વડોદરા: ધનતેરસના પર્વ નિમિત્તે સોના ચાંદીની ખરીદી કરતા શહેરીજનો,જવેલર્સના ત્યાં ઉમટી ભીડ

વડોદરા શહેરમાં ધનતેરસના પર્વ નિમિત્તે  જવેલર્સની દુકાનમાં ગ્રાહકોની ભીડ ઉમટી હતી,ભલે સોના ચાંદીના ભાવ વધ્યા હોય પરંતુ શહેરીજનોએ પોતાની ખરીદશક્તિ મુજબ વસ્તુની ખરીદી કરી હતી.    

New Update

વડોદરામાં ધનતેરસ નિમિત્તે જવેલર્સની ખરીદીમાં તેજી 

શુભ મુર્હુતમાં ખરીદી કરતા શહેરીજનો

સોના ચાંદીના ભાવમાં થયો છે વધારો

ગ્રાહકોની ખરીદશક્તિ પર પડી અસર 

ભાવમાં તેજી સામે નાની વસ્તુઓની ખરીદી કરતા ગ્રાહકો

વડોદરા શહેરમાં ધનતેરસના પર્વ નિમિત્તે  જવેલર્સની દુકાનમાં ગ્રાહકોની ભીડ ઉમટી હતી,ભલે સોના ચાંદીના ભાવ વધ્યા હોય પરંતુ શહેરીજનોએ પોતાની ખરીદશક્તિ મુજબ વસ્તુની ખરીદી કરી હતી.    
વડોદરા શહેરના બજારોમાં દિવાળીના પર્વની તેજી જોવા મળી રહી છે,ત્યારે આજે માતા લક્ષ્મીને રિઝવવા માટેનો ઉત્તમ પર્વ એટલે ધનતેરસ. ધનતેરસના પવિત્ર દિવસની માન્યતા મુજબ સોનુ અથવા ચાંદીની ખરીદીને આજના દિવસે ખુબ જ શુકન માનવામાં આવે છે.જેના કારણે માતા લક્ષ્મી આખું વર્ષ કૃપાદ્રષ્ટિ વરસાવે છે.ત્યારે વડોદરામાં આજે ધનતેરસના પવિત્ર દિવસે લોકો સોના ચાંદીની ખરીદી કરવા માટે ઉંટી પડ્યા હતા.સોના અને ચાંદીના ભાવમાં વધારો થયો હોવા છતાં પણ લોકો સોના ચાંદીની નાની વસ્તુની પણ ખરીદી કરીને  શુકન કરતા જોવા મળ્યા હતા. શહેરના વિવિધ જ્વેલર્સ શોપમાં લોકોની ભારે ભીડ જોવા મળી હતી અને લોકોમાં દીપાવલી પર્વને લઈને ઉત્સાહ પણ જોવા મળી રહ્યો હતો.
Read the Next Article

વડોદરા : ઘર આંગણે જ બે વર્ષીય માસુમ બાળકીનું કાર નીચે કચડાઇ જતા કરૂણ મોત,અકસ્માત સર્જી ચાલક ફરાર

વડોદરા વાઘોડિયાના મોરલીપુરા ગામના પરમાર ફળિયામાં ઘરની બહાર રમી રહેલી બે વર્ષીય માસુમ બાળકીનું બ્રેઝા કાર નીચે કચડાઇ જતા ઘટના સ્થળે મોત થયું હતું.

New Update
  • મોરલીપુરામાં અકસ્માતનો બનાવ

  • ઘર આંગણે રમતી બાળા બની અકસ્માતનો ભોગ

  • બે વર્ષીય માસુમ બાળકીને બ્રેઝા કારે લીધી અડફેટમાં

  • કાર નીચે કચડાઈને માસૂમનું નીપજ્યું મોત

  • અકસ્માત સર્જીને કાર ચાલક ફરાર

  • જરોદ પોલીસે શરૂ કરી તપાસ 

વડોદરા વાઘોડિયાના મોરલીપુરા ગામના પરમાર ફળિયામાં ઘરની બહાર રમી રહેલી બે વર્ષીય માસુમ બાળકીનું બ્રેઝા કાર નીચે કચડાઇ જતા ઘટના સ્થળે મોત થયું હતું.બનાવને પગલે કાર ચાલક અકસ્માત સર્જી ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો.ઘટના અંગે જરોદ પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી હતી.

સુરતના કોસંબાની ગ્લાસ કંપનીમાં નોકરી કરતા અને વડોદરાના વાઘોડિયા તાલુકાના મોરલીપુરા ગામના પરમાર ફળિયા ખાતે રહેતા પિયુષ પરમારને સંતાનમાં બે દીકરીઓ છે.જે પૈકી નાની દીકરી બે વર્ષીય યુક્તિ શનિવારે સાંજના સુમારે પોતાના ઘર બહાર રમી રહી હતી.આ દરમિયાન અચાનક એક બ્રેઝા કારના ચાલકે આ બાળકીને અડફેટે લેતા બાળકીનું કારના ટાયર નીચે કચડાઈ જતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.જેથી રોષે ભરાયેલા પરિવારજનોએ કારના કાચની તોડફોડ કરી હતી.જ્યારે કાર ચાલક ગામનો જ રહેવાસી ગણપત પરમાર અકસ્માત સર્જી ઘટના ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો.

સમગ્ર બનાવને પગલે પોલીસને જાણ કરાતા જરોદ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતીઅને બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથધરી હતી. બાળકીના પરિવારજનો દ્વારા જરોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જ્યારે પોલીસે પરિવારજનોની ફરિયાદના આધારે કાર ચાલકની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા.