વડોદરા : છાણી સ્થિત સ્વામિનારાયણ મંદિરમાં તાળું બદલવાની પ્રક્રિયા ટાણે માથાકૂટ થતાં આધેડનું મોત, ઘટના CCTVમાં કેદ...

છાણી વિસ્તારમાં આવેલ સ્વામિનારાયણ મંદિર ખાતે તાળું બદલવાની પ્રક્રિયા ટાણે થયેલી બબાલમાં એક આધેડને ધક્કો વાગી જતા માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી.

New Update
વડોદરા : છાણી સ્થિત સ્વામિનારાયણ મંદિરમાં તાળું બદલવાની પ્રક્રિયા ટાણે માથાકૂટ થતાં આધેડનું મોત, ઘટના CCTVમાં કેદ...

વડોદરા શહેરના છાણી વિસ્તારમાં આવેલ સ્વામિનારાયણ મંદિર ખાતે તાળું બદલવાની પ્રક્રિયા ટાણે થયેલી બબાલમાં એક આધેડને ધક્કો વાગી જતા માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. જે બાદ સારવાર અર્થે એસએસજી હોસ્પિટલમાં લઇ જવાતા આધેડનું મોત નિપજતા મૃતકોના પરિચીતોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો.

Advertisment W3.CSS

મળતી માહિતી અનુસાર, વડોદરાના છાણી વિસ્તારમાં વડતાલના તાબા હેઠળ આવેલ સ્વામિનારાયણ મંદિરમાં અગાઉ પણ વિવાદો સામે આવ્યા હતા, ત્યારે વધુ એક વિવાદમાં વ્યક્તિનું મોત નિપજ્યાના દુ:ખદ સમાચાર સામે આવ્યા છે. સમગ્ર ઘટનાના પ્રત્યદર્શીએ જણાવ્યું હતું કે, મૃતક દિનેશ વણકર છે. મંદિરમાં દિનેશ મિસ્ત્રી, જયંત રમણ, જયંતિ ગોહીલ, રમેશ પરમાર કોઇ જાતના ટ્રસ્ટી નથી, અને સબ કમિટીના સભ્યો છે. વડતાલે અમને ઠરાવ કરીને આપ્યો છે. મૃતક પણ સબ કમિટીના સભ્ય હતા. જોકે, મંદિરમાં તાળા બદલવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જે ટાણે સામેવાળાએ દિનેશ વણકર સાથે બોલાચાલી કરી અને તેમને ધક્કો મારી દેતા તેઓ પટકાયા હતા. જેથી આધેડને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, ત્યારે હાલ તો આ મામલે મૃતકોના સ્વજનોએ પોલીસ ફરિયાદ કરી આગળની કાર્યવાહી હાથ ધરવાની તજવીજ શરૂ કરી હોવાનું જાણવા મળ્યું છે.