વડોદરા : બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતાં અત્યાચારના વિરોધમાં હિન્દુ જાગરણ પ્રેરિત સંઘર્ષ સમિતિ દ્વારા મૌન રેલી યોજાય...

બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચારના વિરોધમાં વડોદરા ખાતે હિન્દુ જાગરણ પ્રેરિત સંઘર્ષ સમિતિ વડોદરા મહાનગર દ્વારા મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

New Update
  • બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચારનો ઉગ્ર વિરોધ

  • સમગ્ર ગુજરાતમાં યોજાય રહ્યા છે ઉગ્ર વિરોધ પ્રદર્શન

  • હિન્દુ જાગરણ પ્રેરિત સંઘર્ષ સમિતિ દ્વારા વિરોધ પ્રદર્શન

  • સંઘર્ષ સમિતિ દ્વારા મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું

  • VHP, બજરંગ દળવિવિધ હિન્દુ સંગઠનો ઉપસ્થિત રહ્યા

બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચારના વિરોધમાં વડોદરા ખાતે હિન્દુ જાગરણ પ્રેરિત સંઘર્ષ સમિતિ વડોદરા મહાનગર દ્વારા મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચારના વિરોધમાં ઠેર ઠેર વિરોધ પ્રદર્શન યોજાય રહ્યા છેત્યારે વડોદરા મહાનગર હિન્દુ જાગરણ પ્રેરિત સંઘર્ષ સમિતિ દ્વારા મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મૌન રેલી અકોટા વિસ્તારમાં આવેલા સર સયાજીરાવ નગર ગૃહ ખાતેથી પ્રસ્થાન થઈ કલેકટર કચેરી ખાતે પહોંચી આવેદન પત્ર પાઠવાયું હતું. આ રેલીનો મુખ્ય ઉદ્દેશ બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચાર બંધ થવાની સાથે ઇસ્કોન મંદિરના ચિન્મય કૃષ્ણદાસજી તેમજ અન્ય હિન્દુ સમાજના આગેવાનોની કરવામાં આવેલી ધરપકડમાંથી તેઓને મુક્તિ અપાવવાનો છે. આ રેલીમાં વિશ્વ હિન્દુ પરિષદબજરંગ દળ સહિતની વિવિધ હિન્દુ સંગઠનના કાર્યકર્તાઓ તેમજ રાજકીય અગ્રણીઓ જોડાયા હતા. 

Read the Next Article

વડોદરા : ઘર આંગણે જ બે વર્ષીય માસુમ બાળકીનું કાર નીચે કચડાઇ જતા કરૂણ મોત,અકસ્માત સર્જી ચાલક ફરાર

વડોદરા વાઘોડિયાના મોરલીપુરા ગામના પરમાર ફળિયામાં ઘરની બહાર રમી રહેલી બે વર્ષીય માસુમ બાળકીનું બ્રેઝા કાર નીચે કચડાઇ જતા ઘટના સ્થળે મોત થયું હતું.

New Update
  • મોરલીપુરામાં અકસ્માતનો બનાવ

  • ઘર આંગણે રમતી બાળા બની અકસ્માતનો ભોગ

  • બે વર્ષીય માસુમ બાળકીને બ્રેઝા કારે લીધી અડફેટમાં

  • કાર નીચે કચડાઈને માસૂમનું નીપજ્યું મોત

  • અકસ્માત સર્જીને કાર ચાલક ફરાર

  • જરોદ પોલીસે શરૂ કરી તપાસ 

વડોદરા વાઘોડિયાના મોરલીપુરા ગામના પરમાર ફળિયામાં ઘરની બહાર રમી રહેલી બે વર્ષીય માસુમ બાળકીનું બ્રેઝા કાર નીચે કચડાઇ જતા ઘટના સ્થળે મોત થયું હતું.બનાવને પગલે કાર ચાલક અકસ્માત સર્જી ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો.ઘટના અંગે જરોદ પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી હતી.

સુરતના કોસંબાની ગ્લાસ કંપનીમાં નોકરી કરતા અને વડોદરાના વાઘોડિયા તાલુકાના મોરલીપુરા ગામના પરમાર ફળિયા ખાતે રહેતા પિયુષ પરમારને સંતાનમાં બે દીકરીઓ છે.જે પૈકી નાની દીકરી બે વર્ષીય યુક્તિ શનિવારે સાંજના સુમારે પોતાના ઘર બહાર રમી રહી હતી.આ દરમિયાન અચાનક એક બ્રેઝા કારના ચાલકે આ બાળકીને અડફેટે લેતા બાળકીનું કારના ટાયર નીચે કચડાઈ જતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.જેથી રોષે ભરાયેલા પરિવારજનોએ કારના કાચની તોડફોડ કરી હતી.જ્યારે કાર ચાલક ગામનો જ રહેવાસી ગણપત પરમાર અકસ્માત સર્જી ઘટના ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો.

સમગ્ર બનાવને પગલે પોલીસને જાણ કરાતા જરોદ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતીઅને બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથધરી હતી. બાળકીના પરિવારજનો દ્વારા જરોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જ્યારે પોલીસે પરિવારજનોની ફરિયાદના આધારે કાર ચાલકની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા.