વડોદરા : કરજણના સાયર ગામે કાર લઈને ત્રાટકી બકરા ચોર ટોળકી, સમગ્ર ઘટના CCTVમાં કેદ...

કરજણના સાયર ગામમાંથી થઈ 17 બકરાઓની ચોરી, બનાવના પગલે સરપંચ અને ગ્રામજનો દોડી આવ્યા

New Update
વડોદરા : કરજણના સાયર ગામે કાર લઈને ત્રાટકી બકરા ચોર ટોળકી, સમગ્ર ઘટના CCTVમાં કેદ...

મળતી માહિતી અનુસાર, વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના સાયર ગામના ગરાસિયા ફરિયામાં રહેતા ગુલામ ગરાસિયા પશુપાલન કરીને પોતાના ઘરનું ગુજરાન ચલાવે છે, ત્યારે ગત તા. 11 જુલાઇના રોજ તેઓ પોતાના બકરાઓને ચરાવી લાવીને ઘરની બાજુમાં બનાવેલ ઓરડીમાં બાંધ્યા હતા, ત્યારે વહેલી સવારે 4 વાગ્યાની આસપાસ ગુલામ ગરાસિયાને પોતાના બકારા ચોરી થયા હોવાનો આભાસ થયો હતો. તેઓએ ઓરડીમાં જઈને જોતાં પોતાના 17 જેટલા બકરા-બકરીઓ ચોરાઈ ગયા હોવાનું માલૂમ પડ્યું હતું. સાથે જ બાજુમાં રહેતા સિકંદર ગરાસિયાના પણ 3 બકરા ચોરાયા હોવાનું જાણવા મળતા તેઓએ પોલીસ મથકે જાણ કરી હતી.

બનાવના પગલે ગામના સરપંચ સહિતના ગ્રામજનોના ટોળાં વળ્યા હતા. પોલીસે સાયર ગ્રામ પંચાયત દ્વારા ગામમાં લગાવેલ CCTV કેમરા ચેક કરતા તેમાં રાત્રિના લગભગ 3 વાગ્યાના અરસામાં ફોર વ્હીલર કાર લઈને આવેલા કેટલાક અજાણ્યા ઈસમો નજરે પડ્યા હતા, ત્યારે હાલ તો અજાણ્યા ઇસમો દ્વારા બકરા ચોરી કરવામાં આવ્યા હોવાના અનુમાન સાથે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Read the Next Article

વડોદરા : ગંભીરા બ્રિજ દુર્ઘટનાનો આજે ત્રીજો દિવસ, 18 લોકોના મોત, 2 લોકોની શોધખોળ યથાવત

નદીમાં ખૂંપી ગયેલી ટ્રક નીચે કેટલાક લોકો દબાયા હોવાની પણ આશંકા સેવાઇ રહી છે. જોકે, રેસ્ક્યૂ કામગીરીનો આજે સતત ત્રીજો દિવસ છે, ત્યારે 3 ટ્રક અને એક બાઇકને નદીમાંથી બહાર કાઢવામાં આવી

New Update
  • વડોદરા-આણંદ વચ્ચે ગંભીરા બ્રિજ ઘટનાનો ત્રીજો દિવસ

  • દુર્ઘટનામાં 3 ટ્રક-બાઇક નદીમાંથી બહાર કાઢવામાં આવી

  • ઘટનામાં 18 લોકોના મોત2 લોકોની શોધખોળ યથાવત

  • સલ્ફ્યુરિક એસિડ સ્પ્રેડ થવાથી રેસ્ક્યૂ કામગીરીમાં મુશ્કેલી

  • NDRF દ્વારા 15 બોટ દ્વારા ચાલતું સતત રેસ્ક્યૂ ઓપરેશન

વડોદરા-આણંદ વચ્ચે આવેલ ગંભીરા બ્રિજ ગત તા. 9મી જુલાઈએ તૂટી પડતા 18 લોકોને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. આ સાથે જ 2 લોકો ગુમ હોવાથી તેમની શોધખોળ ચાલી રહી છે.

વિકસિત ગુજરાતમાં સર્જાયેલી વડોદરા-આણંદ ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં 18 લોકો જીવ ગુમાવી ચૂક્યા છે. ઉપરાંત ગુમ થયેલા 2 લોકોની પણ શોધખોળ યથાવત રાખવામાં આવી છેત્યારે આ દુર્ઘટનાના 50 કલાક બાદ પણ નદીમાં પડી ગયેલા તમામ વાહનો અને ગુમ થયેલા લોકોને બહાર કાઢવામાં સફળતા ન મળતા સરકારની રેસ્ક્યૂ કામગીરીને લઈને પણ સવાલ ઉઠ્યા છે. નદીમાં ખૂંપી ગયેલી ટ્રક નીચે કેટલાક લોકો દબાયા હોવાની પણ આશંકા સેવાઇ રહી છે. જોકેરેસ્ક્યૂ કામગીરીનો આજે સતત ત્રીજો દિવસ છેત્યારે 3 ટ્રક અને એક બાઇકને નદીમાંથી બહાર કાઢવામાં આવી હતી.

નદીમાં ખાબકેલા ટ્રકમાં રહેલ સલ્ફ્યુરિક એસિડ સ્પ્રેડ થતું હોવાથી રેસ્ક્યૂ કામગીરીમાં મુશ્કેલી આવી રહી છેજેથી સંપૂર્ણ કામગીરી ક્યારે પૂર્ણ થશે તે કહેવું હાલ મુશ્કેલ બન્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કેરેસ્ક્યૂ ઓપરેશન માટેNDRFએ વધુ એક બોટને મહીસાગર નદીમાં ઉતારી છેત્યારે હાલ 15 બોટ દ્વારા સતત રેસ્ક્યૂ ઓપરેશન ચાલી રહ્યું છે.