વડોદરા : મગરના મુખમાં મહિલાનો મૃતદેહ નજરે પડતાં ચકચાર, ભારે જહેમતે ફાયર ટીમે મૃતદેહ બહાર કાઢ્યો...

વડોદરા શહેરના કાલાઘોડા વિસ્તારમાં વિશ્વામિત્રી બ્રિજ નજીક મગરના મુખમાં એક મહિલાનો મૃતદેહ જોવા મળતા લોકોએ ફાયર વિભાગને જાણ કરી હતી

New Update

કાલાઘોડા વિસ્તારમાં વિશ્વામિત્રી બ્રિજ નજીકની ઘટના

મગરના મુખમાં મહિલાનો મૃતદેહ જોવા મળતા ચકચાર

મનપા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી આવી

મગરના મુખમાંથી મૃતદેહ છોડાવતા ટીમને પસીનો છૂટ્યો

બનાવના પગલે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી

વડોદરા શહેરના કાલાઘોડા વિસ્તારમાં વિશ્વામિત્રી બ્રિજ નજીક મગરના મુખમાં એક મહિલાનો મૃતદેહ જોવા મળતા લોકોએ ફાયર વિભાગને જાણ કરી હતીત્યારે ફાયર વિભાગની ટીમે ભારે જહેમત બાદ મહિલાના મૃતદેને બહાર કાઢ્યો હતો.

વડોદરા શહેરના મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં મગરનો મોટા પ્રમાણમાં વસવાટ જોવા મળી રહ્યો છેત્યારે પૂરના પાણી ઓસર્યા બાદ કેટલાય મગરો રોડ-રસ્તા પર આવ્યા હતા. જોકેઆ દરમ્યાન કોઈપણ વ્યક્તિને ઇજાઓ પહોંચી હોવાનું સામે આવ્યું નથીત્યારે કાલાઘોડા-વિશ્વામિત્રી બ્રિજ નજીક એક મહિલાને મગર મોંમાં ખેંચીને લઇ જતાં સ્થાનિકો જોઈ જતા ફાયર વિભાગની ટીમને જાણ કરવામાં આવી હતી. જોકેમહીલાના મૃતદેહની આસપાસ 4-5 મગર ફરતા રેસ્ક્યું ટીમને સમય લાગ્યો હતો. જે બાદ ભારે જહેમતે ફાયર વિભાગે મહિલાના મૃતદેને બહાર કાઢ્યો હતો. ફાયર વિભાગના જણાવ્યા અનુસારઆ બનાવ અંગે સવારે 8 કલાકે કંટ્રોલ એન્ડ કમાન ખાતે કોલ મળ્યો હતો. કાલાઘોડા બ્રિજથી 100 મીટર દૂર આ ઘટના બની હતી. ફાયર વિભાગે અડધો કલાકની ભારે જહેમત બાદ મગરના મુખમાંથી મહિલાના મૃતદેહને મુક્ત કરાવ્યો હતો. બનાવના પગલે પોલીસે મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સયાજી હોસ્પિટલ ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Read the Next Article

વડોદરા : ગંભીરા બ્રિજ દુર્ઘટનાનો આજે ત્રીજો દિવસ, 18 લોકોના મોત, 2 લોકોની શોધખોળ યથાવત

નદીમાં ખૂંપી ગયેલી ટ્રક નીચે કેટલાક લોકો દબાયા હોવાની પણ આશંકા સેવાઇ રહી છે. જોકે, રેસ્ક્યૂ કામગીરીનો આજે સતત ત્રીજો દિવસ છે, ત્યારે 3 ટ્રક અને એક બાઇકને નદીમાંથી બહાર કાઢવામાં આવી

New Update
  • વડોદરા-આણંદ વચ્ચે ગંભીરા બ્રિજ ઘટનાનો ત્રીજો દિવસ

  • દુર્ઘટનામાં 3 ટ્રક-બાઇક નદીમાંથી બહાર કાઢવામાં આવી

  • ઘટનામાં 18 લોકોના મોત2 લોકોની શોધખોળ યથાવત

  • સલ્ફ્યુરિક એસિડ સ્પ્રેડ થવાથી રેસ્ક્યૂ કામગીરીમાં મુશ્કેલી

  • NDRF દ્વારા 15 બોટ દ્વારા ચાલતું સતત રેસ્ક્યૂ ઓપરેશન

વડોદરા-આણંદ વચ્ચે આવેલ ગંભીરા બ્રિજ ગત તા. 9મી જુલાઈએ તૂટી પડતા 18 લોકોને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. આ સાથે જ 2 લોકો ગુમ હોવાથી તેમની શોધખોળ ચાલી રહી છે.

વિકસિત ગુજરાતમાં સર્જાયેલી વડોદરા-આણંદ ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં 18 લોકો જીવ ગુમાવી ચૂક્યા છે. ઉપરાંત ગુમ થયેલા 2 લોકોની પણ શોધખોળ યથાવત રાખવામાં આવી છેત્યારે આ દુર્ઘટનાના 50 કલાક બાદ પણ નદીમાં પડી ગયેલા તમામ વાહનો અને ગુમ થયેલા લોકોને બહાર કાઢવામાં સફળતા ન મળતા સરકારની રેસ્ક્યૂ કામગીરીને લઈને પણ સવાલ ઉઠ્યા છે. નદીમાં ખૂંપી ગયેલી ટ્રક નીચે કેટલાક લોકો દબાયા હોવાની પણ આશંકા સેવાઇ રહી છે. જોકેરેસ્ક્યૂ કામગીરીનો આજે સતત ત્રીજો દિવસ છેત્યારે 3 ટ્રક અને એક બાઇકને નદીમાંથી બહાર કાઢવામાં આવી હતી.

નદીમાં ખાબકેલા ટ્રકમાં રહેલ સલ્ફ્યુરિક એસિડ સ્પ્રેડ થતું હોવાથી રેસ્ક્યૂ કામગીરીમાં મુશ્કેલી આવી રહી છેજેથી સંપૂર્ણ કામગીરી ક્યારે પૂર્ણ થશે તે કહેવું હાલ મુશ્કેલ બન્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કેરેસ્ક્યૂ ઓપરેશન માટેNDRFએ વધુ એક બોટને મહીસાગર નદીમાં ઉતારી છેત્યારે હાલ 15 બોટ દ્વારા સતત રેસ્ક્યૂ ઓપરેશન ચાલી રહ્યું છે.