વડોદરા : ચોરી-ધાડથી ધાક જમાવનાર દાહોદની માતવા ગેંગના 4 સભ્યોની ધરપકડ, રૂ. 4.14 લાખનો મુદ્દામાલ જપ્ત

વડોદરા શહેરના અનેક વિસ્તારોમાંથી ચોરી-લૂંટની ઘટનાઓ સામે આવતા ફફડાટ મચી જવા પામ્યો હતો. જેમાં વડોદરા ક્રાઇમ બ્રાન્ચ પોલીસે રૂ. 4.14 લાખના મુદ્દામાલ સાથે દાહોદની માતવા ગેંગના 4 સભ્યોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

New Update

અનેક વિસ્તારમાંથી સામે આવી હતી ચોરી-લૂંટની ઘટનાઓ

ચોરી અને ધાડથી ધાક જમાવનાર માતવા ગેંગનો પર્દાફાશ

દાહોદની માતવા ગેંગના 4 સભ્યોની પોલીસે કરી ધરપકડ

ક્રાઇમ બ્રાન્ચ પોલીસે રૂ. 4.14 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

તસ્કરોએ 18 ઘરફોડ ચોરીને અંજામ આપ્યો હતો : પોલીસ

વડોદરા શહેરના અનેક વિસ્તારોમાંથી ચોરી-લૂંટની ઘટનાઓ સામે આવતા ફફડાટ મચી જવા પામ્યો હતો. જેમાં વડોદરા ક્રાઇમ બ્રાન્ચ પોલીસે રૂ. 4.14 લાખના મુદ્દામાલ સાથે દાહોદની માતવા ગેંગના 4 સભ્યોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

દાહોદ જિલ્લાના માતવા ગામે રહેતા અને અગાઉ વડોદરા અને ગોધરામાં ઘરફોડ ચોરીમાં સંડોવાયેલા આરોપી સુનિલ વહોનીયામાતવા ગેંગના નામથી ચોરીમાં સંડોવાયેલો હોવાના વડોદરા ક્રાઇમ બ્રાન્ચ પોલીસને પ્રબળ સંકેતો મળ્યા હતા. જેથી માતવા ગેંગની ભાળ મેળવવાની દિશામાં તજવીજ હાથ ધરવામાં આવી હતીઅને તે દિશામાં પેટ્રોલીંગ પણ વધારી દેવામાં આવ્યું હતું. આ દરમિયાન ગેંગનો મુખ્ય સુત્રધાર સુનીલ વહોનીયા ચોરી કરવાના આશયથી વડોદરાના ગોત્રી રોડ પર આવેલા ન્યુ અલકાપુરી વિસ્તારના ઝૂંપડામાં છુપાયેલો હોવાની બાતમી મળતા પોલીસ સ્થળ પર પહોંચી સુનીલ નારસીંગ વહોનીયાનિલેષ રેવલા મકવાણાપપ્પુ જવસીંગ તડવી અને સુખરામ દેવા વળવીને દબોચી લીધા હતાજ્યાં તમામે ચોરીનો મુદ્દામાલ એક થેલીમાં મુકી રાખ્યો હતો. વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ટીમે રૂ. 4.14 લાખના દાગીના અને રૂ. 37 હજાર રીકવર કર્યા હતા. તમામની આકરી પુછપરછ કરતા તેઓએ વટાણા વેરી દીધા હતા. છેલ્લા એક વર્ષમાં સુનિલ નારસીંગ વહોનીયા અને નિલેશ મકવાણાએ ગ્રામ્ય વિસ્તારની સોસાયટીઓમાં 18 ઘરફોડ ચોરીને અંજામ આપ્યો હતો.

Read the Next Article

વડોદરા : પાદરા નજીક ગંભીરા બ્રિજ તૂટી પડતાં વાહન સમેત લોકો નદીમાં પડ્યા, 9 વ્યક્તિના મોતની શક્યતા..!

વડોદરા જિલ્લાના પાદરા નજીક આણંદ-વડોદરાને જોડતો ગંભીરા બ્રિજની વચ્ચેનો ભાગ તૂટી પડતાં વાહન સમેત કેટલાક લોકો નદીમાં પડ્યા હતા.

New Update
  • આણંદ-વડોદરાને જોડતા ગંભીરા બ્રિજ પર દુર્ઘટના

  • ગંભીરા બ્રિજની વચ્ચેનો ભાગ અચાનક તૂટી પડ્યો

  • બ્રિજ તૂટી પડતાં વાહન સમેત લોકો નદીમાં પડ્યા

  • દુર્ઘટનામાં 9 લોકોના મોત નિપજ્યા હોવાની શક્યતા

  • અન્ય ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા

વડોદરા જિલ્લાના પાદરા નજીક આણંદ-વડોદરાને જોડતો ગંભીરા બ્રિજની વચ્ચેનો ભાગ તૂટી પડતાં વાહન સમેત કેટલાક લોકો નદીમાં પડ્યા હતા. આ દુર્ઘટનામાં 9 લોકોના મોત નિપજ્યા હોવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છેજ્યારે અન્ય ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

મધ્ય ગુજરાતથી સૌરાષ્ટ્રને જોડતો વડોદરા જિલ્લાના પાદરા નજીક મહીસાગર નદી પરનો 45 વર્ષ જૂનો ગંભીરા બ્રિજ વહેલી સવારે તૂટી પડતા હાહાકાર મચી ગયો હતો. આ ઘટનામાં બ્રિજ ઉપરથી પસાર થઈ રહેલી 2 ટ્રકએક બોલેરો જીપ સહિત 4 વાહનો 2 કાંઠે વહેતી મહીસાગર નદીમાં ખાબક્યા હતા. છેલ્લા ઘણા વર્ષથી જર્જરિત ગંભીરા બ્રિજ તૂટ્યો હોવાની જાણ થતા જ મુજપુર ગામના લોકો બચાવ કામગીરી માટે ઘટનાસ્થળે દોડી આવ્યા હતાજ્યાં મહીસાગર નદીમાં પડેલા વાહનોમાંથી બહાર નીકળીને વહેતા પાણીમાં તરફડીયા મારતા લોકોને બચાવી લેવામાં આવ્યા હતા. તો બીજી તરફબનાવની જાણ થતાં જ 20 જેટલી એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડની ગાડીઓ સહિત પાદરા પોલીસ કાફલો અનેNDRFની ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી બચાવ કામગીરી હાથ ધરી હતી.

આ દુર્ઘટનામાં 9 લોકોના મોત નિપજ્યા હોવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છેજ્યારે 8 લોકોને રેસ્ક્યુ કરી બચાવી લેવાયા છે. પાદરા હોસ્પિટલમાં 6 અને વડોદરાની સયાજી હોસ્પિટલમાં 2 લોકોને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. સ્થાનિકોએ જણાવ્યું હતું કે45 વર્ષ જૂના ગંભીરા બ્રિજના સમારકામ માટે તંત્રને અનેક વખત ધ્યાન દોરવામાં આવ્યું હતું. પરંતુ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા આજે મોટી દુર્ઘટના સર્જાય છે. ઉલ્લેખનીય છે કેગંભીરા બ્રિજ તૂટી પડતા દક્ષિણ ગુજરાતના પ્રવાસન અને પરિવહન વ્યવસ્થામાં ભારે ખલેલ પહોંચશે. આ બ્રિજ ભરૂચસુરતનવસારીતાપી અને વલસાડ સહિતના મુસાફરો માટે સૌરાષ્ટ્ર જવા માટે ઓછો ફેરાવો અને જલ્દી પહોંચવા માટે ફાયદાકારક હતો. જોકેહવે આ  બ્રિજ તૂટી પડતા દક્ષિણ ગુજરાતના લોકોને સૌરાષ્ટ્ર જવા માટે ભારે મથામણ કરવી પડશે તેમ ચર્ચાઇ રહ્યું છે.

Latest Stories