વડોદરા : ભાયલીમાં ભાડેથી રહેતા પિતા-પુત્રીના સામૂહિક આપઘાતની ઘટનાથી ચકચાર, પોલીસ તપાસ શરૂ.

ચિરાગ બ્રમ્હાણી અને તેમની 8 વર્ષની પુત્રીએ જીવન ટુંકાવ્યું હોવાની કમકમાટીભરી ઘટના સામે આવી છે. ઘટનાની જાણ થતા જ તાત્કાલીક વડોદરા તાલુકા પોલીસ દોડી આવી

New Update

ભાયલી વિસ્તારના ફ્લેટમાં પિતા-પુત્રીનો આપઘાત

ભાડેથી રહેતા પિતા-પુત્રીએ જીવન ટુંકાવતા ચકચાર

તાલુકા પોલીસ કાફલો તાત્કાલીક ઘટના સ્થળે દોડ્યો

સામૂહિક આપઘાતના મામલાની તલસ્પર્શી તપાસ શરૂ

આપઘાત કરવા પાછળનું ચોક્કસ કારણ હાલ અકબંધ

વડોદરા શહેરના ભાયલી વિસ્તારમાં આવેલા ફ્લેટમાં ભાડેથી રહેતા પિતા-પુત્રીએ જીવન ટુંકાવ્યું હોવાની કમકમાટીભરી ઘટના સામે આવી છે. બનાવની જાણ થતાં જ વડોદરા તાલુકા પોલીસ કાફલો તાત્કાલીક ઘટના સ્થળે દોડી આવ્યો હતો.

મળતી માહિતી અનુસારવડોદરા શહેરના ભાયલી વિસ્તારમાં આવેલ ધી ફ્લોરન્સ ફ્લેટમાં ચિરાગ બ્રમ્હાણી અને તેમની પુત્રી 2 માસથી ભાડેથી મકાન રાખીને રહેતા રહેતા હતા. ચિરાગ બ્રમ્હાણી અને તેમની 8 વર્ષની પુત્રીએ જીવન ટુંકાવ્યું હોવાની કમકમાટીભરી ઘટના સામે આવી છે. ઘટનાની જાણ થતા જ તાત્કાલીક વડોદરા તાલુકા પોલીસ દોડી આવી હતી. અને મામલાની તલસ્પર્શી તપાસ હાથ ધરવામાં આવી છે.

ભાયલી વિસ્તારમાં આવેલા ફ્લેટમાં રહેતા પિતા-પુત્રીએ શંકાસ્પદ દવા ગટગટાવીને જીવનનો અંત આણ્યો હોવાનું પ્રાથમિક સુત્રો જણાવી રહ્યા છે. સ્થાનિકે જણાવ્યું હતું કેઅમને કહ્યું હતું કેબહાર રહેલા બુટની અંદર ચાવી છે. ચાવીથી તાળું ખોલીને જોતાં બેડ પર સૂતેલી હાલતમાં જોવા મળ્યા હતા. અમને અંદાજો લાગ્યો કેતેમનું મૃત્યુ થઇ ગયું છે. એટલે તાત્કાલીક 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી.

108ની મેડિકલ ટીમ આવીને તપાસ કરતા 3-4 કલાક પહેલા મૃત્યુ થયું હોવાનું જણાવ્યું હતું. બાદમાં પોલીસને જાણ કરવામાં આવી હતી. જોકેપિતા-પુત્રીના સામૂહિક આપઘાતનું ચોક્કસ કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી.

Read the Next Article

વડોદરા : ઘર આંગણે જ બે વર્ષીય માસુમ બાળકીનું કાર નીચે કચડાઇ જતા કરૂણ મોત,અકસ્માત સર્જી ચાલક ફરાર

વડોદરા વાઘોડિયાના મોરલીપુરા ગામના પરમાર ફળિયામાં ઘરની બહાર રમી રહેલી બે વર્ષીય માસુમ બાળકીનું બ્રેઝા કાર નીચે કચડાઇ જતા ઘટના સ્થળે મોત થયું હતું.

New Update
  • મોરલીપુરામાં અકસ્માતનો બનાવ

  • ઘર આંગણે રમતી બાળા બની અકસ્માતનો ભોગ

  • બે વર્ષીય માસુમ બાળકીને બ્રેઝા કારે લીધી અડફેટમાં

  • કાર નીચે કચડાઈને માસૂમનું નીપજ્યું મોત

  • અકસ્માત સર્જીને કાર ચાલક ફરાર

  • જરોદ પોલીસે શરૂ કરી તપાસ 

વડોદરા વાઘોડિયાના મોરલીપુરા ગામના પરમાર ફળિયામાં ઘરની બહાર રમી રહેલી બે વર્ષીય માસુમ બાળકીનું બ્રેઝા કાર નીચે કચડાઇ જતા ઘટના સ્થળે મોત થયું હતું.બનાવને પગલે કાર ચાલક અકસ્માત સર્જી ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો.ઘટના અંગે જરોદ પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી હતી.

સુરતના કોસંબાની ગ્લાસ કંપનીમાં નોકરી કરતા અને વડોદરાના વાઘોડિયા તાલુકાના મોરલીપુરા ગામના પરમાર ફળિયા ખાતે રહેતા પિયુષ પરમારને સંતાનમાં બે દીકરીઓ છે.જે પૈકી નાની દીકરી બે વર્ષીય યુક્તિ શનિવારે સાંજના સુમારે પોતાના ઘર બહાર રમી રહી હતી.આ દરમિયાન અચાનક એક બ્રેઝા કારના ચાલકે આ બાળકીને અડફેટે લેતા બાળકીનું કારના ટાયર નીચે કચડાઈ જતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.જેથી રોષે ભરાયેલા પરિવારજનોએ કારના કાચની તોડફોડ કરી હતી.જ્યારે કાર ચાલક ગામનો જ રહેવાસી ગણપત પરમાર અકસ્માત સર્જી ઘટના ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો.

સમગ્ર બનાવને પગલે પોલીસને જાણ કરાતા જરોદ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતીઅને બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથધરી હતી. બાળકીના પરિવારજનો દ્વારા જરોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જ્યારે પોલીસે પરિવારજનોની ફરિયાદના આધારે કાર ચાલકની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા.