વડોદરા : વિશ્વામિત્રી નદીમાંથી બે મહાકાય મગરોના મૃતદેહ મળી આવતા જીવદયા પ્રેમીઓ ચિંતિત

વડોદરા શહેરની વચ્ચેથી પસાર થતી વિશ્વામિત્રી નદીના કિનારા પાસેથી બે મહાકાય મગરોના મૃતદેહ મળી આવ્યા છે. આશ્ચર્ય પમાડે તેવી વાત તો એ છે કે શહેરમાં છેલ્લા બે મહિનામાં છ મગરોના મોત થયા હોવાનું જાણવા મળ્યું છે.

New Update
  • વિશ્વામિત્રી નદીમાંથી મળ્યા મગરના મૃતદેહ

  • બે મહાકાય મગરના મળ્યા મૃતદેહ

  • ઘટનાને પગલે જીવદયા પ્રેમીઓમાં ચિંતા

  • છેલ્લા બે મહિનામાં છ મગરના થયા મોત

  • મગરોના મોતની ઘટના તપાસનો વિષય બન્યો

વડોદરા શહેરની વચ્ચેથી પસાર થતી વિશ્વામિત્રી નદીના કિનારા પાસેથી બે મહાકાય મગરોના મૃતદેહ મળી આવ્યા છે. આશ્ચર્ય પમાડે તેવી વાત તો એ છે કે શહેરમાં છેલ્લા બે મહિનામાં છ મગરોના મોત થયા હોવાનું જાણવા મળ્યું છે.

વડોદરા શહેરની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં વસવાટ કરતા બે મગરના મૃતદેહ મળી આવ્યા હતા,મહાકાય મગરના મોતને કારણે જીવદયા પ્રેમીઓમાં ચિંતા જોવા મળી હતી.વિશ્વામિત્રી નદીમાં મગરો પર કોઈ પ્રકારનું જોખમ ઉભું થયું છે કે કેમ તે પણ એક તપાસનો વિષય બની ગયો છે.

દરમિયાન મગર રેસ્ક્યુ કરતા જીવદયા પ્રેમી સંગઠન વાઈલ્ડ લાઈફ રેસ્ક્યુ ટીમને વિશ્વામિત્રી નદીના કિનારા પર લગભગ આઠ ફૂટના મગરનો મૃતદેહ મળી આવ્યો હતો. ફાયર બ્રિગેડ અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની ટીમ સાથે આ મગરને કાઢવાની કામગીરી બાદ આરાધના ટોકિઝથી ખાસવાડી સ્મશાનની વચ્ચે પસાર થતી વિશ્વામિત્રી નદીના કિનારે પણ એક મગરનો મૃતદેહ પડેલો મળી  મળ્યો હતો.અને આ મગર લગભગ 10 ફૂટનો મહાકાય મગર હોવાનું જાણવા મળ્યું છે.

Read the Next Article

વડોદરા : ગંભીરા બ્રિજ દુર્ઘટનાનો આજે ત્રીજો દિવસ, 18 લોકોના મોત, 2 લોકોની શોધખોળ યથાવત

નદીમાં ખૂંપી ગયેલી ટ્રક નીચે કેટલાક લોકો દબાયા હોવાની પણ આશંકા સેવાઇ રહી છે. જોકે, રેસ્ક્યૂ કામગીરીનો આજે સતત ત્રીજો દિવસ છે, ત્યારે 3 ટ્રક અને એક બાઇકને નદીમાંથી બહાર કાઢવામાં આવી

New Update
  • વડોદરા-આણંદ વચ્ચે ગંભીરા બ્રિજ ઘટનાનો ત્રીજો દિવસ

  • દુર્ઘટનામાં 3 ટ્રક-બાઇક નદીમાંથી બહાર કાઢવામાં આવી

  • ઘટનામાં 18 લોકોના મોત2 લોકોની શોધખોળ યથાવત

  • સલ્ફ્યુરિક એસિડ સ્પ્રેડ થવાથી રેસ્ક્યૂ કામગીરીમાં મુશ્કેલી

  • NDRF દ્વારા 15 બોટ દ્વારા ચાલતું સતત રેસ્ક્યૂ ઓપરેશન

વડોદરા-આણંદ વચ્ચે આવેલ ગંભીરા બ્રિજ ગત તા. 9મી જુલાઈએ તૂટી પડતા 18 લોકોને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. આ સાથે જ 2 લોકો ગુમ હોવાથી તેમની શોધખોળ ચાલી રહી છે.

વિકસિત ગુજરાતમાં સર્જાયેલી વડોદરા-આણંદ ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં 18 લોકો જીવ ગુમાવી ચૂક્યા છે. ઉપરાંત ગુમ થયેલા 2 લોકોની પણ શોધખોળ યથાવત રાખવામાં આવી છેત્યારે આ દુર્ઘટનાના 50 કલાક બાદ પણ નદીમાં પડી ગયેલા તમામ વાહનો અને ગુમ થયેલા લોકોને બહાર કાઢવામાં સફળતા ન મળતા સરકારની રેસ્ક્યૂ કામગીરીને લઈને પણ સવાલ ઉઠ્યા છે. નદીમાં ખૂંપી ગયેલી ટ્રક નીચે કેટલાક લોકો દબાયા હોવાની પણ આશંકા સેવાઇ રહી છે. જોકેરેસ્ક્યૂ કામગીરીનો આજે સતત ત્રીજો દિવસ છેત્યારે 3 ટ્રક અને એક બાઇકને નદીમાંથી બહાર કાઢવામાં આવી હતી.

નદીમાં ખાબકેલા ટ્રકમાં રહેલ સલ્ફ્યુરિક એસિડ સ્પ્રેડ થતું હોવાથી રેસ્ક્યૂ કામગીરીમાં મુશ્કેલી આવી રહી છેજેથી સંપૂર્ણ કામગીરી ક્યારે પૂર્ણ થશે તે કહેવું હાલ મુશ્કેલ બન્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કેરેસ્ક્યૂ ઓપરેશન માટેNDRFએ વધુ એક બોટને મહીસાગર નદીમાં ઉતારી છેત્યારે હાલ 15 બોટ દ્વારા સતત રેસ્ક્યૂ ઓપરેશન ચાલી રહ્યું છે.