ નંબર ત્રણના કાઉન્સિલર પરાક્રમસિંહ જાડેજા વિશ્વામિત્રી નદી કાંઠે ગેરકાયદેસર બાંધેલા ઓટલા સ્વૈચ્છીક રીતે તોડી પાડવામાં આવ્યા હતા.ત્યારે પરાક્રમસિંહ જાડેજાએ કોંગ્રેસના પૂર્વ જિલ્લા પ્રમુખે પ્રતિબંધિત ઝોનમાં બાંધેલા બંગલા સામે કાર્યવાહી કરવી જોઈએ તેવો પ્રશ્ન ઉઠાવ્યો હતો,જ્યારે કોંગ્રેસના પૂર્વ વિપક્ષ નેતાએ ભાજપના રાજમાં નદીકાંઠા પર થયેલા બાંધકામનો મુદ્દો ઉઠાવતા મામલો ગરમાયો હતો.

વોર્ડ નંબર ત્રણના કાઉન્સિલર પરાક્રમસિંહ જાડેજાએ કોંગ્રેસના જિલ્લા પૂર્વ પ્રમુખ વિનુ પટેલ ઉપર નિશાન સાધતા જણાવ્યું હતું કે, તેમની જમીન પ્રતિબંધિત ઝોનની હતી,તેમાં વળતર આપવાનો ઠરાવ પણ થયો છે.આ લીંક રોડ પર બ્રિજ બનાવવાનો હતો અને જમીન સંપાદનનો પ્રશ્ન ઉપસ્થિત થતા વિનુ પટેલને કારણે આ બ્રિજ રૂપિયા પાંચ કરોડનો થવાનો હતો,તેના બદલે 10 કરોડનો થયો છે. તેમણે જ્યારે બાંધકામ શરૂ કર્યું ત્યારે આ જમીન પ્રતિબંધિત ઝોનની હોવાથી કોર્ટે પણ બાંધકામ અંગે યથાવત સ્થિતિ જાળવવા હુકમ કર્યો હતો.તેમ છતાં તેમને બાંધકામ કર્યું હતું. જી ડી સી આરના નિયમ પ્રમાણે વિશ્વામિત્રી નદી કિનારાથી 30 મીટરનું માર્જિન છોડવાનું હોય છે.તે પણ છોડ્યું નથી તેમણે આક્ષેપ કર્યો હતો કે કોંગ્રેસના અગ્રણી અમિત ચાવડાને માત્ર ભાજપનો કોર્પોરેટર છું એટલે તેમણે મારા બાંધકામ વિરુદ્ધ મુખ્યમંત્રીને પત્ર લખ્યો હતો. હવે તેઓ તેમના જ પક્ષના પૂર્વ પ્રમુખનું બાંધકામ તોડવા મુખ્યમંત્રીને પત્ર લખશે ખરા તેવા સવાલ વોર્ડ નંબર ત્રણના ભાજપના કાઉન્સિલર દ્વારા કરવામાં આવ્યા હતા.આમ મહાનગરપાલિકાની સામાન્ય સભામાં સત્તાપક્ષ અને વિપક્ષ વચ્ચે આક્ષેપ અને પ્રતિઆક્ષેપ સાથે સભા પૂર્ણ થઇ હતી. 
Read the Next Article

વડોદરા : ગંભીરા બ્રિજ દુર્ઘટનાનો આજે ત્રીજો દિવસ, 18 લોકોના મોત, 2 લોકોની શોધખોળ યથાવત

નદીમાં ખૂંપી ગયેલી ટ્રક નીચે કેટલાક લોકો દબાયા હોવાની પણ આશંકા સેવાઇ રહી છે. જોકે, રેસ્ક્યૂ કામગીરીનો આજે સતત ત્રીજો દિવસ છે, ત્યારે 3 ટ્રક અને એક બાઇકને નદીમાંથી બહાર કાઢવામાં આવી

New Update
  • વડોદરા-આણંદ વચ્ચે ગંભીરા બ્રિજ ઘટનાનો ત્રીજો દિવસ

  • દુર્ઘટનામાં 3 ટ્રક-બાઇક નદીમાંથી બહાર કાઢવામાં આવી

  • ઘટનામાં 18 લોકોના મોત2 લોકોની શોધખોળ યથાવત

  • સલ્ફ્યુરિક એસિડ સ્પ્રેડ થવાથી રેસ્ક્યૂ કામગીરીમાં મુશ્કેલી

  • NDRF દ્વારા 15 બોટ દ્વારા ચાલતું સતત રેસ્ક્યૂ ઓપરેશન

વડોદરા-આણંદ વચ્ચે આવેલ ગંભીરા બ્રિજ ગત તા. 9મી જુલાઈએ તૂટી પડતા 18 લોકોને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. આ સાથે જ 2 લોકો ગુમ હોવાથી તેમની શોધખોળ ચાલી રહી છે.

વિકસિત ગુજરાતમાં સર્જાયેલી વડોદરા-આણંદ ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં 18 લોકો જીવ ગુમાવી ચૂક્યા છે. ઉપરાંત ગુમ થયેલા 2 લોકોની પણ શોધખોળ યથાવત રાખવામાં આવી છેત્યારે આ દુર્ઘટનાના 50 કલાક બાદ પણ નદીમાં પડી ગયેલા તમામ વાહનો અને ગુમ થયેલા લોકોને બહાર કાઢવામાં સફળતા ન મળતા સરકારની રેસ્ક્યૂ કામગીરીને લઈને પણ સવાલ ઉઠ્યા છે. નદીમાં ખૂંપી ગયેલી ટ્રક નીચે કેટલાક લોકો દબાયા હોવાની પણ આશંકા સેવાઇ રહી છે. જોકેરેસ્ક્યૂ કામગીરીનો આજે સતત ત્રીજો દિવસ છેત્યારે 3 ટ્રક અને એક બાઇકને નદીમાંથી બહાર કાઢવામાં આવી હતી.

નદીમાં ખાબકેલા ટ્રકમાં રહેલ સલ્ફ્યુરિક એસિડ સ્પ્રેડ થતું હોવાથી રેસ્ક્યૂ કામગીરીમાં મુશ્કેલી આવી રહી છેજેથી સંપૂર્ણ કામગીરી ક્યારે પૂર્ણ થશે તે કહેવું હાલ મુશ્કેલ બન્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કેરેસ્ક્યૂ ઓપરેશન માટેNDRFએ વધુ એક બોટને મહીસાગર નદીમાં ઉતારી છેત્યારે હાલ 15 બોટ દ્વારા સતત રેસ્ક્યૂ ઓપરેશન ચાલી રહ્યું છે.