વડોદરા : દિલ્હી નાર્કોટિક્સ વિભાગના ખ્લોરોફિલ્સ બાયોટિક કંપનીમાં દરોડા

વડોદરા શહેરના રાવપુરા વિસ્તારની ખ્લોરોફિલ્સ બાયોટિક કંપનીમાંથી દિલ્હી નારકોટિક્સ ડિપાર્ટમેન્ટના દરોડામાં નશીલા દ્રવ્યો સહિત ટ્રામાડોલ ડ્રગ્સ મળી આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે.

New Update

દિલ્હી નાર્કોટિક્સ વિભાગના વડોદરા-રાવપુરામાં ધામા

અમદાવાદભાવનગર અને ત્યારબાદ વડોદરામાં દરોડા

ખ્લોરોફિલ્સ બાયોટિક કંપનીમાં દરોડા પાડવામાં આવ્યા

નશીલા દ્રવ્યો સહિત ટ્રામાડોલ ડ્રગ્સ મળી આવતા ખળભળાટ

સમગ્ર મામલે નાર્કોટિક્સ વિભાગ દ્વારા તપાસ હાથ ધરાય

વડોદરા શહેરના રાવપુરા વિસ્તારની ખ્લોરોફિલ્સ બાયોટિક કંપનીમાંથી દિલ્હી નારકોટિક્સ ડિપાર્ટમેન્ટના દરોડામાં નશીલા દ્રવ્યો સહિત ટ્રામાડોલ ડ્રગ્સ મળી આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે.

દિલ્હી નાર્કોટિક્સ વિભાગ દ્વારા વડોદરાની ખ્લોરોફિલ્સ બાયોટિક કંપનીમાં દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં 850 બોટલ કોડીન ફોસ્ફેટ અને 15,300 ટ્રામાડોલ ડ્રગ્સ મળી આવ્યું હતું. સામાન્ય રીતે આ ડ્રગ પેઇન કિલરના ઉપયોગમાં આવે છે. પરંતુ કેટલાક લોકો તેનો નશામાં ઉપયોગ કરે છેઆ અંગેની બાતમી દિલ્હી નાર્કોટિક વિભાગને મળતા તેઓએ 2 દિવસ અગાઉ અમદાવાદ અને ત્યારબાદ ભાવનગર રેડ કરી હતી. જેમાં વડોદરાની કંપનીનું નામ ખુલતા નાર્કોટિકસ વિભાગ દ્વારા બાતમીવાળી કંપનીમાં દરોડા પાડવામાં આવ્યા હતા. આ મામલે હાલ સુધીમાં અમદાવાદથી એક અને ભાવનગરથી એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છેજ્યારે વડોદરાના વ્યક્તિની પૂછપરછ ચાલી રહી હોવાનું દિલ્હી નાર્કોટિક્સ વિભાગના અધિકારી જણાવ્યુ હતું.

Read the Next Article

વડોદરા : ગંભીરા બ્રિજ દુર્ઘટનાનો આજે ત્રીજો દિવસ, 18 લોકોના મોત, 2 લોકોની શોધખોળ યથાવત

નદીમાં ખૂંપી ગયેલી ટ્રક નીચે કેટલાક લોકો દબાયા હોવાની પણ આશંકા સેવાઇ રહી છે. જોકે, રેસ્ક્યૂ કામગીરીનો આજે સતત ત્રીજો દિવસ છે, ત્યારે 3 ટ્રક અને એક બાઇકને નદીમાંથી બહાર કાઢવામાં આવી

New Update
  • વડોદરા-આણંદ વચ્ચે ગંભીરા બ્રિજ ઘટનાનો ત્રીજો દિવસ

  • દુર્ઘટનામાં 3 ટ્રક-બાઇક નદીમાંથી બહાર કાઢવામાં આવી

  • ઘટનામાં 18 લોકોના મોત2 લોકોની શોધખોળ યથાવત

  • સલ્ફ્યુરિક એસિડ સ્પ્રેડ થવાથી રેસ્ક્યૂ કામગીરીમાં મુશ્કેલી

  • NDRF દ્વારા 15 બોટ દ્વારા ચાલતું સતત રેસ્ક્યૂ ઓપરેશન

વડોદરા-આણંદ વચ્ચે આવેલ ગંભીરા બ્રિજ ગત તા. 9મી જુલાઈએ તૂટી પડતા 18 લોકોને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. આ સાથે જ 2 લોકો ગુમ હોવાથી તેમની શોધખોળ ચાલી રહી છે.

વિકસિત ગુજરાતમાં સર્જાયેલી વડોદરા-આણંદ ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં 18 લોકો જીવ ગુમાવી ચૂક્યા છે. ઉપરાંત ગુમ થયેલા 2 લોકોની પણ શોધખોળ યથાવત રાખવામાં આવી છેત્યારે આ દુર્ઘટનાના 50 કલાક બાદ પણ નદીમાં પડી ગયેલા તમામ વાહનો અને ગુમ થયેલા લોકોને બહાર કાઢવામાં સફળતા ન મળતા સરકારની રેસ્ક્યૂ કામગીરીને લઈને પણ સવાલ ઉઠ્યા છે. નદીમાં ખૂંપી ગયેલી ટ્રક નીચે કેટલાક લોકો દબાયા હોવાની પણ આશંકા સેવાઇ રહી છે. જોકેરેસ્ક્યૂ કામગીરીનો આજે સતત ત્રીજો દિવસ છેત્યારે 3 ટ્રક અને એક બાઇકને નદીમાંથી બહાર કાઢવામાં આવી હતી.

નદીમાં ખાબકેલા ટ્રકમાં રહેલ સલ્ફ્યુરિક એસિડ સ્પ્રેડ થતું હોવાથી રેસ્ક્યૂ કામગીરીમાં મુશ્કેલી આવી રહી છેજેથી સંપૂર્ણ કામગીરી ક્યારે પૂર્ણ થશે તે કહેવું હાલ મુશ્કેલ બન્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કેરેસ્ક્યૂ ઓપરેશન માટેNDRFએ વધુ એક બોટને મહીસાગર નદીમાં ઉતારી છેત્યારે હાલ 15 બોટ દ્વારા સતત રેસ્ક્યૂ ઓપરેશન ચાલી રહ્યું છે.