વડોદરા : MS યુનિવર્સીટીના 200 વિદ્યાર્થીઓના ટોળાં સામે રાયોટિંગનો ગુનો દાખલ.

વડોદરાની એમ.એસ.યુનિવર્સીટીના હોસ્ટેલના વિદ્યાર્થીઓની મેસની ફી મુદ્દે આંદોલનમાં વીસીના બંગલે કરાયેલા વિરોધમાં 200 વિદ્યાર્થીઓના ટોળાં સામે રાયોટિંગનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

New Update

વડોદરાની એમ.એસ.યુનિવર્સીટીના હોસ્ટેલના વિદ્યાર્થીઓની મેસની ફી મુદ્દે આંદોલનમાં વીસીના બંગલે કરાયેલા વિરોધમાં 200 વિદ્યાર્થીઓના ટોળાં સામે રાયોટિંગનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જેમાં રૂ.2 હજારનું નુકસાન વિદ્યાર્થીઓ દ્વારા કરવામા આવ્યું હોવાનો ઉલ્લેખ કરાયો છે.

ગુજરાત કોમન યુનિવર્સીટી એકટ લાગુ થયા બાદ વિશ્વ વિખ્યાત વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સીટીમાં વામન વીસીની તાનાશાહી જોવા મળી રહી છે. વિદ્યાર્થીઓનું નહિ સાંભળી માત્ર ખાનગી યુનિવર્સીટીઓને ફાયદો કરાવવા ટેવાયેલા વીસી સામે પ્રબુદ્ધ નાગરિકો, પૂર્વ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થી સંગઠનો મેદાને પડ્યા હતા. તેવામાં હોસ્ટેલના વિદ્યાર્થીઓની ભોજન સહિતની ફી માં વધારો ઝીંકી દેવાતા વિદ્યાર્થીઓ રોડ પર ઉતરી આવ્યા હતા અને વીસીના બંગલામાં પ્રવેશ કરી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો.

જે બાદ વીસી દ્વારા પોતાના બંગલામાં નુકસાન કર્યું હોવાનું જણાવી વિદ્યાર્થીઓ સામે સયાજીગંજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે 200 વિદ્યાર્થીઓના ટોળાં સામે રાયોટિંગનો ગુનો દાખલ કર્યો હતો. જેના કારણે વીસી પ્રત્યે વિદ્યાર્થીઓ સહિત વિવિધ સંગઠનોમાં ભારે રોષ ફેલાયો છે. વીસીએ નોંધાવેલી ફરિયાદમાં વિદ્યાર્થીઓએ 2 હજાર રૂપિયાનું નુકસાન કર્યું હોય ત્યારે સોમવારે AGSU વિદ્યાર્થી સંગઠનના અગ્રણી વિદ્યાર્થી પંકજ જયસ્વાલ અને જયેશ પ્રજાપતિની આગેવાનીમાં વિદ્યાર્થીઓએ યુનિવર્સીટીની દરેક ફેકલ્ટીમાં ફરીને વિદ્યાર્થીઓ પાસેથી 1-1 રૂપિયો ઉઘરાવી રૂપિયા 2 હજાર એકત્ર કરશે અને મંગળવારે વીસીને તેમના બંગલામાં થયેલા નુકસાનની ભરપાઈ કરશે. સાથે નુકસાનની ભરપાઈ કર્યા બાદ વિદ્યાર્થીઓ પર કરાયેલો કેસ પરત ખેંચવા માંગણી કરશે અને જો તેમ કરવામાં નહિ નહિ આવે તો ઉગ્ર આંદોલન પણ કરવામા આવશે તેવી ચીમકી ઉચ્ચારી હતી.

Read the Next Article

વડોદરા : ગંભીરા બ્રિજ દુર્ઘટનાનો આજે ત્રીજો દિવસ, 18 લોકોના મોત, 2 લોકોની શોધખોળ યથાવત

નદીમાં ખૂંપી ગયેલી ટ્રક નીચે કેટલાક લોકો દબાયા હોવાની પણ આશંકા સેવાઇ રહી છે. જોકે, રેસ્ક્યૂ કામગીરીનો આજે સતત ત્રીજો દિવસ છે, ત્યારે 3 ટ્રક અને એક બાઇકને નદીમાંથી બહાર કાઢવામાં આવી

New Update
  • વડોદરા-આણંદ વચ્ચે ગંભીરા બ્રિજ ઘટનાનો ત્રીજો દિવસ

  • દુર્ઘટનામાં 3 ટ્રક-બાઇક નદીમાંથી બહાર કાઢવામાં આવી

  • ઘટનામાં 18 લોકોના મોત2 લોકોની શોધખોળ યથાવત

  • સલ્ફ્યુરિક એસિડ સ્પ્રેડ થવાથી રેસ્ક્યૂ કામગીરીમાં મુશ્કેલી

  • NDRF દ્વારા 15 બોટ દ્વારા ચાલતું સતત રેસ્ક્યૂ ઓપરેશન

વડોદરા-આણંદ વચ્ચે આવેલ ગંભીરા બ્રિજ ગત તા. 9મી જુલાઈએ તૂટી પડતા 18 લોકોને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. આ સાથે જ 2 લોકો ગુમ હોવાથી તેમની શોધખોળ ચાલી રહી છે.

વિકસિત ગુજરાતમાં સર્જાયેલી વડોદરા-આણંદ ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં 18 લોકો જીવ ગુમાવી ચૂક્યા છે. ઉપરાંત ગુમ થયેલા 2 લોકોની પણ શોધખોળ યથાવત રાખવામાં આવી છેત્યારે આ દુર્ઘટનાના 50 કલાક બાદ પણ નદીમાં પડી ગયેલા તમામ વાહનો અને ગુમ થયેલા લોકોને બહાર કાઢવામાં સફળતા ન મળતા સરકારની રેસ્ક્યૂ કામગીરીને લઈને પણ સવાલ ઉઠ્યા છે. નદીમાં ખૂંપી ગયેલી ટ્રક નીચે કેટલાક લોકો દબાયા હોવાની પણ આશંકા સેવાઇ રહી છે. જોકેરેસ્ક્યૂ કામગીરીનો આજે સતત ત્રીજો દિવસ છેત્યારે 3 ટ્રક અને એક બાઇકને નદીમાંથી બહાર કાઢવામાં આવી હતી.

નદીમાં ખાબકેલા ટ્રકમાં રહેલ સલ્ફ્યુરિક એસિડ સ્પ્રેડ થતું હોવાથી રેસ્ક્યૂ કામગીરીમાં મુશ્કેલી આવી રહી છેજેથી સંપૂર્ણ કામગીરી ક્યારે પૂર્ણ થશે તે કહેવું હાલ મુશ્કેલ બન્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કેરેસ્ક્યૂ ઓપરેશન માટેNDRFએ વધુ એક બોટને મહીસાગર નદીમાં ઉતારી છેત્યારે હાલ 15 બોટ દ્વારા સતત રેસ્ક્યૂ ઓપરેશન ચાલી રહ્યું છે.