વડોદરા : શહેર બન્યું મગરોની નગરી,વિશ્વામિત્રીના કિનારે મગરોનું 'સામ્રાજ્ય' કુલ સંખ્યા 417 નોંધાઈ

વડોદરા શહેરની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં રહેલા મગરોની ગણતરી 7 ફેબ્રુઆરી, 2026ના રોજ કરવામાં આવી હતી, જેમાં વિશ્વામિત્રી નદીમાં 417 મગરો હોવાનું સામે આવ્યું

New Update
  • વડોદરા ક્રોકોડાઇલ સિટી બનશે

  • વિશ્વામિત્રી નદીમાં મગરોનું સામ્રાજ્ય

  • વૈજ્ઞાનિક ઢબે હાથ ધરાય ગણતરી

  • નદીમાં કુલ 417 મગરો નોંધાયા

  • MS યુનિવર્સિટી દ્વારા ગણતરી કરાઈ   

વડોદરાની મધ્યમાંથી વહેતી વિશ્વામિત્રી નદીમાં કુલ 417 મગરો નોંધાયા છે. નવાઈની વાત તો એ છે કેનરહરિ હોસ્પિટલથી કાલાઘોડા વચ્ચેના માત્ર 2 કિમીના પટમાં જ 103 મગરો બિરાજમાન છે.

વડોદરા શહેરની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં રહેલા મગરોની ગણતરી 7 ફેબ્રુઆરી2026ના રોજ કરવામાં આવી હતીજેમાં વિશ્વામિત્રી નદીમાં 417 મગરો હોવાનું સામે આવ્યું છે. નરહરિ હોસ્પિટલથી કાલાઘોડા વચ્ચેના 2 કિમીના વિસ્તારમાં સૌથી વધુ 103 મગરો જોવા મળ્યા હતા. 2025 કરવામાં આવેલી મગરની ગણતરીમાં 442 મગરોની ગણતરી કરવામાં આવી હતી. જોકે તે સમયે શહેરના તળાવોનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. આ વખતે તળાવોનો સમાવેશ કરવામાં આવ્યો નથી.

MS યુનિવર્સિટીના સાયન્સ ફેકલ્ટીના ઝૂઓલોજી વિભાગના નિષ્ણાંતોના મતે આ વખતે મગરોની જે ગણતરી થઈ તે ખૂબ જ અત્યંત ઝીણવટભરી અને સઘન હતી. 

Latest Stories