વડોદરા: કોર્પોરેશન દ્વારા દબાણ પર બુલડોઝર કાર્યવાહી, અગોરા મોલનાં ગેરકાયદેસર બાંધકામને તોડવામાં આવ્યું

વડોદરા શહેરની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદી કાંઠા પર કોર્પોરેશન દ્વારા બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું,અને વિવાદિત અગોરા મોલનું દબાણ તોડવાની કામગીરી પણ કરવામાં આવી હતી.

New Update

વડોદરામાં કોર્પોરેશનની દબાણકર્તાઓ સામે કાર્યવાહી 

ખાનગી કંપની અને ડ્રોન દ્વારા કરાયું હતું સર્વે 

13 ગેરકાયદેસર બાંધકામને કોર્પોરેશને નોટિસ ફટકારી

બાલાજી ગૃપના બાંધકામ પર પણ બુલડોઝર ચાલ્યું

અગોરા મોલના ક્લબ હાઉસ અને રીટનીંગ વોલ તોડવામાં આવી   

વડોદરા શહેરની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદી કાંઠા પર કોર્પોરેશન દ્વારા બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું,અને વિવાદિત અગોરા મોલનું દબાણ તોડવાની કામગીરી પણ કરવામાં આવી હતી.
વડોદરા શહેરની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદી કાંઠા પર કોર્પોરેશને બુલડોઝર ફેરવ્યું હતું. ખાનગી કંપની અને ડ્રોન દ્વારા બાંધકામ અંગેના સર્વે કરવામાં આવ્યો હતો,જેનો અહેવાલ મ્યુનિસિપલ કમિશનરને સુપ્રત કર્યો હતો.ત્યારબાદ આ મામલો મુખ્યમંત્રી સુધી પહોંચ્યો હતો. સયાજીગંજના ધારાસભ્ય કેયુર રોકડિયાએ નદી કાંઠાના ગેરકાયદે બાંધકામ અંગે માર્ગદર્શન માગ્યું હતું.તે આધારે મુખ્યમંત્રીએ પણ દબાણો તોડવા કમિશનરને સૂચના આપી હતી.ત્યારબાદ 13 ગેરકાયદે બાંધકામને કોર્પોરેશને નોટિસ ફટકારી હતી અને 72 ક્લાકનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું હતું.જે આજે પૂરું થતાં સમા વિસ્તારમાં બાલાજી ગ્રુપ દ્વારા બાંધવામાં આવેલા અગોરા મોલનું કલબ હાઉસ અને રીટનીંગ વોલ તોડવાની કામગીરી વડોદરા કોર્પોરેશન દ્વારા શરૂ કરવામાં આવી હતી.
રાજ્ય સરકારે રૂપિયા 1200 કરોડ વિશ્વામિત્રી પ્રોજેક્ટ માટે ફાળવ્યા છે.તેને ધ્યાનમાં રાખી કોર્પોરેશન દ્વારા ખાનગી કંપની અને ડ્રોન દ્વારા સર્વે કરવાની કામગીરી થઈ હતી. તાજેતરમાં ખાનગી કર્મચારીઓની અલગ અલગ ટીમોએ હરણીથી લઈ મુજમહુડા સુધી સર્વે કર્યો હતો. સર્વે કર્યા બાદ મ્યુનિસિપલ કમિશનરે બેઠક યોજી આગળની પ્રક્રિયા અંગે ચર્ચા વિચારણા કરી હતી. સર્વે બાદ 13 દબાણો જણાઈ આવ્યા હતા.જેને ધ્યાનમાં રાખી સમગ્ર માહિતી મેળવી સયાજીગંજના ધારાસભ્ય કેયૂર રોકડિયાએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને રૂબરૂ મળી જે રીતે દ્વારકા, સોમનાથમાં બુલડોઝર ફેરવ્યું હતું તે રીતે વડોદરાના કાંઠા વિસ્તારના ગેરકાયદે બાંધકામો તોડી નાખવા રજૂઆત કરી હતી અને મુખ્યમંત્રીએ મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાને સર્વેની થયેલી કામગીરી પ્રમાણે દબાણો તોડવા સૂચના આપી હતી. ત્રણ હજાર સ્ક્વેર ચોરસ મીટર ગેરકાયદે બાંધકામ પર પાલિકાના છ બુલડોઝરો ફરી વળ્યા હતા.કોર્પોરેશનની કામગીરીને પગલે દબાણ કર્તાઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો.
Read the Next Article

વડોદરા : ઘર આંગણે જ બે વર્ષીય માસુમ બાળકીનું કાર નીચે કચડાઇ જતા કરૂણ મોત,અકસ્માત સર્જી ચાલક ફરાર

વડોદરા વાઘોડિયાના મોરલીપુરા ગામના પરમાર ફળિયામાં ઘરની બહાર રમી રહેલી બે વર્ષીય માસુમ બાળકીનું બ્રેઝા કાર નીચે કચડાઇ જતા ઘટના સ્થળે મોત થયું હતું.

New Update
  • મોરલીપુરામાં અકસ્માતનો બનાવ

  • ઘર આંગણે રમતી બાળા બની અકસ્માતનો ભોગ

  • બે વર્ષીય માસુમ બાળકીને બ્રેઝા કારે લીધી અડફેટમાં

  • કાર નીચે કચડાઈને માસૂમનું નીપજ્યું મોત

  • અકસ્માત સર્જીને કાર ચાલક ફરાર

  • જરોદ પોલીસે શરૂ કરી તપાસ 

વડોદરા વાઘોડિયાના મોરલીપુરા ગામના પરમાર ફળિયામાં ઘરની બહાર રમી રહેલી બે વર્ષીય માસુમ બાળકીનું બ્રેઝા કાર નીચે કચડાઇ જતા ઘટના સ્થળે મોત થયું હતું.બનાવને પગલે કાર ચાલક અકસ્માત સર્જી ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો.ઘટના અંગે જરોદ પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી હતી.

સુરતના કોસંબાની ગ્લાસ કંપનીમાં નોકરી કરતા અને વડોદરાના વાઘોડિયા તાલુકાના મોરલીપુરા ગામના પરમાર ફળિયા ખાતે રહેતા પિયુષ પરમારને સંતાનમાં બે દીકરીઓ છે.જે પૈકી નાની દીકરી બે વર્ષીય યુક્તિ શનિવારે સાંજના સુમારે પોતાના ઘર બહાર રમી રહી હતી.આ દરમિયાન અચાનક એક બ્રેઝા કારના ચાલકે આ બાળકીને અડફેટે લેતા બાળકીનું કારના ટાયર નીચે કચડાઈ જતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.જેથી રોષે ભરાયેલા પરિવારજનોએ કારના કાચની તોડફોડ કરી હતી.જ્યારે કાર ચાલક ગામનો જ રહેવાસી ગણપત પરમાર અકસ્માત સર્જી ઘટના ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો.

સમગ્ર બનાવને પગલે પોલીસને જાણ કરાતા જરોદ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતીઅને બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથધરી હતી. બાળકીના પરિવારજનો દ્વારા જરોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જ્યારે પોલીસે પરિવારજનોની ફરિયાદના આધારે કાર ચાલકની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા.