વડોદરા : 5 ફૂટ લાંબો મગર કાર નીચે ઘુસતાં રેસક્યું કરાયું, જુઓ "LIVE" રેસ્ક્યું...

વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં ગત રાત્રિના સમયે 5 ફૂટ લાંબો એક મગર વિશ્વામિત્રી નદીમાંથી બહાર આવી ગયો હતો.

New Update
વડોદરા : 5 ફૂટ લાંબો મગર કાર નીચે ઘુસતાં રેસક્યું કરાયું, જુઓ "LIVE" રેસ્ક્યું...

વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં ગત રાત્રિના સમયે 5 ફૂટ લાંબો એક મગર વિશ્વામિત્રી નદીમાંથી બહાર આવી ગયો હતો.આ દરમ્યાન તે કાર નીચે છુપાઇ જતાં ભારે જહેમત બાદ મગરનું રેસ્ક્યુ કરી બહાર કાઢવામાં આવ્યો હતો.

વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં આવેલ ખાસવાડી સ્મશાન નજીક ઘોડાના તબેલામાં એક મગર ઘુસી આવ્યો હતો, ત્યારે વિશ્વામિત્રી નદીમાંથી બહાર આવી ગયેલ 5 ફૂટ લાંબા મગરને ત્યાં રહેતા વ્યક્તિએ જોતાં વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટના કાર્યકરોને ફોન કરી આ અંગેની જાણ કરી હતી. જેથી અશોક પવાર સહિતના સાથીદારોએ દોડી આવી મગરનું રેસ્ક્યુ કરવાની કામગીરી હાથ ધરી હતી. જોકે, રાતનો સમય હોવાથી મગર તબેલાની બીજી તરફ ભગવા લાગ્યો હતો, જ્યાં રસ્તાની સાઇડમાં પાર્ક કરેલ કારની નીચે છુપાઈ ગયો હતો.

જેથી રેસ્ક્યુની કામગીરી કરતા કાર્યકરોએ મગરના મોઢા પર કંતાનનો કોથળો ઢાંકી દઇ તેને પહેલા શાંત કર્યો હતો. બાદમાં સાવચેતીપૂર્વક તેને રેસ્ક્યુ કરી સહી સલામત રીતે પકડી લેવામાં આવ્યો હતો. જ્યાર બાદ આ મગર વનવિભાગને સોંપવામાં આવ્યો હતો. જોકે, એક તરફ વિશ્વામિત્રીમાં કોર્પોરેશન દ્વારા જ સુવેઝના ગંદા પાણી છોડવામાં આવે છે, જેથી નદીમાં રહેતા મગર સહિતના જળચર પ્રાણીઓના અસ્તિત્વ પર સવાલ ઉભા થયા છે.

Read the Next Article

વડોદરા : ગંભીરા બ્રિજ દુર્ઘટનાનો આજે ત્રીજો દિવસ, 18 લોકોના મોત, 2 લોકોની શોધખોળ યથાવત

નદીમાં ખૂંપી ગયેલી ટ્રક નીચે કેટલાક લોકો દબાયા હોવાની પણ આશંકા સેવાઇ રહી છે. જોકે, રેસ્ક્યૂ કામગીરીનો આજે સતત ત્રીજો દિવસ છે, ત્યારે 3 ટ્રક અને એક બાઇકને નદીમાંથી બહાર કાઢવામાં આવી

New Update
  • વડોદરા-આણંદ વચ્ચે ગંભીરા બ્રિજ ઘટનાનો ત્રીજો દિવસ

  • દુર્ઘટનામાં 3 ટ્રક-બાઇક નદીમાંથી બહાર કાઢવામાં આવી

  • ઘટનામાં 18 લોકોના મોત2 લોકોની શોધખોળ યથાવત

  • સલ્ફ્યુરિક એસિડ સ્પ્રેડ થવાથી રેસ્ક્યૂ કામગીરીમાં મુશ્કેલી

  • NDRF દ્વારા 15 બોટ દ્વારા ચાલતું સતત રેસ્ક્યૂ ઓપરેશન

વડોદરા-આણંદ વચ્ચે આવેલ ગંભીરા બ્રિજ ગત તા. 9મી જુલાઈએ તૂટી પડતા 18 લોકોને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. આ સાથે જ 2 લોકો ગુમ હોવાથી તેમની શોધખોળ ચાલી રહી છે.

વિકસિત ગુજરાતમાં સર્જાયેલી વડોદરા-આણંદ ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં 18 લોકો જીવ ગુમાવી ચૂક્યા છે. ઉપરાંત ગુમ થયેલા 2 લોકોની પણ શોધખોળ યથાવત રાખવામાં આવી છેત્યારે આ દુર્ઘટનાના 50 કલાક બાદ પણ નદીમાં પડી ગયેલા તમામ વાહનો અને ગુમ થયેલા લોકોને બહાર કાઢવામાં સફળતા ન મળતા સરકારની રેસ્ક્યૂ કામગીરીને લઈને પણ સવાલ ઉઠ્યા છે. નદીમાં ખૂંપી ગયેલી ટ્રક નીચે કેટલાક લોકો દબાયા હોવાની પણ આશંકા સેવાઇ રહી છે. જોકેરેસ્ક્યૂ કામગીરીનો આજે સતત ત્રીજો દિવસ છેત્યારે 3 ટ્રક અને એક બાઇકને નદીમાંથી બહાર કાઢવામાં આવી હતી.

નદીમાં ખાબકેલા ટ્રકમાં રહેલ સલ્ફ્યુરિક એસિડ સ્પ્રેડ થતું હોવાથી રેસ્ક્યૂ કામગીરીમાં મુશ્કેલી આવી રહી છેજેથી સંપૂર્ણ કામગીરી ક્યારે પૂર્ણ થશે તે કહેવું હાલ મુશ્કેલ બન્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કેરેસ્ક્યૂ ઓપરેશન માટેNDRFએ વધુ એક બોટને મહીસાગર નદીમાં ઉતારી છેત્યારે હાલ 15 બોટ દ્વારા સતત રેસ્ક્યૂ ઓપરેશન ચાલી રહ્યું છે.

Latest Stories