વડોદરા: કપુરાઈ ચોકડી પર ટ્રક નીચે કાર દબાઈ જતા સેન્ડવીચ બની,કારમાં સવાર ચાર લોકોનો ચમત્કારિક બચાવ

વડોદરાની કપુરાઈ ચોકડી પાસે સર્જાયેલા અકસ્માતમાં ચાર લોકોનો ચમત્કારિક બચાવ થયો છે.કાર પર ટ્રક ચડી જતા દુર્ઘટના સર્જાઈ હતી.આ ઘટનામાં કાર સેન્ડવીચ બની ગઈ હતી.

New Update
  • વડોદરા કપુરાઈ ચોકડી પર સર્જાયો અકસ્માત

  • ટ્રક અને કાર વચ્ચે સર્જાયો અકસ્માત

  • ટ્રક કાર પર ચડી જતા કાર બની સેન્ડવીચ

  • કારમાં સવાર તમામનો ચમત્કારિક બચાવ

  • કારમાં ફસાયેલા ત્રણ વ્યક્તિઓનું ફાયર બ્રિગેડે કર્યું રેસ્ક્યુ 

વડોદરાની કપુરાઈ ચોકડી પાસે સર્જાયેલા અકસ્માતમાં ચાર લોકોનો ચમત્કારિક બચાવ થયો છે.કાર પર ટ્રક ચડી જતા દુર્ઘટના સર્જાઈ હતી.આ ઘટનામાં કાર સેન્ડવીચ બની ગઈ હતી. કારમાં ફસાયેલા ત્રણ લોકોને ફાયર વિભાગે ભારે જહેમત બાદ રેસ્ક્યૂ કરીને બહાર કાઢ્યા હતા.

વડોદરાની કપુરાઈ ચોકડી પાસે ગોઝારો અકસ્માત સર્જાયો હતો. જેમાં સુરત તરફથી આવતી કાર ઉપર આખેઆખી ટ્રક ચડી ગઈ હતીઅને કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો.આ ઘટના અંગેની જાણ વડોદરા ફાયર વિભાગને મળતા તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ત્રણ વ્યક્તિનું દિલધડક રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. આ કારમાં કુલ ચાર વ્યક્તિઓ સવાર હતાજેમાંથી એક વ્યક્તિ બહાર નીકળી ગયો હતો અને અન્ય ત્રણ વ્યક્તિ કારમાં ફસાયા હતા. પોલીસ અને ફાયર વિભાગની ટીમ દ્વારા ક્રેનની મદદ લઈ ટ્રકને હટાવી તેમાંથી ત્રણ વ્યક્તિનું રેસ્ક્યુ કર્યું હતું. જોકેઆ ઘટનામાં કારમાં ફસાયેલા તમામનો ચમત્કારિક રીતે બચાવ થયો હતો.

Read the Next Article

વડોદરા : ગંભીરા બ્રિજ દુર્ઘટનાનો આજે ત્રીજો દિવસ, 18 લોકોના મોત, 2 લોકોની શોધખોળ યથાવત

નદીમાં ખૂંપી ગયેલી ટ્રક નીચે કેટલાક લોકો દબાયા હોવાની પણ આશંકા સેવાઇ રહી છે. જોકે, રેસ્ક્યૂ કામગીરીનો આજે સતત ત્રીજો દિવસ છે, ત્યારે 3 ટ્રક અને એક બાઇકને નદીમાંથી બહાર કાઢવામાં આવી

New Update
  • વડોદરા-આણંદ વચ્ચે ગંભીરા બ્રિજ ઘટનાનો ત્રીજો દિવસ

  • દુર્ઘટનામાં 3 ટ્રક-બાઇક નદીમાંથી બહાર કાઢવામાં આવી

  • ઘટનામાં 18 લોકોના મોત2 લોકોની શોધખોળ યથાવત

  • સલ્ફ્યુરિક એસિડ સ્પ્રેડ થવાથી રેસ્ક્યૂ કામગીરીમાં મુશ્કેલી

  • NDRF દ્વારા 15 બોટ દ્વારા ચાલતું સતત રેસ્ક્યૂ ઓપરેશન

વડોદરા-આણંદ વચ્ચે આવેલ ગંભીરા બ્રિજ ગત તા. 9મી જુલાઈએ તૂટી પડતા 18 લોકોને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. આ સાથે જ 2 લોકો ગુમ હોવાથી તેમની શોધખોળ ચાલી રહી છે.

વિકસિત ગુજરાતમાં સર્જાયેલી વડોદરા-આણંદ ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં 18 લોકો જીવ ગુમાવી ચૂક્યા છે. ઉપરાંત ગુમ થયેલા 2 લોકોની પણ શોધખોળ યથાવત રાખવામાં આવી છેત્યારે આ દુર્ઘટનાના 50 કલાક બાદ પણ નદીમાં પડી ગયેલા તમામ વાહનો અને ગુમ થયેલા લોકોને બહાર કાઢવામાં સફળતા ન મળતા સરકારની રેસ્ક્યૂ કામગીરીને લઈને પણ સવાલ ઉઠ્યા છે. નદીમાં ખૂંપી ગયેલી ટ્રક નીચે કેટલાક લોકો દબાયા હોવાની પણ આશંકા સેવાઇ રહી છે. જોકેરેસ્ક્યૂ કામગીરીનો આજે સતત ત્રીજો દિવસ છેત્યારે 3 ટ્રક અને એક બાઇકને નદીમાંથી બહાર કાઢવામાં આવી હતી.

નદીમાં ખાબકેલા ટ્રકમાં રહેલ સલ્ફ્યુરિક એસિડ સ્પ્રેડ થતું હોવાથી રેસ્ક્યૂ કામગીરીમાં મુશ્કેલી આવી રહી છેજેથી સંપૂર્ણ કામગીરી ક્યારે પૂર્ણ થશે તે કહેવું હાલ મુશ્કેલ બન્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કેરેસ્ક્યૂ ઓપરેશન માટેNDRFએ વધુ એક બોટને મહીસાગર નદીમાં ઉતારી છેત્યારે હાલ 15 બોટ દ્વારા સતત રેસ્ક્યૂ ઓપરેશન ચાલી રહ્યું છે.