વડોદરા : બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતાં અત્યાચારના વિરોધમાં હિન્દુ જાગરણ પ્રેરિત સંઘર્ષ સમિતિ દ્વારા મૌન રેલી યોજાય...

બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચારના વિરોધમાં વડોદરા ખાતે હિન્દુ જાગરણ પ્રેરિત સંઘર્ષ સમિતિ વડોદરા મહાનગર દ્વારા મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

New Update
  • બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચારનો ઉગ્ર વિરોધ

  • સમગ્ર ગુજરાતમાં યોજાય રહ્યા છે ઉગ્ર વિરોધ પ્રદર્શન

  • હિન્દુ જાગરણ પ્રેરિત સંઘર્ષ સમિતિ દ્વારા વિરોધ પ્રદર્શન

  • સંઘર્ષ સમિતિ દ્વારા મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું

  • VHP, બજરંગ દળવિવિધ હિન્દુ સંગઠનો ઉપસ્થિત રહ્યા

બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચારના વિરોધમાં વડોદરા ખાતે હિન્દુ જાગરણ પ્રેરિત સંઘર્ષ સમિતિ વડોદરા મહાનગર દ્વારા મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચારના વિરોધમાં ઠેર ઠેર વિરોધ પ્રદર્શન યોજાય રહ્યા છેત્યારે વડોદરા મહાનગર હિન્દુ જાગરણ પ્રેરિત સંઘર્ષ સમિતિ દ્વારા મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મૌન રેલી અકોટા વિસ્તારમાં આવેલા સર સયાજીરાવ નગર ગૃહ ખાતેથી પ્રસ્થાન થઈ કલેકટર કચેરી ખાતે પહોંચી આવેદન પત્ર પાઠવાયું હતું. આ રેલીનો મુખ્ય ઉદ્દેશ બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચાર બંધ થવાની સાથે ઇસ્કોન મંદિરના ચિન્મય કૃષ્ણદાસજી તેમજ અન્ય હિન્દુ સમાજના આગેવાનોની કરવામાં આવેલી ધરપકડમાંથી તેઓને મુક્તિ અપાવવાનો છે. આ રેલીમાં વિશ્વ હિન્દુ પરિષદબજરંગ દળ સહિતની વિવિધ હિન્દુ સંગઠનના કાર્યકર્તાઓ તેમજ રાજકીય અગ્રણીઓ જોડાયા હતા. 

Read the Next Article

વડોદરા : ગંભીરા બ્રિજ દુર્ઘટનાનો આજે ત્રીજો દિવસ, 18 લોકોના મોત, 2 લોકોની શોધખોળ યથાવત

નદીમાં ખૂંપી ગયેલી ટ્રક નીચે કેટલાક લોકો દબાયા હોવાની પણ આશંકા સેવાઇ રહી છે. જોકે, રેસ્ક્યૂ કામગીરીનો આજે સતત ત્રીજો દિવસ છે, ત્યારે 3 ટ્રક અને એક બાઇકને નદીમાંથી બહાર કાઢવામાં આવી

New Update
  • વડોદરા-આણંદ વચ્ચે ગંભીરા બ્રિજ ઘટનાનો ત્રીજો દિવસ

  • દુર્ઘટનામાં 3 ટ્રક-બાઇક નદીમાંથી બહાર કાઢવામાં આવી

  • ઘટનામાં 18 લોકોના મોત2 લોકોની શોધખોળ યથાવત

  • સલ્ફ્યુરિક એસિડ સ્પ્રેડ થવાથી રેસ્ક્યૂ કામગીરીમાં મુશ્કેલી

  • NDRF દ્વારા 15 બોટ દ્વારા ચાલતું સતત રેસ્ક્યૂ ઓપરેશન

વડોદરા-આણંદ વચ્ચે આવેલ ગંભીરા બ્રિજ ગત તા. 9મી જુલાઈએ તૂટી પડતા 18 લોકોને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. આ સાથે જ 2 લોકો ગુમ હોવાથી તેમની શોધખોળ ચાલી રહી છે.

વિકસિત ગુજરાતમાં સર્જાયેલી વડોદરા-આણંદ ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં 18 લોકો જીવ ગુમાવી ચૂક્યા છે. ઉપરાંત ગુમ થયેલા 2 લોકોની પણ શોધખોળ યથાવત રાખવામાં આવી છેત્યારે આ દુર્ઘટનાના 50 કલાક બાદ પણ નદીમાં પડી ગયેલા તમામ વાહનો અને ગુમ થયેલા લોકોને બહાર કાઢવામાં સફળતા ન મળતા સરકારની રેસ્ક્યૂ કામગીરીને લઈને પણ સવાલ ઉઠ્યા છે. નદીમાં ખૂંપી ગયેલી ટ્રક નીચે કેટલાક લોકો દબાયા હોવાની પણ આશંકા સેવાઇ રહી છે. જોકેરેસ્ક્યૂ કામગીરીનો આજે સતત ત્રીજો દિવસ છેત્યારે 3 ટ્રક અને એક બાઇકને નદીમાંથી બહાર કાઢવામાં આવી હતી.

નદીમાં ખાબકેલા ટ્રકમાં રહેલ સલ્ફ્યુરિક એસિડ સ્પ્રેડ થતું હોવાથી રેસ્ક્યૂ કામગીરીમાં મુશ્કેલી આવી રહી છેજેથી સંપૂર્ણ કામગીરી ક્યારે પૂર્ણ થશે તે કહેવું હાલ મુશ્કેલ બન્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કેરેસ્ક્યૂ ઓપરેશન માટેNDRFએ વધુ એક બોટને મહીસાગર નદીમાં ઉતારી છેત્યારે હાલ 15 બોટ દ્વારા સતત રેસ્ક્યૂ ઓપરેશન ચાલી રહ્યું છે.