વડોદરા:  હિટ એન્ડ રનના બનાવમાં કાર ચાલકની ધરપકડ

વડોદરાના તરસાલી વિસ્તારમાં કાર ચાલકે 19 વર્ષીય યુવાનને અડફેટે લેતા તેનુ મોત નિપજ્યું હતું ત્યારે હીટ એન્ડ રનની આ ઘટનામાં પોલીસે ફરાર કાર ચાલકની સેલવાસ ખાતેથી ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

New Update

વડોદરાના તરસાલી વિસ્તારમાં કાર ચાલકે 19 વર્ષીય યુવાનને અડફેટે લેતા તેનુ મોત નિપજ્યું હતું ત્યારે હીટ એન્ડ રનની આ ઘટનામાં પોલીસે ફરાર કાર ચાલકની સેલવાસ ખાતેથી ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

વડોદરા શહેરના સુસેન તરસાલી રીંગ રોડ પર આવેલા રામનગર ખાતે રહેતો 19 વર્ષીય વિનયકુમાર રોહિત તેના ઘર પાસેના એસાર પેટ્રોલ પમ્પ પાસેથી પસાર થઇ રહેલો રોડ ક્રોસ કરી રહ્યો હતો. આ સમયે પુરપાટ ઝડપે આવી રહેલી ગ્રે કલરની સ્વીફ્ટ કારના ચાલકે વિનયને અડફેટે લીધો હતો.અકસ્માતમાં વિનયને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. જેથી તેને તાત્કાલીક સારવાર અર્થે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં હોસ્પિટલમાં 48 કલાક સુધી જીવન મરણ વચ્ચે ઝઝુમી રહેલા વિનયે મંગળવારે મોડી રાત્રે અંતિમ શ્વાસ લીધો હતો. બનાવને પગલે મકરપુરા પોલીસે અકસ્માત સર્જનાર કાર ચાલકની શોધખોળ આરંભી હતી.પોલીસે કાર ચાલકને ઝડપી પાડવા વિસ્તારના તમામ સીસીટીવી ફંફોળી નાખ્યાં હતા. જેમાં તરસાલી શાક માર્કેટ પાસે લાગેલા સીસીટીવી કેમેરામાં અકસ્માત સર્જનાર ગ્રે કલરની સ્વીફ્ટ કાર કેદ થઇ હતી. આમ પહેલી કળી મળ્યાં બાદ પોલીસે કરજણ ટોલનાકા સુધીના સીસીટીવી ફુટેજ મેળવી વિનયને મોતને ઘાટ ઉતારનાર તરસાલી વિજયનગર ખાતે રહેતા કાર ચાલક ધવલ પટેલને શોધી કાઢ્યો હતો.અકસ્માતની ઘટનાને અંજામ આપ્યા બાદ ધવલ પોતાના ઘરે ગયો અને ત્યારબાદ તે વડોદરાથી સેલવાસ નાસી છુટ્યો હતો. જોકે મકરપુરા પોલીસે ધવલ પટેલને ઝડપી પાડી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

Read the Next Article

વડોદરા : ગંભીરા બ્રિજ દુર્ઘટનાનો આજે ત્રીજો દિવસ, 18 લોકોના મોત, 2 લોકોની શોધખોળ યથાવત

નદીમાં ખૂંપી ગયેલી ટ્રક નીચે કેટલાક લોકો દબાયા હોવાની પણ આશંકા સેવાઇ રહી છે. જોકે, રેસ્ક્યૂ કામગીરીનો આજે સતત ત્રીજો દિવસ છે, ત્યારે 3 ટ્રક અને એક બાઇકને નદીમાંથી બહાર કાઢવામાં આવી

New Update
  • વડોદરા-આણંદ વચ્ચે ગંભીરા બ્રિજ ઘટનાનો ત્રીજો દિવસ

  • દુર્ઘટનામાં 3 ટ્રક-બાઇક નદીમાંથી બહાર કાઢવામાં આવી

  • ઘટનામાં 18 લોકોના મોત2 લોકોની શોધખોળ યથાવત

  • સલ્ફ્યુરિક એસિડ સ્પ્રેડ થવાથી રેસ્ક્યૂ કામગીરીમાં મુશ્કેલી

  • NDRF દ્વારા 15 બોટ દ્વારા ચાલતું સતત રેસ્ક્યૂ ઓપરેશન

વડોદરા-આણંદ વચ્ચે આવેલ ગંભીરા બ્રિજ ગત તા. 9મી જુલાઈએ તૂટી પડતા 18 લોકોને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. આ સાથે જ 2 લોકો ગુમ હોવાથી તેમની શોધખોળ ચાલી રહી છે.

વિકસિત ગુજરાતમાં સર્જાયેલી વડોદરા-આણંદ ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં 18 લોકો જીવ ગુમાવી ચૂક્યા છે. ઉપરાંત ગુમ થયેલા 2 લોકોની પણ શોધખોળ યથાવત રાખવામાં આવી છેત્યારે આ દુર્ઘટનાના 50 કલાક બાદ પણ નદીમાં પડી ગયેલા તમામ વાહનો અને ગુમ થયેલા લોકોને બહાર કાઢવામાં સફળતા ન મળતા સરકારની રેસ્ક્યૂ કામગીરીને લઈને પણ સવાલ ઉઠ્યા છે. નદીમાં ખૂંપી ગયેલી ટ્રક નીચે કેટલાક લોકો દબાયા હોવાની પણ આશંકા સેવાઇ રહી છે. જોકેરેસ્ક્યૂ કામગીરીનો આજે સતત ત્રીજો દિવસ છેત્યારે 3 ટ્રક અને એક બાઇકને નદીમાંથી બહાર કાઢવામાં આવી હતી.

નદીમાં ખાબકેલા ટ્રકમાં રહેલ સલ્ફ્યુરિક એસિડ સ્પ્રેડ થતું હોવાથી રેસ્ક્યૂ કામગીરીમાં મુશ્કેલી આવી રહી છેજેથી સંપૂર્ણ કામગીરી ક્યારે પૂર્ણ થશે તે કહેવું હાલ મુશ્કેલ બન્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કેરેસ્ક્યૂ ઓપરેશન માટેNDRFએ વધુ એક બોટને મહીસાગર નદીમાં ઉતારી છેત્યારે હાલ 15 બોટ દ્વારા સતત રેસ્ક્યૂ ઓપરેશન ચાલી રહ્યું છે.